Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના - વરસાદ ઝીલું છું...


  • Published By :
  • Published Date : 2024-07-17 18:03:01

હાલ વરસાદની સિઝન ચાલી છે.. પહેલાનો સમય એવો હતો જ્યારે બાળકો વરસાદમાં ન્હાવા જતા. વરસાદનો આનંદ લેતા. વરસાદમાં હોડી બનાવી તેને તરતા મૂકતા.. પરંતુ હવેના સમયમાં વરસાદમાં પલળતા નાના બાળકો જોવા જ નથી મળતા.. વરસાદ માટે આપણે ત્યાં અનેક કવિતાઓ લખવામાં આવી છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના વરસાદ ઝીલું છે,, તે રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..


ખોલી મનનું બારણું વરસાદ ઝીલું છું,

ખોબો ભરી લેવો છે વરસાદ ઝીલું છું..


આંખો રડી રડી રડી, પડી ગઈ કોરીકટ

આંખો ભીની કરવા વરસાદ ઝીલું છું..


લીલું પાન પડ્યું સૂકું, મુરઝાયું છે ફૂલ

કરવા એને તરબતર વરસાદ ઝીલું છું..


કિંમત પાણીની પૂછો સૂકી ધરાને જરા,

ભીંજવવા સુગંધને વરસાદ ઝીલું છું..


તારી ક્ષણે ક્ષણની યાદો ભરી બારીશ

યાદમાં તારી ખોબેખોબે વરસાદ ઝીલું છું..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે