Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


  • Published By :
  • Published Date : 2024-01-23 16:19:34

કહેવાય છે કે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણા જીવનમાં અનેક પરિવર્તન આવે છે. પહેલા નાના હોઈએ ત્યારે આપણા કપડા આપણી મમ્મી નક્કી કરતી. આપણે શું ખાઈશું તે પણ મમ્મી નક્કી કરતી. પરંતુ જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ બધુ બદલાતું હોય છે. કોલેજના મિત્રો સાથે જે પહેલા આપણે સમય વીતાવતા હતા તે આજે ઓફિસ colleagues સાથે વિતાવીએ છીએ.  


નોકરી બાદ જીવનમાં આવે છે અનેક પરિવર્તન! 

સાહિત્યના સમીપમાં આજે એક એવી રચના જે વાંચ્યા બાદ કદાચ તમારા મનમાં પણ વિચાર આવશે કે યાર જીવન કેટલું બદલાઈ ગયું છે. નોકરીથી જિંદગીમાં કેવા અને કયા વળાંકો આવે છે તે અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે. આ રચના કોની છે તે ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને નીચે કમેન્ટમાં જણાવો...  


એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


અરે માણસ, માણસ મટીને મશીન કેમ બની ગયો..?

દિલના તાર તોડીને કોમ્પ્યુટરના તાર જોડી બેઠો..!

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો!

પણ કોલેજની સ્વૈરવિહારી જિંદગી ક્યાં ગઈ? 

ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,

પણ આનંદમાં ઘટાડો કેમ થયો?


થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા, 

પણ તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા? 

સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા, 

પણ ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ?


રાત્રે ઓફિસમાં બેઠો બેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!

કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલ ટાંકી, આજકાલ ફૂલ થઈ ગઈ

પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી ગઈ?


ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું,

પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ?

મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું

પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?

 

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

 

જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ

પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?

એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું

પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?


કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું

પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.