Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


  • Published By :
  • Published Date : 2024-01-23 16:19:34

કહેવાય છે કે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણા જીવનમાં અનેક પરિવર્તન આવે છે. પહેલા નાના હોઈએ ત્યારે આપણા કપડા આપણી મમ્મી નક્કી કરતી. આપણે શું ખાઈશું તે પણ મમ્મી નક્કી કરતી. પરંતુ જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ બધુ બદલાતું હોય છે. કોલેજના મિત્રો સાથે જે પહેલા આપણે સમય વીતાવતા હતા તે આજે ઓફિસ colleagues સાથે વિતાવીએ છીએ.  


નોકરી બાદ જીવનમાં આવે છે અનેક પરિવર્તન! 

સાહિત્યના સમીપમાં આજે એક એવી રચના જે વાંચ્યા બાદ કદાચ તમારા મનમાં પણ વિચાર આવશે કે યાર જીવન કેટલું બદલાઈ ગયું છે. નોકરીથી જિંદગીમાં કેવા અને કયા વળાંકો આવે છે તે અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે. આ રચના કોની છે તે ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને નીચે કમેન્ટમાં જણાવો...  


એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


અરે માણસ, માણસ મટીને મશીન કેમ બની ગયો..?

દિલના તાર તોડીને કોમ્પ્યુટરના તાર જોડી બેઠો..!

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો!

પણ કોલેજની સ્વૈરવિહારી જિંદગી ક્યાં ગઈ? 

ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,

પણ આનંદમાં ઘટાડો કેમ થયો?


થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા, 

પણ તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા? 

સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા, 

પણ ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ?


રાત્રે ઓફિસમાં બેઠો બેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!

કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલ ટાંકી, આજકાલ ફૂલ થઈ ગઈ

પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી ગઈ?


ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું,

પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ?

મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું

પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?

 

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

 

જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ

પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?

એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું

પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?


કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું

પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.