Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ?..


  • Published By :
  • Published Date : 2024-05-29 17:33:18

અનેક લોકો એવા હોય છે કે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય છે... જો એક દિવસ તેમને કામ ના મળે તો તે ભોજન નથી કરી શકતા. જ્યારે આવા લોકોને આપણે જોઈએ છીએ ત્યારે તે એકદમ નિખાલસ દેખાતા હોય છે. ઈશ્વર પર તેમને વિશ્વાસ હોય છે.. તે માને છે કે તેમની પાસે નોટો નથી તો શું થયું તેમની પાસે ઈશ્વરરૂપી બેન્ક તો બેઠી છેને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના..  



કોણે કીધું ગરીબ છીએ?

કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા!

આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે,

થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું ?

એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંન્ક બેઠી છે

આપણી માલામાલ,

આજનું ખાણું આજ આપે ને

કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કૈંક મળે જો,

આપણા જેવો સાથ,

સુખદુઃખોની વારતા કે’તા

બાથમાં ભીડી બાથ.


સોનાની તો સાંકડી ગલી,

હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં

જીવતાં જોને પ્રેત!


માનવી ભાળી અમથું અમથું

આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં,

ધૂળિયે મારગ ચાલ!

- મકરંદ દવે



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.