Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:39:12

સામાન્ય રીતે નાના બાળકોને માતાઓ કાનુડો કહેતી હોય છે... કૃષ્ણ આ શબ્દમાં જ આકર્ષણ છે.... ભગવાન નારાયણનો તેમને અવતાર માનવામાં આવે છે.. ભગવાન હોવા છતાંય તેમણે જીવનમાં અનેક દુ:ખો વેઠ્યા છે.. જનમતાની સાથે જ તેમને પોતાના સગા માતા-પિતાને છોડવાનો વારો આવ્યો.. તે બાદ માતા યશોદાને, રાધાને છોડવાનો વારો આવ્યો..! ભગવાન શ્રી કૃષ્ણને આપણે પૂર્ણ પુરૂષોત્તમ કહીએ છીએ પરંતુ શ્રીકૃષ્ણને પણ અનેક વિરહ સહેવાનો વારો આવ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે કૃષ્ણ ભગવાનને સમર્પિત એક રચના.... 


આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...  


આખુ જગ જેની મોરલીના સૂરનો દિવાનો છે

એ કાનુડો દિવાનો છે રાધાના પ્રેમનો


દરેક ભારથી જેણે લોકોને મુક્ત કર્યા છે

એ કાનુડો જીવે છે રાધાના વિરહનો ભાર લઈને...


દર્શન માત્રથી જેના માણસ વૈકંઠ પામે છે

એ કાનુડો તરસે છે એના મિત્રના દર્શનને..


આખો ગોવર્ધન પર્વત જેણે ઉપાડ્યો છે,

એ કાનુડો રોકી ના શક્યો પોતાના કુળનો વિનાશ...


મહાભારતમાં જેણે સમયને રોકીને રાખ્યો છે,

એ કાનુડા ના રોકી શક્યો પોતાની મૃત્યુને...


વિષ્ણુનો અવતાર થઈને જેને જન્મ લીધો છે,

આ કાનુડો જીવી ગયો આ સંસારમાં માણસ થઈને...




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.