Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો એક એવી રચના જે છે સંબંધો પર રચાયેલી...


  • Published By :
  • Published Date : 2024-01-06 17:55:01

આજે સાહિત્યના સમીપમાં વાંચો એક રચના જે સંબંધોના મહત્વને સમજાવશે. આપણ દરેકના જીવનમાં સંબંધનું વિશેષ સ્થાન હોય છે. વ્યક્તિ પ્રમાણે આપણો વ્યવહાર બદલાય છે. દરેક સંબંધોને નામ આપવાની જરૂર પણ નથી હોતી. દરેક સંબંધમાં થોડો ફરક મળે છે. આપણા વર્તન પર ઘણી વખત એ નિર્ભર રહેલો હોય છે કે સામે વાળી વ્યક્તિ સાથે આપણા સંબંધો આગળ વધશે કે નહીં.... 



સંબંધો વિશે સમજાવે છે કવિતા! 

કોઈ સંબંધ એવા હશે જે તમારા ઘાવને ભીના કરી જશે તો કોઈ સંબંધ મલમનું કામ કરશે. જો સંબંધ સ્નેહથી નિભાવશો તો પણ ક્યાંક દુર્યોદન ને ક્યાંક સુદામો મળશે. સોશિયલ મીડિયા પર જ્યારે સર્ચ કરી રહ્યા હતા ત્યારે આ કવિતા મળી. જીવનના મર્મને સમજાવતી હતી એટલે થયું દર્શકો સાથે શેર કરીએ. જો તમને આ રચના કોણે કરી છે તેનો ખ્યાલ હોય તો અમને કમેન્ટમાં જણાવો અને જીવનમાં જમાવટ કરતા રહો....   


સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

ક્યાંક ઉજરડા તો

ક્યાંક મલમ મળશે . . .


નિભાવશો સંબંધ સ્નેહથી તો પણ ક્યાંક દુર્યોધન ને ક્યાંક સુદામો મળશે 


ઉંમરને હરાવી હોય તો શોખ જીવતા રાખો . .

સાંભળ્યું છે કે હૃદય પર કરચલીઓ નથી પડતી . . .


બે પળની છે જીંદગી , તોય જીવાતી નથી .

એક પળ ખોવાઇ ગઇ છે , બીજી સચવાતી નથી . . . !!


પત્તામાં જોકર અને અંગતની ઠોકર

હમેશાં બાજી પલ્ટી નાખે છે . . . !!


અસ્તિત્વ પર ઘણાં

" ઉઝરડા " થાય છે

ત્યારે એક માણસ

" સમજદાર " થાય છે . . . .



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.