Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બાકી કેમ ચાલે છે?


  • Published By :
  • Published Date : 2024-06-28 16:50:29

આપણને બીજા સાથે વાત કરતા આવડે છે પરંતુ જાત સાથે કેવી રીતે વાત કરવી તે આપણને નથી આવડતું. આપણે બીજાને પૂછીએ છીએ કે તબિયત કેવી છે, જીંદગી કેવી ચાલે છે પરંતુ આપણે પોતાની જાતને નથી પૂછતા કે દોસ્ત તું કેમ છે? જવાબદારીઓના બોજ તળે જીંદગી કેવી ચાલે છે તે નથી પૂછતા.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રોજ પૂછે સૌ કોઈ.. આ રચના કોની છે તે અમને ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..   


રોજ પૂછે સૌ કોઈ, બાકી કેમ ચાલે છે?

આજે મારે મને પૂછવું છે, કેમ ચાલે છે?


ખબર અંતર જાતની પૂછી ખુદને મળવું,

અંદર ઝાંકી દિલને પૂછવું, કેમ ચાલે છે?


એક ઘર છોડ્યું અને એક ઘર સંભાળ્યું,

જવાબદારીઓના બોજ તળે, કેમ ચાલે છે?


હતી બૌ અલ્લડ તું તો ઉછળકુદ કરતી,

સુવર્ણ ભીનો પાલવ પૂછે છે, કેમ ચાલે છે?


સવાલ પોતાના અને જવાબ પણ પોતાના

કહીને કોઈને શું કરવાનું કે કેમ ચાલે છે?



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.