Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયા પર આધારીત રચના - એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 17:06:01

સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વધારે એક્ટિવ થઈ ગયા છે... જેટલી વાતો સામે બેઠેલા માણસ સાથે નથી કરતા તેના કરતા વધારે વાતો દૂર બેઠેલા લોકો સાથે કરતા થઈ ગયા છે.. મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ આપણે કે આપણી આસપાસ શું થાય છે તેની પણ ખબર નથી હોતી... સોશિયલ મીડિયાની અલગ જ દુનિયા હોય તેવું લાગે છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાને સમર્પિત એક રચના..  



ચહેરાની કોઈ ચોપડી હોતી નથી,

છતાં આ ફેસબુક કે વોટ્સએપ છે.


પોસ્ટ ઓફિસ અહીં હોતું નથી,

છતાં લોકો પોસ્ટ કરે છે.


રૂબરુ કોઈને અહીં મળતું નથી,

તોય સૌનું અહીં ગ્રુપ છે.


ભણવાની અહીં કોઈ નિશાળ નથી,

તોયે અહીં એડમીન છે.


કોઈનાં પણ અહીં એવાં મકાન નથી,

તોય અહીં સૌની પોતાની વોલ છે.


કોઈ પશુ પંખી અહીં હોતાં નથી,

તોય સૌને પોતાની નેટ છે.


કામકાજનું અહીં કોઈ કારણ જ નથી,

તોયે અહીં એક્ટીવીટી છે.


કોઈપણ અહીં નોકરી તો કરતું નથી,

તોયે દરેકની પ્રોફાઈલ છે.


ગામનો અહીં કોઈ ચોરો હોતો નથી,

તોયે પણ અહીં ચેટ છે.


પોતાના મોઢાં અહીં કોઈ જોતા નથી,

તોયે પણ ઈમોજી અનેક છે.


એકમેકની અહીં કોઈ ઓળખાણ નથી,

તોયે લાઈક ડીસલાઈક અનેક છે.


ઝેરોક્ષની અહીં કોઈ એવી દુકાન નથી,

તોયે કોપી પેસ્ટ અનેક છે.



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..