Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો એક એવી રચના જે છે સંબંધો પર રચાયેલી...


  • Published By :
  • Published Date : 2024-01-06 17:55:01

આજે સાહિત્યના સમીપમાં વાંચો એક રચના જે સંબંધોના મહત્વને સમજાવશે. આપણ દરેકના જીવનમાં સંબંધનું વિશેષ સ્થાન હોય છે. વ્યક્તિ પ્રમાણે આપણો વ્યવહાર બદલાય છે. દરેક સંબંધોને નામ આપવાની જરૂર પણ નથી હોતી. દરેક સંબંધમાં થોડો ફરક મળે છે. આપણા વર્તન પર ઘણી વખત એ નિર્ભર રહેલો હોય છે કે સામે વાળી વ્યક્તિ સાથે આપણા સંબંધો આગળ વધશે કે નહીં.... 



સંબંધો વિશે સમજાવે છે કવિતા! 

કોઈ સંબંધ એવા હશે જે તમારા ઘાવને ભીના કરી જશે તો કોઈ સંબંધ મલમનું કામ કરશે. જો સંબંધ સ્નેહથી નિભાવશો તો પણ ક્યાંક દુર્યોદન ને ક્યાંક સુદામો મળશે. સોશિયલ મીડિયા પર જ્યારે સર્ચ કરી રહ્યા હતા ત્યારે આ કવિતા મળી. જીવનના મર્મને સમજાવતી હતી એટલે થયું દર્શકો સાથે શેર કરીએ. જો તમને આ રચના કોણે કરી છે તેનો ખ્યાલ હોય તો અમને કમેન્ટમાં જણાવો અને જીવનમાં જમાવટ કરતા રહો....   


સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

ક્યાંક ઉજરડા તો

ક્યાંક મલમ મળશે . . .


નિભાવશો સંબંધ સ્નેહથી તો પણ ક્યાંક દુર્યોધન ને ક્યાંક સુદામો મળશે 


ઉંમરને હરાવી હોય તો શોખ જીવતા રાખો . .

સાંભળ્યું છે કે હૃદય પર કરચલીઓ નથી પડતી . . .


બે પળની છે જીંદગી , તોય જીવાતી નથી .

એક પળ ખોવાઇ ગઇ છે , બીજી સચવાતી નથી . . . !!


પત્તામાં જોકર અને અંગતની ઠોકર

હમેશાં બાજી પલ્ટી નાખે છે . . . !!


અસ્તિત્વ પર ઘણાં

" ઉઝરડા " થાય છે

ત્યારે એક માણસ

" સમજદાર " થાય છે . . . .



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે