Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયા પર આધારીત રચના - એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી...


  • Published By :
  • Published Date : 2024-05-02 17:06:01

સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વધારે એક્ટિવ થઈ ગયા છે... જેટલી વાતો સામે બેઠેલા માણસ સાથે નથી કરતા તેના કરતા વધારે વાતો દૂર બેઠેલા લોકો સાથે કરતા થઈ ગયા છે.. મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણે કે આપણી આસપાસ શું થાય છે તેની પણ ખબર નથી હોતી... સોશિયલ મીડિયાની અલગ જ દુનિયા હોય તેવું લાગે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાને સમર્પિત એક રચના..  



ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,

છતાં આ ફેસબુક કે વોટ્સએપ છે.


પોસ્ટ ઓફિસ અહીં હોતું નથી,

છતાં લોકો પોસ્ટ કરે છે.


રૂબરુ કોઈને અહીં મળતું નથી,

તોય સૌનું અહીં ગ્રુપ છે.


ભણવાની અહીં કોઈ નિશાળ નથી,

તોયે અહીં એડમીન છે.


કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,

તોય અહીં સૌની પોતાની વોલ છે.


કોઈ પશુ પંખી અહીં હોતાં નથી,

તોય સૌને પોતાની નેટ છે.


કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,

તોયે અહીં એક્ટીવીટી છે.


કોઈપણ અહીં નોકરી તો કરતું નથી,

તોયે દરેકની પ્રોફાઈલ છે.


ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,

તોયે પણ અહીં ચેટ છે.


પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,

તોયે પણ ઈમોજી અનેક છે.


એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,

તોયે લાઈક ડીસલાઈક અનેક છે.


ઝેરોક્ષની અહીં કોઈ એવી દુકાન નથી,

તોયે કોપી પેસ્ટ અનેક છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.