Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના - વરસાદ ઝીલું છું...


  • Published By :
  • Published Date : 2024-07-17 18:03:01

હાલ વરસાદની સિઝન ચાલી છે.. પહેલાનો સમય એવો હતો જ્યારે બાળકો વરસાદમાં ન્હાવા જતા. વરસાદનો આનંદ લેતા. વરસાદમાં હોડી બનાવી તેને તરતા મૂકતા.. પરંતુ હવેના સમયમાં વરસાદમાં પલળતા નાના બાળકો જોવા જ નથી મળતા.. વરસાદ માટે આપણે ત્યાં અનેક કવિતાઓ લખવામાં આવી છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના વરસાદ ઝીલું છે,, તે રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..


ખોલી મનનું બારણું વરસાદ ઝીલું છું,

ખોબો ભરી લેવો છે વરસાદ ઝીલું છું..


આંખો રડી રડી રડી, પડી ગઈ કોરીકટ

આંખો ભીની કરવા વરસાદ ઝીલું છું..


લીલું પાન પડ્યું સૂકું, મુરઝાયું છે ફૂલ

કરવા એને તરબતર વરસાદ ઝીલું છું..


કિંમત પાણીની પૂછો સૂકી ધરાને જરા,

ભીંજવવા સુગંધને વરસાદ ઝીલું છું..


તારી ક્ષણે ક્ષણની યાદો ભરી બારીશ

યાદમાં તારી ખોબેખોબે વરસાદ ઝીલું છું..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.