Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના - મારે પાછુું બાળક બનવું છે...


  • Published By :
  • Published Date : 2024-05-18 17:49:39

નાના બાળકોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય.. આપણે પોતાના બાળપણના દિવસો યાદ કરવા લાગીએ.. શાળામાં અમે આવી મસ્તી કરતા હતા, આવી રીતે દોસ્તો સાથે ફરવા જતા હતા તેવી વાતો મોટાના મોઢે અનેક વખત સાંભળી હશે. નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના...      


મારે પાછુું બાળક બનવું છે...

એ શાળાએ જતા જતાં મારે મને ભરીને રડવું છે

પેલા મોટા સાહેબનાં હાથમાં સોટી જોઈને, 

પાછા ઘર તરફ વળવું છે

મારે પાછું બાળક બનવું છે..


નાની સરખી વાતોમાં 

બધા સાથે લડવું છે,

પેલી પથ્થરની પાટીમાં હજૂ ઘણુંબધું , 

ચિતરવું છે 

મારે પાછું બાળક બનવું છે..


ખભા સાથે ખભો મિલાવીને 

એ ભાઈબંધો સાથે બે કદમ ચાલવું છે

એ વાતોનાં ખજાનાનું તાળું,

મારે ફરીથી ખોલવું છે

મારે પાછું બાળક બનવું છે


વરસતાએ વરસાદમાં મારે

મસ્ત થઈને નાચવું છે

માટીની સુગંધથી તનમન

તરબોળ કરી નાખવું છે

મારે પાછું બાળક બનવું છે


રડવું છે હસવું છે,

 ને હજી તો ઘણુંબધું જીવવું છે

 મતલબી દુનિયાને છોડી

મારાએ બાળપણને મળવું છે

મારે પાછું બાળક બનવું છે..



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.