Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ?..


  • Published By :
  • Published Date : 2024-05-29 17:33:18

અનેક લોકો એવા હોય છે કે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય છે... જો એક દિવસ તેમને કામ ના મળે તો તે ભોજન નથી કરી શકતા. જ્યારે આવા લોકોને આપણે જોઈએ છીએ ત્યારે તે એકદમ નિખાલસ દેખાતા હોય છે. ઈશ્વર પર તેમને વિશ્વાસ હોય છે.. તે માને છે કે તેમની પાસે નોટો નથી તો શું થયું તેમની પાસે ઈશ્વરરૂપી બેન્ક તો બેઠી છેને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના..  



કોણે કીધું ગરીબ છીએ?

કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા!

આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે,

થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું ?

એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંન્ક બેઠી છે

આપણી માલામાલ,

આજનું ખાણું આજ આપે ને

કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કૈંક મળે જો,

આપણા જેવો સાથ,

સુખદુઃખોની વારતા કે’તા

બાથમાં ભીડી બાથ.


સોનાની તો સાંકડી ગલી,

હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં

જીવતાં જોને પ્રેત!


માનવી ભાળી અમથું અમથું

આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં,

ધૂળિયે મારગ ચાલ!

- મકરંદ દવે



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."