Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના - શું બોલીએ?


  • Published By :
  • Published Date : 2024-06-12 16:07:04

અનેક વખત એવું બનતું હોય છે કે વાતો ઘણી કરવી હોય પરંતુ શું બોલીએ તેની ખબર નથી પડતી. શબ્દો કયા બોલવા તેની ખબર પણ ના પડે.. શું બોલીએ તેનો વિચાર કરવો પડે.. શબ્દો બોલાય નહીં અને મૌન સમજાય નહીં ત્યારે શું બોલીએ? સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના શું બોલીએ.. 



શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?

ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?


બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત

આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?


આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા

બહુ બહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ ?


ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા

શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?


બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી

એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?


લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ

એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

    

- રમેશ પારેખ 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"