Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ?..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-29 17:33:18

અનેક લોકો એવા હોય છે કે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય છે... જો એક દિવસ તેમને કામ ના મળે તો તે ભોજન નથી કરી શકતા. જ્યારે આવા લોકોને આપણે જોઈએ છીએ ત્યારે તે એકદમ નિખાલસ દેખાતા હોય છે. ઈશ્વર પર તેમને વિશ્વાસ હોય છે.. તે માને છે કે તેમની પાસે નોટો નથી તો શું થયું તેમની પાસે ઈશ્વરરૂપી બેન્ક તો બેઠી છેને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના..  



કોણે કીધું ગરીબ છીએ?

કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા!

આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે,

થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું ?

એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંન્ક બેઠી છે

આપણી માલામાલ,

આજનું ખાણું આજ આપે ને

કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કૈંક મળે જો,

આપણા જેવો સાથ,

સુખદુઃખોની વારતા કે’તા

બાથમાં ભીડી બાથ.


સોનાની તો સાંકડી ગલી,

હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં

જીવતાં જોને પ્રેત!


માનવી ભાળી અમથું અમથું

આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં,

ધૂળિયે મારગ ચાલ!

- મકરંદ દવે



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.