Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો એક એવી રચના જે છે સંબંધો પર રચાયેલી...


  • Published By :
  • Published Date : 2024-01-06 17:55:01

આજે સાહિત્યના સમીપમાં વાંચો એક રચના જે સંબંધોના મહત્વને સમજાવશે. આપણ દરેકના જીવનમાં સંબંધનું વિશેષ સ્થાન હોય છે. વ્યક્તિ પ્રમાણે આપણો વ્યવહાર બદલાય છે. દરેક સંબંધોને નામ આપવાની જરૂર પણ નથી હોતી. દરેક સંબંધમાં થોડો ફરક મળે છે. આપણા વર્તન પર ઘણી વખત એ નિર્ભર રહેલો હોય છે કે સામે વાળી વ્યક્તિ સાથે આપણા સંબંધો આગળ વધશે કે નહીં.... 



સંબંધો વિશે સમજાવે છે કવિતા! 

કોઈ સંબંધ એવા હશે જે તમારા ઘાવને ભીના કરી જશે તો કોઈ સંબંધ મલમનું કામ કરશે. જો સંબંધ સ્નેહથી નિભાવશો તો પણ ક્યાંક દુર્યોદન ને ક્યાંક સુદામો મળશે. સોશિયલ મીડિયા પર જ્યારે સર્ચ કરી રહ્યા હતા ત્યારે આ કવિતા મળી. જીવનના મર્મને સમજાવતી હતી એટલે થયું દર્શકો સાથે શેર કરીએ. જો તમને આ રચના કોણે કરી છે તેનો ખ્યાલ હોય તો અમને કમેન્ટમાં જણાવો અને જીવનમાં જમાવટ કરતા રહો....   


સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

ક્યાંક ઉજરડા તો

ક્યાંક મલમ મળશે . . .


નિભાવશો સંબંધ સ્નેહથી તો પણ ક્યાંક દુર્યોધન ને ક્યાંક સુદામો મળશે 


ઉંમરને હરાવી હોય તો શોખ જીવતા રાખો . .

સાંભળ્યું છે કે હૃદય પર કરચલીઓ નથી પડતી . . .


બે પળની છે જીંદગી , તોય જીવાતી નથી .

એક પળ ખોવાઇ ગઇ છે , બીજી સચવાતી નથી . . . !!


પત્તામાં જોકર અને અંગતની ઠોકર

હમેશાં બાજી પલ્ટી નાખે છે . . . !!


અસ્તિત્વ પર ઘણાં

" ઉઝરડા " થાય છે

ત્યારે એક માણસ

" સમજદાર " થાય છે . . . .



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.