Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ઉત્સાહનો એક શબ્દ કહેતાં....


  • Published By :
  • Published Date : 2024-02-17 17:59:48

સમય કોઈના માટે નથી રોકાતો... તે આપણે જાણીએ છીએ. ક્ષણ દુખનો હોય કે ખુશીનો હોય તે વીતિ જાય છે. અનેક લોકો ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડી દેતા હોય છે. વર્તમાનના ક્ષણને માણવાની જગ્યાએ તે વ્યક્તિઓ કાં તો ભૂતકાળમાં જીવે છે અથવા તો ભવિષ્યમાં જીવે. આપણા જીવનમાં એક ક્ષણની ખુબ મહત્તા છે. એક ક્ષણમાં આપણને દુખી થઈ જતા હોઈએ છીએ તો બીજા ક્ષણમાં આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના -  



ઉત્સાહનો એક શબ્દ કહેતાં


ઉત્સાહનો એક શબ્દ કહેતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


ઝરતા આંસુને લૂછવા માટે

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મદદ માટે હાથ લંબાવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


સમજવાનો પ્રયત્ન કરવા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મિત્ર મેળવતાં ને તેને જાળવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇ ભાંગેલા હૈયાને સાંધતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇનો દિવસ ઉજાળતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


તો પછી, આ જ ક્ષણને જડી દ્યો

… તે સરકી જાય તે પહેલાં.


– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"