Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - નશો છે નાશનું મૂળ, જો મનવી થાય એમાં ચકચૂર


  • Published By :
  • Published Date : 2024-04-23 17:03:13

આજકાલ અનેક યુવાનો નશો કરી પોતાની જીંદગીને જાણી જોઈને બરબાદ કરી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક યુવાનોને દારૂનો નશો, બીડીનો નશો કરતા આપણે જોયા છે..  જે લોકો નશો કરે છે તેમને ખબર છે કે નશો કરવાથી તેમના શરીરને નુકસાન પહોંચે છે.. તેમની જીંદગીની ક્ષણો ઓછી થઈ રહી છે.. પરંતુ તો પણ નશો કરે છે.. નશો છોડવા માટે યુવાનોને અપીલ કરવામાં આવતી હોય છે. નશામુક્ત યુવાનો થાય તે માટે અનેક સેન્ટરો ચાલતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં નશો છોડવા માટે  અપીલ કરવામાં આવી રહી છે...


નશો છે નાશનું મૂળ

જો મનવી થાય એમાં ચકચૂર

તો જીંદગી બને છે ધૂળ



નશો છે કંટકનું શૂળ

એમાં છે મનવીનું દસ્તૂર


બીડી. સીગારેટને દારૂનું ભૂત

તે માનવ મનને કરે છે સ્થૂળ


વળગે જો મનવી એને મગદૂર

તો ખોવાય જાય આ દેશનું નૂર


આજે સૌને ચડ્યું છે તેનું ઝનુન

પણ નશો કરે છે મનેખને મજબૂર


શોણિતને સમાવનારૂં છે આ મૂળ

ભાણની ભૂમિકામાં ઓછો છે તેનો શૂર


કંઈ કેટલાયે ઉજ્જર થયા છે ફૂળ

એકમાત્ર નશાનું સેવન છે મૂળ


હે મનવી! નશામાં તુ ના ડૂબ

એ તો છે તમારી મોટી ભૂલ

- અજ્ઞાત



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે