Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


  • Published By :
  • Published Date : 2024-01-23 16:19:34

કહેવાય છે કે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણા જીવનમાં અનેક પરિવર્તન આવે છે. પહેલા નાના હોઈએ ત્યારે આપણા કપડા આપણી મમ્મી નક્કી કરતી. આપણે શું ખાઈશું તે પણ મમ્મી નક્કી કરતી. પરંતુ જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ બધુ બદલાતું હોય છે. કોલેજના મિત્રો સાથે જે પહેલા આપણે સમય વીતાવતા હતા તે આજે ઓફિસ colleagues સાથે વિતાવીએ છીએ.  


નોકરી બાદ જીવનમાં આવે છે અનેક પરિવર્તન! 

સાહિત્યના સમીપમાં આજે એક એવી રચના જે વાંચ્યા બાદ કદાચ તમારા મનમાં પણ વિચાર આવશે કે યાર જીવન કેટલું બદલાઈ ગયું છે. નોકરીથી જિંદગીમાં કેવા અને કયા વળાંકો આવે છે તે અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે. આ રચના કોની છે તે ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને નીચે કમેન્ટમાં જણાવો...  


એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


અરે માણસ, માણસ મટીને મશીન કેમ બની ગયો..?

દિલના તાર તોડીને કોમ્પ્યુટરના તાર જોડી બેઠો..!

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો!

પણ કોલેજની સ્વૈરવિહારી જિંદગી ક્યાં ગઈ? 

ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,

પણ આનંદમાં ઘટાડો કેમ થયો?


થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા, 

પણ તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા? 

સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા, 

પણ ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ?


રાત્રે ઓફિસમાં બેઠો બેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!

કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલ ટાંકી, આજકાલ ફૂલ થઈ ગઈ

પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી ગઈ?


ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું,

પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ?

મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું

પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?

 

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

 

જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ

પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?

એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું

પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?


કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું

પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.