Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના - શું બોલીએ?


  • Published By :
  • Published Date : 2024-06-12 16:07:04

અનેક વખત એવું બનતું હોય છે કે વાતો ઘણી કરવી હોય પરંતુ શું બોલીએ તેની ખબર નથી પડતી. શબ્દો કયા બોલવા તેની ખબર પણ ના પડે.. શું બોલીએ તેનો વિચાર કરવો પડે.. શબ્દો બોલાય નહીં અને મૌન સમજાય નહીં ત્યારે શું બોલીએ? સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના શું બોલીએ.. 



શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?

ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?


બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત

આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?


આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા

બહુ બહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ ?


ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા

શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?


બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી

એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?


લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ

એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

    

- રમેશ પારેખ 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.