Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બાકી કેમ ચાલે છે?


  • Published By :
  • Published Date : 2024-06-28 16:50:29

આપણને બીજા સાથે વાત કરતા આવડે છે પરંતુ જાત સાથે કેવી રીતે વાત કરવી તે આપણને નથી આવડતું. આપણે બીજાને પૂછીએ છીએ કે તબિયત કેવી છે, જીંદગી કેવી ચાલે છે પરંતુ આપણે પોતાની જાતને નથી પૂછતા કે દોસ્ત તું કેમ છે? જવાબદારીઓના બોજ તળે જીંદગી કેવી ચાલે છે તે નથી પૂછતા.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રોજ પૂછે સૌ કોઈ.. આ રચના કોની છે તે અમને ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


રોજ પૂછે સૌ કોઈ, બાકી કેમ ચાલે છે?

આજે મારે મને પૂછવું છે, કેમ ચાલે છે?


ખબર અંતર જાતની પૂછી ખુદને મળવું,

અંદર ઝાંકી દિલને પૂછવું, કેમ ચાલે છે?


એક ઘર છોડ્યું અને એક ઘર સંભાળ્યું,

જવાબદારીઓના બોજ તળે, કેમ ચાલે છે?


હતી બૌ અલ્લડ તું તો ઉછળકુદ કરતી,

સુવર્ણ ભીનો પાલવ પૂછે છે, કેમ ચાલે છે?


સવાલ પોતાના અને જવાબ પણ પોતાના

કહીને કોઈને શું કરવાનું કે કેમ ચાલે છે?



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.