Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના - શું બોલીએ?


  • Published By :
  • Published Date : 2024-06-12 16:07:04

અનેક વખત એવું બનતું હોય છે કે વાતો ઘણી કરવી હોય પરંતુ શું બોલીએ તેની ખબર નથી પડતી. શબ્દો કયા બોલવા તેની ખબર પણ ના પડે.. શું બોલીએ તેનો વિચાર કરવો પડે.. શબ્દો બોલાય નહીં અને મૌન સમજાય નહીં ત્યારે શું બોલીએ? સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના શું બોલીએ.. 



શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?

ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?


બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત

આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?


આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા

બહુ બહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ ?


ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા

શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?


બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી

એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?


લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ

એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

    

- રમેશ પારેખ 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .