Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - નશો છે નાશનું મૂળ, જો મનવી થાય એમાં ચકચૂર


  • Published By :
  • Published Date : 2024-04-23 17:03:13

આજકાલ અનેક યુવાનો નશો કરી પોતાની જીંદગીને જાણી જોઈને બરબાદ કરી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક યુવાનોને દારૂનો નશો, બીડીનો નશો કરતા આપણે જોયા છે..  જે લોકો નશો કરે છે તેમને ખબર છે કે નશો કરવાથી તેમના શરીરને નુકસાન પહોંચે છે.. તેમની જીંદગીની ક્ષણો ઓછી થઈ રહી છે.. પરંતુ તો પણ નશો કરે છે.. નશો છોડવા માટે યુવાનોને અપીલ કરવામાં આવતી હોય છે. નશામુક્ત યુવાનો થાય તે માટે અનેક સેન્ટરો ચાલતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં નશો છોડવા માટે  અપીલ કરવામાં આવી રહી છે...


નશો છે નાશનું મૂળ

જો મનવી થાય એમાં ચકચૂર

તો જીંદગી બને છે ધૂળ



નશો છે કંટકનું શૂળ

એમાં છે મનવીનું દસ્તૂર


બીડી. સીગારેટને દારૂનું ભૂત

તે માનવ મનને કરે છે સ્થૂળ


વળગે જો મનવી એને મગદૂર

તો ખોવાય જાય આ દેશનું નૂર


આજે સૌને ચડ્યું છે તેનું ઝનુન

પણ નશો કરે છે મનેખને મજબૂર


શોણિતને સમાવનારૂં છે આ મૂળ

ભાણની ભૂમિકામાં ઓછો છે તેનો શૂર


કંઈ કેટલાયે ઉજ્જર થયા છે ફૂળ

એકમાત્ર નશાનું સેવન છે મૂળ


હે મનવી! નશામાં તુ ના ડૂબ

એ તો છે તમારી મોટી ભૂલ

- અજ્ઞાત



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે