Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - નશો છે નાશનું મૂળ, જો મનવી થાય એમાં ચકચૂર


  • Published By :
  • Published Date : 2024-04-23 17:03:13

આજકાલ અનેક યુવાનો નશો કરી પોતાની જીંદગીને જાણી જોઈને બરબાદ કરી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક યુવાનોને દારૂનો નશો, બીડીનો નશો કરતા આપણે જોયા છે..  જે લોકો નશો કરે છે તેમને ખબર છે કે નશો કરવાથી તેમના શરીરને નુકસાન પહોંચે છે.. તેમની જીંદગીની ક્ષણો ઓછી થઈ રહી છે.. પરંતુ તો પણ નશો કરે છે.. નશો છોડવા માટે યુવાનોને અપીલ કરવામાં આવતી હોય છે. નશામુક્ત યુવાનો થાય તે માટે અનેક સેન્ટરો ચાલતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં નશો છોડવા માટે  અપીલ કરવામાં આવી રહી છે...


નશો છે નાશનું મૂળ

જો મનવી થાય એમાં ચકચૂર

તો જીંદગી બને છે ધૂળ



નશો છે કંટકનું શૂળ

એમાં છે મનવીનું દસ્તૂર


બીડી. સીગારેટને દારૂનું ભૂત

તે માનવ મનને કરે છે સ્થૂળ


વળગે જો મનવી એને મગદૂર

તો ખોવાય જાય આ દેશનું નૂર


આજે સૌને ચડ્યું છે તેનું ઝનુન

પણ નશો કરે છે મનેખને મજબૂર


શોણિતને સમાવનારૂં છે આ મૂળ

ભાણની ભૂમિકામાં ઓછો છે તેનો શૂર


કંઈ કેટલાયે ઉજ્જર થયા છે ફૂળ

એકમાત્ર નશાનું સેવન છે મૂળ


હે મનવી! નશામાં તુ ના ડૂબ

એ તો છે તમારી મોટી ભૂલ

- અજ્ઞાત



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.