Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:39:12

સામાન્ય રીતે નાના બાળકોને માતાઓ કાનુડો કહેતી હોય છે... કૃષ્ણ આ શબ્દમાં જ આકર્ષણ છે.... ભગવાન નારાયણનો તેમને અવતાર માનવામાં આવે છે.. ભગવાન હોવા છતાંય તેમણે જીવનમાં અનેક દુ:ખો વેઠ્યા છે.. જનમતાની સાથે જ તેમને પોતાના સગા માતા-પિતાને છોડવાનો વારો આવ્યો.. તે બાદ માતા યશોદાને, રાધાને છોડવાનો વારો આવ્યો..! ભગવાન શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરૂષોત્તમ કહીએ છીએ પરંતુ શ્રીકૃષ્ણને પણ અનેક વિરહ સહેવાનો વારો આવ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનને સમર્પિત એક રચના.... 


આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...  


આખુ જગ જેની મોરલીના સૂરનો દિવાનો છે

એ કાનુડો દિવાનો છે રાધાના પ્રેમનો


દરેક ભારથી જેણે લોકોને મુક્ત કર્યા છે

એ કાનુડો જીવે છે રાધાના વિરહનો ભાર લઈને...


દર્શન માત્રથી જેના માણસ વૈકંઠ પામે છે

એ કાનુડો તરસે છે એના મિત્રના દર્શનને..


આખો ગોવર્ધન પર્વત જેણે ઉપાડ્યો છે,

એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળનો વિનાશ...


મહાભારતમાં જેણે સમયને રોકીને રાખ્યો છે,

એ કાનુડા ના રોકી શક્યો પોતાની મૃત્યુને...


વિષ્ણુનો અવતાર થઈને જેને જન્મ લીધો છે,

આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.