Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-23 16:19:34

કહેવાય છે કે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણા જીવનમાં અનેક પરિવર્તન આવે છે. પહેલા નાના હોઈએ ત્યારે આપણા કપડા આપણી મમ્મી નક્કી કરતી. આપણે શું ખાઈશું તે પણ મમ્મી નક્કી કરતી. પરંતુ જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ બધુ બદલાતું હોય છે. કોલેજના મિત્રો સાથે જે પહેલા આપણે સમય વીતાવતા હતા તે આજે ઓફિસ colleagues સાથે વિતાવીએ છીએ.  


નોકરી બાદ જીવનમાં આવે છે અનેક પરિવર્તન! 

સાહિત્યના સમીપમાં આજે એક એવી રચના જે વાંચ્યા બાદ કદાચ તમારા મનમાં પણ વિચાર આવશે કે યાર જીવન કેટલું બદલાઈ ગયું છે. નોકરીથી જિંદગીમાં કેવા અને કયા વળાંકો આવે છે તે અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે. આ રચના કોની છે તે ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને નીચે કમેન્ટમાં જણાવો...  


એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


અરે માણસ, માણસ મટીને મશીન કેમ બની ગયો..?

દિલના તાર તોડીને કોમ્પ્યુટરના તાર જોડી બેઠો..!

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!


શાનદાર નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો!

પણ કોલેજની સ્વૈરવિહારી જિંદગી ક્યાં ગઈ? 

ઝીણાં ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,

પણ આનંદમાં ઘટાડો કેમ થયો?


થોડાંક સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા, 

પણ તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા? 

સમોસાની નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા, 

પણ ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ?


રાત્રે ઓફિસમાં બેઠો બેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો!

કાયમ રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલ ટાંકી, આજકાલ ફૂલ થઈ ગઈ

પણ, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી ગઈ?


ચાની કીટલીનું સ્થાન કાફે કોફી ડે એ લઈ લીધું,

પણ, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ?

મોબાઈલનું પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું

પણ, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?

 

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

 

જનરલ ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ

પણ, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?

એસેમ્બલ કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું

પણ, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?


કોલેજના મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું

પણ, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?

રાત્રે ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !



વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'

થોડા સમય પહેલા સામ પિત્રોડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારે ફરી એક વખત સામ પિત્રોડાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. તેમના નિવેદનના લીધે કોંગ્રેસ પાર્ટી ફરી એક વાર બેકફૂટ પર આવી ગયી છે . કારણ કે ફરી એક વાર સામ પિત્રોડાએ ભારતીયો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

AstraZeneca દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.. છેલ્લા ઘણા સમયથી કોરોના વેક્સિનની ચર્ચાઓ થઈ રહી છે... ભારતમાં આપણે જેને કોરોના વેક્સિન કોવિશિલ્ડ તરીકે જાણીએ તે રસીના તમામ સ્ટોકને કંપનીએ પરત મંગાવી દીધા છે તેવી માહિતી સામે આવી છે..