Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો


  • Published By :
  • Published Date : 2024-11-17 17:30:15

શબ્દો.. બાળી પણ શકે છે અને શબ્દો તારી પણ શકે છે.. જો સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ફાયદો થાય છે અને જો ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે... અનેક વખત શબ્દો હોવા છતાંય આપણે કહી નથી શક્તા.. શબ્દોનો ભાર લાગે છે... વિચારો પણ સતત આવ્યા કરે છે... અનેક ઘટનાઓ એવી હોય છે જે આપણને યાદ રહી જાય છે.. આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ તો પણ તે યાદ આવી જાય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના... 



શબ્દોના ડાઘુઓએ ઉપાડ્યો છે ભારને,

દફનાવશે ક્યાં જઈને મરેલા વિચારને ?


દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,

શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.


વેચાય છે બજારમાં ગજરાઓ ફૂલના,

દિવસો ય વાજબી છે, ખરીદો બહારને.


ઘટનાને હોત ભૂલી શકાવાનાં બારણાં,

તો કોણ ખોલવાનું હતું બંધ દ્વારને ?


જેને જવું’તું શબ્દની સીમા અતિક્રમી,

રોશન કરે છે આજ એ પસ્તીબજારને.


ગઈકાલે સનસનાટીભર્યું શું બની ગયું ?

ભીની હજુ છે, ખોદી જુઓને, મજારને….

— રમેશ પારેખ 



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.