Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એવી મોંઘવારી છે....


  • Published By :
  • Published Date : 2024-02-01 16:52:07

અનેક લોકોના મોંઢે તમે સાંભળ્યું હશે કે મોંઘવારી વધી ગઈ છે. વડીલોને કહેતા સાંભળ્યું હશે કે પહેલા આટલા રૂપિયામાં તો અનેક વસ્તુઓ આવી જતી હતી અને હવે તો... જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવાને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. અનાજ પણ મોંઘું થઈ ગયું છે. ભણતર પણ મોંઘું થઈ ગયું છે.  


એવી મોંઘવારી છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે મોંઘવારીને લઈ એક રચના પ્રસ્તુત કરવી છે. એક સમય હતો જ્યારે દસ રૂપિયાની ચ્હામાં અનેક લોકો ચ્હા પી શક્તા હતા પરંતુ હવે દસ રૂપિયાની ચ્હામાં એક કપ ભરાય તો પણ સારૂ ગણવામાં આવે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે. દાળ ચોખા પણ મોંઘા થઈ ગયા છે.


કમર પણ વાંકી વળી જાય એવી મોંઘવારી છે

અને છકકાયે છૂટી જાય એવી મોંઘવારી છે


મળે છે પાંચ રુપિયામાં અડધી ચાયની પ્યાલી

તમારા હોઠ પણ ના ખરડાય એવી મોંઘવારી છે


ગરીબો માટે રોટલા સાથે ખાવા દાળ પણ ક્યાં છે?

બિચારાપાણીમાં બોળી ખાય એવી મોંઘવારી છે


બસો રુપિયાની મોંઘી ઓઢણી લાવી નથી શકતા

હવે ઘરવાળી પણ રીસાય એવી મોંઘવારી છે


નથી સોનું કે ચાંદી ઘરમાં તો પણ ચેતતા રહેજો

હવે તો ખાંડ પણ ચોરાય એવી મોંઘવારી છે


ખીલેથી ભેંસ ગુમ થઈ જાય, ખોખામાંથી મરઘી પણ

તમારૂં બકરૂં કાપી ખાય એવી મોંઘવારી છે


જુઓને પ્યાજ પણ કેવા થયા છે મોંઘા મુન્શીજી 

હવે એ કસ્તુરી કહેવાય એવી મોંઘવારી છે... 

- મુનશી ટંકારવી



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"