Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:39:12

સામાન્ય રીતે નાના બાળકોને માતાઓ કાનુડો કહેતી હોય છે... કૃષ્ણ આ શબ્દમાં જ આકર્ષણ છે.... ભગવાન નારાયણનો તેમને અવતાર માનવામાં આવે છે.. ભગવાન હોવા છતાંય તેમણે જીવનમાં અનેક દુ:ખો વેઠ્યા છે.. જનમતાની સાથે જ તેમને પોતાના સગા માતા-પિતાને છોડવાનો વારો આવ્યો.. તે બાદ માતા યશોદાને, રાધાને છોડવાનો વારો આવ્યો..! ભગવાન શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરૂષોત્તમ કહીએ છીએ પરંતુ શ્રીકૃષ્ણને પણ અનેક વિરહ સહેવાનો વારો આવ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનને સમર્પિત એક રચના.... 


આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...  


આખુ જગ જેની મોરલીના સૂરનો દિવાનો છે

એ કાનુડો દિવાનો છે રાધાના પ્રેમનો


દરેક ભારથી જેણે લોકોને મુક્ત કર્યા છે

એ કાનુડો જીવે છે રાધાના વિરહનો ભાર લઈને...


દર્શન માત્રથી જેના માણસ વૈકંઠ પામે છે

એ કાનુડો તરસે છે એના મિત્રના દર્શનને..


આખો ગોવર્ધન પર્વત જેણે ઉપાડ્યો છે,

એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળનો વિનાશ...


મહાભારતમાં જેણે સમયને રોકીને રાખ્યો છે,

એ કાનુડા ના રોકી શક્યો પોતાની મૃત્યુને...


વિષ્ણુનો અવતાર થઈને જેને જન્મ લીધો છે,

આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.