Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો એક એવી રચના જે છે સંબંધો પર રચાયેલી...


  • Published By :
  • Published Date : 2024-01-06 17:55:01

આજે સાહિત્યના સમીપમાં વાંચો એક રચના જે સંબંધોના મહત્વને સમજાવશે. આપણ દરેકના જીવનમાં સંબંધનું વિશેષ સ્થાન હોય છે. વ્યક્તિ પ્રમાણે આપણો વ્યવહાર બદલાય છે. દરેક સંબંધોને નામ આપવાની જરૂર પણ નથી હોતી. દરેક સંબંધમાં થોડો ફરક મળે છે. આપણા વર્તન પર ઘણી વખત એ નિર્ભર રહેલો હોય છે કે સામે વાળી વ્યક્તિ સાથે આપણા સંબંધો આગળ વધશે કે નહીં.... 



સંબંધો વિશે સમજાવે છે કવિતા! 

કોઈ સંબંધ એવા હશે જે તમારા ઘાવને ભીના કરી જશે તો કોઈ સંબંધ મલમનું કામ કરશે. જો સંબંધ સ્નેહથી નિભાવશો તો પણ ક્યાંક દુર્યોદન ને ક્યાંક સુદામો મળશે. સોશિયલ મીડિયા પર જ્યારે સર્ચ કરી રહ્યા હતા ત્યારે આ કવિતા મળી. જીવનના મર્મને સમજાવતી હતી એટલે થયું દર્શકો સાથે શેર કરીએ. જો તમને આ રચના કોણે કરી છે તેનો ખ્યાલ હોય તો અમને કમેન્ટમાં જણાવો અને જીવનમાં જમાવટ કરતા રહો....   


સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

સંબંધે સંબંધે . .થોડો ફરક મળશે

ક્યાંક ઉજરડા તો

ક્યાંક મલમ મળશે . . .


નિભાવશો સંબંધ સ્નેહથી તો પણ ક્યાંક દુર્યોધન ને ક્યાંક સુદામો મળશે 


ઉંમરને હરાવી હોય તો શોખ જીવતા રાખો . .

સાંભળ્યું છે કે હૃદય પર કરચલીઓ નથી પડતી . . .


બે પળની છે જીંદગી , તોય જીવાતી નથી .

એક પળ ખોવાઇ ગઇ છે , બીજી સચવાતી નથી . . . !!


પત્તામાં જોકર અને અંગતની ઠોકર

હમેશાં બાજી પલ્ટી નાખે છે . . . !!


અસ્તિત્વ પર ઘણાં

" ઉઝરડા " થાય છે

ત્યારે એક માણસ

" સમજદાર " થાય છે . . . .



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.