Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચાને સમર્પિત રચના - દોસ્તીમાં એ સહાયક બનતી..


  • Published By :
  • Published Date : 2024-06-21 17:46:45

મોડી રાત હોય, ભાઈબંધોની મહેફિલ જામી હોય અને તેમાં ચાનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી ગઈ હોય તેવું લાગે.. ચાની આદત અનેક લોકોને હોય છે. ગમે તેટલી વાર, ગમે ત્યારે તેમને ચા આપો તે ચા માટે ના ક્યારેય નહીં પાડે... ચા માટે એવું કહીએ કે ચા સંબંધો પણ સુધારે છે તો પણ નવાઈ નહીં.. જ્યાં સુધી સવારની ચા નથી મળતી ત્યાં સુધી લોકોના દિવસની શરૂઆત નથી થતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચાને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


રાતની સુસ્તીને વિદારે છે 'ચા'

બ્રશ પછી તરત સંભારે છે 'ચા'...


દ્રોણાચલની સંજીવની છે 'ચા'

સવારે શક્તિને સંચારે છે 'ચા'..


માફક, તેજ, ગળ્યી કે મોળી,

આમ જુદા જુદા પ્રકારે છે 'ચા'...


દોસ્તીમાં એ સહાયક બનતી,

બગડેલા સંબંધ સુધારે છે 'ચા'...


મહેમાનગતિનું માનીતું પીણું,

કડકડતી ભૂખને મારે છે ચા


વ્યસન એવું સહજ થૈ જતું,

એસિડિટીને આવકારે છે ચા


કંટાળો કે બોજ હોય કામનો

શિરદર્દને હંમેશા વિદારે છે ચા


કલિયુગમાં તો દેવી જ સમજો

કદી જમવામાં સથવારે છે ચા



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .