Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારની રચના - કાળા બજારીઓનો...


  • Published By :
  • Published Date : 2024-08-31 16:39:33

ભ્રષ્ટાચારના મુળીયા આપણી સિસ્ટમમાં એ હદે ફેલાયેલા છે કે તેનો જડમૂળથી નાશ કરવો જાણે અસંભવ થઈ ગયો છે. આજ કાલ તો જાણે ભ્રષ્ટાચાર કરવાની ફેશન થઈ ગઈ હોય તેવું લાગે છે. જો કોઈ ભ્રષ્ટાચાર કરવાની ના પાડે છે તો લોકો તેને મુર્ખ સમજે છે.. નાની વાતમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પૈસા કમાવાની એટલી બધી લાલચ થઈ ગઈ છે કે લોકોના જીવને જોખમમાં મૂકતા પહેલા વિચારતા પણ નથી. પૈસા મળે છે ને એવું વિચારે છે.. ભ્રષ્ટાચાર કરનાર વિશે આપણે વાત કરીએ છીએ પરંતુ જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તેના વિશે વાત નથી કરતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારને લઈ લખાયેલી રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


કાળા બજારીઓનો ધંધો ચાલે જોરદાર

મહેનત કરતા માનવીનો પરસેવાની ધાર


ઠંડા ઘરમાં બેસી કમાય રૂપિયા હજાર

ફૂટપાથ પર ગરીબોની લાંબી કતાર


તાર તાર જીંદગી અશ્રુઓની ધાર

કોને પડી ગરીબોની, જીવો શાનદાર


પ્રામાણિકતાની વાત હવે થઈ નામશેષ

મલિન લોક ધરે શાલીનતાનો વેશ


ભ્રષ્ટાચારીઓએ કેમ જાણ આવું કરે કામ?

આપણે જ આપીએ ખુરશી નીચેથી દામ



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.