Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ?..


  • Published By :
  • Published Date : 2024-05-29 17:33:18

અનેક લોકો એવા હોય છે કે જે રોજનું કમાઈને રોજ ખાતા હોય છે... જો એક દિવસ તેમને કામ ના મળે તો તે ભોજન નથી કરી શકતા. જ્યારે આવા લોકોને આપણે જોઈએ છીએ ત્યારે તે એકદમ નિખાલસ દેખાતા હોય છે. ઈશ્વર પર તેમને વિશ્વાસ હોય છે.. તે માને છે કે તેમની પાસે નોટો નથી તો શું થયું તેમની પાસે ઈશ્વરરૂપી બેન્ક તો બેઠી છેને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના..  



કોણે કીધું ગરીબ છીએ?

કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા!

આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે,

થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું ?

એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેંન્ક બેઠી છે

આપણી માલામાલ,

આજનું ખાણું આજ આપે ને

કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કૈંક મળે જો,

આપણા જેવો સાથ,

સુખદુઃખોની વારતા કે’તા

બાથમાં ભીડી બાથ.


સોનાની તો સાંકડી ગલી,

હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં

જીવતાં જોને પ્રેત!


માનવી ભાળી અમથું અમથું

આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં,

ધૂળિયે મારગ ચાલ!

- મકરંદ દવે



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે