Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણી અને નેતાઓને સમર્પિત રચના - બોલો, ચૂંટણી આવી છે...


  • Published By :
  • Published Date : 2024-05-05 16:11:04

ગુજરાત સંપૂર્ણ રીતે ચૂંટણીના રંગમાં રંગાયું છે.. માત્ર ગણતરીના દિવસો બાદ ગુજરાતની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના માટે સરકાર ચૂંટશે.. જ્યારે આપણે નેતાઓ દ્વારા કરવામાં આવતો પ્રચાર જોઈએ ત્યારે નવાઈ પણ લાગે છે... નેતાઓ એક બીજા પર આકરા પ્રહારો કરે છે... અવનવા ખેલ બતાવી મતદારોને રિઝવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.. ભેટીને સાથે ફરતા નેતાઓ એક બીજા સામે બોલતા દેખાય છે... એવા નિવેદનો સામે આવતા હોય છે જે ધર્મ પર, જ્ઞાતિ પર કરવામાં આવતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણી અને નેતાઓને સમર્પિત રચના...   


બોલો, ચૂંટણી આવી છે

કેવા કેવા ખેલ લાવી છે?


મદારી પણ અહીં પાછો પડે

જાદુગર પણ કાચો પડે


તેવા અવનવા ખેલ લાવી છે

બોલો, ચૂંટણી આવી છે..


કાલે ભેટીને ફરતા હતા

આજે સામસામે તલવાર તાણી છે


મ્યાન નથી કર્યા શબ્દોને, 

જુઓ, કેવી બેઘારી એ વાણી છે?


બોલવું હોય તે બોલવા દો

કરવું હોય તે કરવા દો


આ ગુજરાતની જનતા છે

અને જનતા બહુ શાણી છે


બોલો ચૂંટણી આવી છે

કેવા કેવા ખેલ લાવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે