Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો


  • Published By :
  • Published Date : 2024-11-17 17:30:15

શબ્દો.. બાળી પણ શકે છે અને શબ્દો તારી પણ શકે છે.. જો સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ફાયદો થાય છે અને જો ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે... અનેક વખત શબ્દો હોવા છતાંય આપણે કહી નથી શક્તા.. શબ્દોનો ભાર લાગે છે... વિચારો પણ સતત આવ્યા કરે છે... અનેક ઘટનાઓ એવી હોય છે જે આપણને યાદ રહી જાય છે.. આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ તો પણ તે યાદ આવી જાય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના... 



શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,

દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?


દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,

શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.


વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,

દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.


ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,

તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?


જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,

રોશન કરે છે આજ એ પસ્તીબજારને.


ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?

ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….

— રમેશ પારેખ 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.