Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના - મારે પાછુું બાળક બનવું છે...


  • Published By :
  • Published Date : 2024-05-18 17:49:39

નાના બાળકોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય.. આપણે પોતાના બાળપણના દિવસો યાદ કરવા લાગીએ.. શાળામાં અમે આવી મસ્તી કરતા હતા, આવી રીતે દોસ્તો સાથે ફરવા જતા હતા તેવી વાતો મોટાના મોઢે અનેક વખત સાંભળી હશે. નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના...      


મારે પાછુું બાળક બનવું છે...

એ શાળાએ જતા જતાં મારે મને ભરીને રડવું છે

પેલા મોટા સાહેબનાં હાથમાં સોટી જોઈને, 

પાછા ઘર તરફ વળવું છે

મારે પાછું બાળક બનવું છે..


નાની સરખી વાતોમાં 

બધા સાથે લડવું છે,

પેલી પથ્થરની પાટીમાં હજૂ ઘણુંબધું , 

ચિતરવું છે 

મારે પાછું બાળક બનવું છે..


ખભા સાથે ખભો મિલાવીને 

એ ભાઈબંધો સાથે બે કદમ ચાલવું છે

એ વાતોનાં ખજાનાનું તાળું,

મારે ફરીથી ખોલવું છે

મારે પાછું બાળક બનવું છે


વરસતાએ વરસાદમાં મારે

મસ્ત થઈને નાચવું છે

માટીની સુગંધથી તનમન

તરબોળ કરી નાખવું છે

મારે પાછું બાળક બનવું છે


રડવું છે હસવું છે,

 ને હજી તો ઘણુંબધું જીવવું છે

 મતલબી દુનિયાને છોડી

મારાએ બાળપણને મળવું છે

મારે પાછું બાળક બનવું છે..



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .