Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એવી મોંઘવારી છે....


  • Published By :
  • Published Date : 2024-02-01 16:52:07

અનેક લોકોના મોંઢે તમે સાંભળ્યું હશે કે મોંઘવારી વધી ગઈ છે. વડીલોને કહેતા સાંભળ્યું હશે કે પહેલા આટલા રૂપિયામાં તો અનેક વસ્તુઓ આવી જતી હતી અને હવે તો... જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવાને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. અનાજ પણ મોંઘું થઈ ગયું છે. ભણતર પણ મોંઘું થઈ ગયું છે.  


એવી મોંઘવારી છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે મોંઘવારીને લઈ એક રચના પ્રસ્તુત કરવી છે. એક સમય હતો જ્યારે દસ રૂપિયાની ચ્હામાં અનેક લોકો ચ્હા પી શક્તા હતા પરંતુ હવે દસ રૂપિયાની ચ્હામાં એક કપ ભરાય તો પણ સારૂ ગણવામાં આવે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે. દાળ ચોખા પણ મોંઘા થઈ ગયા છે.


કમર પણ વાંકી વળી જાય એવી મોંઘવારી છે

અને છકકાયે છૂટી જાય એવી મોંઘવારી છે


મળે છે પાંચ રુપિયામાં અડધી ચાયની પ્યાલી

તમારા હોઠ પણ ના ખરડાય એવી મોંઘવારી છે


ગરીબો માટે રોટલા સાથે ખાવા દાળ પણ ક્યાં છે?

બિચારાપાણીમાં બોળી ખાય એવી મોંઘવારી છે


બસો રુપિયાની મોંઘી ઓઢણી લાવી નથી શકતા

હવે ઘરવાળી પણ રીસાય એવી મોંઘવારી છે


નથી સોનું કે ચાંદી ઘરમાં તો પણ ચેતતા રહેજો

હવે તો ખાંડ પણ ચોરાય એવી મોંઘવારી છે


ખીલેથી ભેંસ ગુમ થઈ જાય, ખોખામાંથી મરઘી પણ

તમારૂં બકરૂં કાપી ખાય એવી મોંઘવારી છે


જુઓને પ્યાજ પણ કેવા થયા છે મોંઘા મુન્શીજી 

હવે એ કસ્તુરી કહેવાય એવી મોંઘવારી છે... 

- મુનશી ટંકારવી



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.