Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ઉત્સાહનો એક શબ્દ કહેતાં....


  • Published By :
  • Published Date : 2024-02-17 17:59:48

સમય કોઈના માટે નથી રોકાતો... તે આપણે જાણીએ છીએ. ક્ષણ દુખનો હોય કે ખુશીનો હોય તે વીતિ જાય છે. અનેક લોકો ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડી દેતા હોય છે. વર્તમાનના ક્ષણને માણવાની જગ્યાએ તે વ્યક્તિઓ કાં તો ભૂતકાળમાં જીવે છે અથવા તો ભવિષ્યમાં જીવે. આપણા જીવનમાં એક ક્ષણની ખુબ મહત્તા છે. એક ક્ષણમાં આપણને દુખી થઈ જતા હોઈએ છીએ તો બીજા ક્ષણમાં આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના -  



ઉત્સાહનો એક શબ્દ કહેતાં


ઉત્સાહનો એક શબ્દ કહેતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


ઝરતા આંસુને લૂછવા માટે

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મદદ માટે હાથ લંબાવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


સમજવાનો પ્રયત્ન કરવા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


મિત્ર મેળવતાં ને તેને જાળવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇ ભાંગેલા હૈયાને સાંધતા

માત્ર એક જ ક્ષણ લાગે છે;


કોઇનો દિવસ ઉજાળતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે;


તો પછી, આ જ ક્ષણને જડી દ્યો

… તે સરકી જાય તે પહેલાં.


– ફિલિપ સી. માઇકેલ (અનુ. જગદીશ જોષી)



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે