Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયા પર આધારીત રચના - એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી...


  • Published By :
  • Published Date : 2024-05-02 17:06:01

સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વધારે એક્ટિવ થઈ ગયા છે... જેટલી વાતો સામે બેઠેલા માણસ સાથે નથી કરતા તેના કરતા વધારે વાતો દૂર બેઠેલા લોકો સાથે કરતા થઈ ગયા છે.. મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણે કે આપણી આસપાસ શું થાય છે તેની પણ ખબર નથી હોતી... સોશિયલ મીડિયાની અલગ જ દુનિયા હોય તેવું લાગે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાને સમર્પિત એક રચના..  



ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,

છતાં આ ફેસબુક કે વોટ્સએપ છે.


પોસ્ટ ઓફિસ અહીં હોતું નથી,

છતાં લોકો પોસ્ટ કરે છે.


રૂબરુ કોઈને અહીં મળતું નથી,

તોય સૌનું અહીં ગ્રુપ છે.


ભણવાની અહીં કોઈ નિશાળ નથી,

તોયે અહીં એડમીન છે.


કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,

તોય અહીં સૌની પોતાની વોલ છે.


કોઈ પશુ પંખી અહીં હોતાં નથી,

તોય સૌને પોતાની નેટ છે.


કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,

તોયે અહીં એક્ટીવીટી છે.


કોઈપણ અહીં નોકરી તો કરતું નથી,

તોયે દરેકની પ્રોફાઈલ છે.


ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,

તોયે પણ અહીં ચેટ છે.


પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,

તોયે પણ ઈમોજી અનેક છે.


એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,

તોયે લાઈક ડીસલાઈક અનેક છે.


ઝેરોક્ષની અહીં કોઈ એવી દુકાન નથી,

તોયે કોપી પેસ્ટ અનેક છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .