Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણી અને નેતાઓને સમર્પિત રચના - બોલો, ચૂંટણી આવી છે...


  • Published By :
  • Published Date : 2024-05-05 16:11:04

ગુજરાત સંપૂર્ણ રીતે ચૂંટણીના રંગમાં રંગાયું છે.. માત્ર ગણતરીના દિવસો બાદ ગુજરાતની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના માટે સરકાર ચૂંટશે.. જ્યારે આપણે નેતાઓ દ્વારા કરવામાં આવતો પ્રચાર જોઈએ ત્યારે નવાઈ પણ લાગે છે... નેતાઓ એક બીજા પર આકરા પ્રહારો કરે છે... અવનવા ખેલ બતાવી મતદારોને રિઝવવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.. ભેટીને સાથે ફરતા નેતાઓ એક બીજા સામે બોલતા દેખાય છે... એવા નિવેદનો સામે આવતા હોય છે જે ધર્મ પર, જ્ઞાતિ પર કરવામાં આવતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણી અને નેતાઓને સમર્પિત રચના...   


બોલો, ચૂંટણી આવી છે

કેવા કેવા ખેલ લાવી છે?


મદારી પણ અહીં પાછો પડે

જાદુગર પણ કાચો પડે


તેવા અવનવા ખેલ લાવી છે

બોલો, ચૂંટણી આવી છે..


કાલે ભેટીને ફરતા હતા

આજે સામસામે તલવાર તાણી છે


મ્યાન નથી કર્યા શબ્દોને, 

જુઓ, કેવી બેઘારી એ વાણી છે?


બોલવું હોય તે બોલવા દો

કરવું હોય તે કરવા દો


આ ગુજરાતની જનતા છે

અને જનતા બહુ શાણી છે


બોલો ચૂંટણી આવી છે

કેવા કેવા ખેલ લાવી છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.