Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ઉત્સાહનો એક શબ્દ કહેતાં....


  • Published By :
  • Published Date : 2024-02-17 17:59:48

સમય કોઈના માટે નથી રોકાતો... તે આપણે જાણીએ છીએ. ક્ષણ દુખનો હોય કે ખુશીનો હોય તે વીતિ જાય છે. અનેક લોકો ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડી દેતા હોય છે. વર્તમાનના ક્ષણને માણવાની જગ્યાએ તે વ્યક્તિઓ કાં તો ભૂતકાળમાં જીવે છે અથવા તો ભવિષ્યમાં જીવે. આપણા જીવનમાં એક ક્ષણની ખુબ મહત્તા છે. એક ક્ષણમાં આપણને દુખી થઈ જતા હોઈએ છીએ તો બીજા ક્ષણમાં આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના -  



ઉત્સાહનો એક શબ્દ કહેતાં


ઉત્સાહનો એક શબ્દ કહેતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


ઝરતા આંસુને લૂછવા માટે

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મદદ માટે હાથ લંબાવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


સમજવાનો પ્રયત્ન કરવા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મિત્ર મેળવતાં ને તેને જાળવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇ ભાંગેલા હૈયાને સાંધતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇનો દિવસ ઉજાળતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


તો પછી, આ જ ક્ષણને જડી દ્યો

… તે સરકી જાય તે પહેલાં.


– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.