Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત રચના - વરસાદ ઝીલું છું...


  • Published By :
  • Published Date : 2024-07-17 18:03:01

હાલ વરસાદની સિઝન ચાલી છે.. પહેલાનો સમય એવો હતો જ્યારે બાળકો વરસાદમાં ન્હાવા જતા. વરસાદનો આનંદ લેતા. વરસાદમાં હોડી બનાવી તેને તરતા મૂકતા.. પરંતુ હવેના સમયમાં વરસાદમાં પલળતા નાના બાળકો જોવા જ નથી મળતા.. વરસાદ માટે આપણે ત્યાં અનેક કવિતાઓ લખવામાં આવી છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના વરસાદ ઝીલું છે,, તે રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..


ખોલી મનનું બારણું વરસાદ ઝીલું છું,

ખોબો ભરી લેવો છે વરસાદ ઝીલું છું..


આંખો રડી રડી રડી, પડી ગઈ કોરીકટ

આંખો ભીની કરવા વરસાદ ઝીલું છું..


લીલું પાન પડ્યું સૂકું, મુરઝાયું છે ફૂલ

કરવા એને તરબતર વરસાદ ઝીલું છું..


કિંમત પાણીની પૂછો સૂકી ધરાને જરા,

ભીંજવવા સુગંધને વરસાદ ઝીલું છું..


તારી ક્ષણે ક્ષણની યાદો ભરી બારીશ

યાદમાં તારી ખોબેખોબે વરસાદ ઝીલું છું..



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .