Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:39:12

સામાન્ય રીતે નાના બાળકોને માતાઓ કાનુડો કહેતી હોય છે... કૃષ્ણ આ શબ્દમાં જ આકર્ષણ છે.... ભગવાન નારાયણનો તેમને અવતાર માનવામાં આવે છે.. ભગવાન હોવા છતાંય તેમણે જીવનમાં અનેક દુ:ખો વેઠ્યા છે.. જનમતાની સાથે જ તેમને પોતાના સગા માતા-પિતાને છોડવાનો વારો આવ્યો.. તે બાદ માતા યશોદાને, રાધાને છોડવાનો વારો આવ્યો..! ભગવાન શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરૂષોત્તમ કહીએ છીએ પરંતુ શ્રીકૃષ્ણને પણ અનેક વિરહ સહેવાનો વારો આવ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનને સમર્પિત એક રચના.... 


આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...  


આખુ જગ જેની મોરલીના સૂરનો દિવાનો છે

એ કાનુડો દિવાનો છે રાધાના પ્રેમનો


દરેક ભારથી જેણે લોકોને મુક્ત કર્યા છે

એ કાનુડો જીવે છે રાધાના વિરહનો ભાર લઈને...


દર્શન માત્રથી જેના માણસ વૈકંઠ પામે છે

એ કાનુડો તરસે છે એના મિત્રના દર્શનને..


આખો ગોવર્ધન પર્વત જેણે ઉપાડ્યો છે,

એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળનો વિનાશ...


મહાભારતમાં જેણે સમયને રોકીને રાખ્યો છે,

એ કાનુડા ના રોકી શક્યો પોતાની મૃત્યુને...


વિષ્ણુનો અવતાર થઈને જેને જન્મ લીધો છે,

આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે