Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એવી મોંઘવારી છે....


  • Published By :
  • Published Date : 2024-02-01 16:52:07

અનેક લોકોના મોંઢે તમે સાંભળ્યું હશે કે મોંઘવારી વધી ગઈ છે. વડીલોને કહેતા સાંભળ્યું હશે કે પહેલા આટલા રૂપિયામાં તો અનેક વસ્તુઓ આવી જતી હતી અને હવે તો... જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવાને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. અનાજ પણ મોંઘું થઈ ગયું છે. ભણતર પણ મોંઘું થઈ ગયું છે.  


એવી મોંઘવારી છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે મોંઘવારીને લઈ એક રચના પ્રસ્તુત કરવી છે. એક સમય હતો જ્યારે દસ રૂપિયાની ચ્હામાં અનેક લોકો ચ્હા પી શક્તા હતા પરંતુ હવે દસ રૂપિયાની ચ્હામાં એક કપ ભરાય તો પણ સારૂ ગણવામાં આવે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે. દાળ ચોખા પણ મોંઘા થઈ ગયા છે.


કમર પણ વાંકી વળી જાય એવી મોંઘવારી છે

અને છકકાયે છૂટી જાય એવી મોંઘવારી છે


મળે છે પાંચ રુપિયામાં અડધી ચાયની પ્યાલી

તમારા હોઠ પણ ના ખરડાય એવી મોંઘવારી છે


ગરીબો માટે રોટલા સાથે ખાવા દાળ પણ ક્યાં છે?

બિચારાપાણીમાં બોળી ખાય એવી મોંઘવારી છે


બસો રુપિયાની મોંઘી ઓઢણી લાવી નથી શકતા

હવે ઘરવાળી પણ રીસાય એવી મોંઘવારી છે


નથી સોનું કે ચાંદી ઘરમાં તો પણ ચેતતા રહેજો

હવે તો ખાંડ પણ ચોરાય એવી મોંઘવારી છે


ખીલેથી ભેંસ ગુમ થઈ જાય, ખોખામાંથી મરઘી પણ

તમારૂં બકરૂં કાપી ખાય એવી મોંઘવારી છે


જુઓને પ્યાજ પણ કેવા થયા છે મોંઘા મુન્શીજી 

હવે એ કસ્તુરી કહેવાય એવી મોંઘવારી છે... 

- મુનશી ટંકારવી



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.