Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બાકી કેમ ચાલે છે?


  • Published By :
  • Published Date : 2024-06-28 16:50:29

આપણને બીજા સાથે વાત કરતા આવડે છે પરંતુ જાત સાથે કેવી રીતે વાત કરવી તે આપણને નથી આવડતું. આપણે બીજાને પૂછીએ છીએ કે તબિયત કેવી છે, જીંદગી કેવી ચાલે છે પરંતુ આપણે પોતાની જાતને નથી પૂછતા કે દોસ્ત તું કેમ છે? જવાબદારીઓના બોજ તળે જીંદગી કેવી ચાલે છે તે નથી પૂછતા.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રોજ પૂછે સૌ કોઈ.. આ રચના કોની છે તે અમને ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


રોજ પૂછે સૌ કોઈ, બાકી કેમ ચાલે છે?

આજે મારે મને પૂછવું છે, કેમ ચાલે છે?


ખબર અંતર જાતની પૂછી ખુદને મળવું,

અંદર ઝાંકી દિલને પૂછવું, કેમ ચાલે છે?


એક ઘર છોડ્યું અને એક ઘર સંભાળ્યું,

જવાબદારીઓના બોજ તળે, કેમ ચાલે છે?


હતી બૌ અલ્લડ તું તો ઉછળકુદ કરતી,

સુવર્ણ ભીનો પાલવ પૂછે છે, કેમ ચાલે છે?


સવાલ પોતાના અને જવાબ પણ પોતાના

કહીને કોઈને શું કરવાનું કે કેમ ચાલે છે?



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .