Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચાને સમર્પિત રચના - દોસ્તીમાં એ સહાયક બનતી..


  • Published By :
  • Published Date : 2024-06-21 17:46:45

મોડી રાત હોય, ભાઈબંધોની મહેફિલ જામી હોય અને તેમાં ચાનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી ગઈ હોય તેવું લાગે.. ચાની આદત અનેક લોકોને હોય છે. ગમે તેટલી વાર, ગમે ત્યારે તેમને ચા આપો તે ચા માટે ના ક્યારેય નહીં પાડે... ચા માટે એવું કહીએ કે ચા સંબંધો પણ સુધારે છે તો પણ નવાઈ નહીં.. જ્યાં સુધી સવારની ચા નથી મળતી ત્યાં સુધી લોકોના દિવસની શરૂઆત નથી થતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચાને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


રાતની સુસ્તીને વિદારે છે 'ચા'

બ્રશ પછી તરત સંભારે છે 'ચા'...


દ્રોણાચલની સંજીવની છે 'ચા'

સવારે શક્તિને સંચારે છે 'ચા'..


માફક, તેજ, ગળ્યી કે મોળી,

આમ જુદા જુદા પ્રકારે છે 'ચા'...


દોસ્તીમાં એ સહાયક બનતી,

બગડેલા સંબંધ સુધારે છે 'ચા'...


મહેમાનગતિનું માનીતું પીણું,

કડકડતી ભૂખને મારે છે ચા


વ્યસન એવું સહજ થૈ જતું,

એસિડિટીને આવકારે છે ચા


કંટાળો કે બોજ હોય કામનો

શિરદર્દને હંમેશા વિદારે છે ચા


કલિયુગમાં તો દેવી જ સમજો

કદી જમવામાં સથવારે છે ચા



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.