Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો


  • Published By :
  • Published Date : 2024-11-17 17:30:15

શબ્દો.. બાળી પણ શકે છે અને શબ્દો તારી પણ શકે છે.. જો સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ફાયદો થાય છે અને જો ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે... અનેક વખત શબ્દો હોવા છતાંય આપણે કહી નથી શક્તા.. શબ્દોનો ભાર લાગે છે... વિચારો પણ સતત આવ્યા કરે છે... અનેક ઘટનાઓ એવી હોય છે જે આપણને યાદ રહી જાય છે.. આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ તો પણ તે યાદ આવી જાય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના... 



શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,

દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?


દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,

શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.


વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,

દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.


ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,

તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?


જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,

રોશન કરે છે આજ એ પસ્તીબજારને.


ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?

ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….

— રમેશ પારેખ 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."