Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એવી મોંઘવારી છે....


  • Published By :
  • Published Date : 2024-02-01 16:52:07

અનેક લોકોના મોંઢે તમે સાંભળ્યું હશે કે મોંઘવારી વધી ગઈ છે. વડીલોને કહેતા સાંભળ્યું હશે કે પહેલા આટલા રૂપિયામાં તો અનેક વસ્તુઓ આવી જતી હતી અને હવે તો... જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવાને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. અનાજ પણ મોંઘું થઈ ગયું છે. ભણતર પણ મોંઘું થઈ ગયું છે.  


એવી મોંઘવારી છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે મોંઘવારીને લઈ એક રચના પ્રસ્તુત કરવી છે. એક સમય હતો જ્યારે દસ રૂપિયાની ચ્હામાં અનેક લોકો ચ્હા પી શક્તા હતા પરંતુ હવે દસ રૂપિયાની ચ્હામાં એક કપ ભરાય તો પણ સારૂ ગણવામાં આવે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે. દાળ ચોખા પણ મોંઘા થઈ ગયા છે.


કમર પણ વાંકી વળી જાય એવી મોંઘવારી છે

અને છકકાયે છૂટી જાય એવી મોંઘવારી છે


મળે છે પાંચ રુપિયામાં અડધી ચાયની પ્યાલી

તમારા હોઠ પણ ના ખરડાય એવી મોંઘવારી છે


ગરીબો માટે રોટલા સાથે ખાવા દાળ પણ ક્યાં છે?

બિચારાપાણીમાં બોળી ખાય એવી મોંઘવારી છે


બસો રુપિયાની મોંઘી ઓઢણી લાવી નથી શકતા

હવે ઘરવાળી પણ રીસાય એવી મોંઘવારી છે


નથી સોનું કે ચાંદી ઘરમાં તો પણ ચેતતા રહેજો

હવે તો ખાંડ પણ ચોરાય એવી મોંઘવારી છે


ખીલેથી ભેંસ ગુમ થઈ જાય, ખોખામાંથી મરઘી પણ

તમારૂં બકરૂં કાપી ખાય એવી મોંઘવારી છે


જુઓને પ્યાજ પણ કેવા થયા છે મોંઘા મુન્શીજી 

હવે એ કસ્તુરી કહેવાય એવી મોંઘવારી છે... 

- મુનશી ટંકારવી



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.