Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણી અને નેતાઓને સમર્પિત રચના - બોલો, ચૂંટણી આવી છે...


  • Published By :
  • Published Date : 2024-05-05 16:11:04

ગુજરાત સંપૂર્ણ રીતે ચૂંટણીના રંગમાં રંગાયું છે.. માત્ર ગણતરીના દિવસો બાદ ગુજરાતની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના માટે સરકાર ચૂંટશે.. જ્યારે આપણે નેતાઓ દ્વારા કરવામાં આવતો પ્રચાર જોઈએ ત્યારે નવાઈ પણ લાગે છે... નેતાઓ એક બીજા પર આકરા પ્રહારો કરે છે... અવનવા ખેલ બતાવી મતદારોને રિઝવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.. ભેટીને સાથે ફરતા નેતાઓ એક બીજા સામે બોલતા દેખાય છે... એવા નિવેદનો સામે આવતા હોય છે જે ધર્મ પર, જ્ઞાતિ પર કરવામાં આવતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણી અને નેતાઓને સમર્પિત રચના...   


બોલો, ચૂંટણી આવી છે

કેવા કેવા ખેલ લાવી છે?


મદારી પણ અહીં પાછો પડે

જાદુગર પણ કાચો પડે


તેવા અવનવા ખેલ લાવી છે

બોલો, ચૂંટણી આવી છે..


કાલે ભેટીને ફરતા હતા

આજે સામસામે તલવાર તાણી છે


મ્યાન નથી કર્યા શબ્દોને, 

જુઓ, કેવી બેઘારી એ વાણી છે?


બોલવું હોય તે બોલવા દો

કરવું હોય તે કરવા દો


આ ગુજરાતની જનતા છે

અને જનતા બહુ શાણી છે


બોલો ચૂંટણી આવી છે

કેવા કેવા ખેલ લાવી છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."