Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,


  • Published By :
  • Published Date : 2024-06-06 15:51:47

ઈશ્વરમાં શ્રદ્ધા રાખી અનેક લોકો જીવતા હોય છે.. આપણો દેશ શ્રદ્ધા પર ટકેલો દેશ છે તેવી વાત અનેક વખત આપણે કરતા હોઈએ છીએ.. સારો પ્રસંગ બને કે ખરાબ ઘટના બને ઈશ્વરની આવી જ ઈચ્છા હશે તેવું માનીને કે કોઈ પણ પરિસ્થિતિનો દટીને સામનો કરતા હોય છે.. ઠોકર વાગે તો પણ ઈશ્વરનું નામ આપણે લેતા હોઈએ છીએ.. અનેક લોકો છીંક આવે તો પણ ઈશ્વરનું નામ લેતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૌમ્ય જોશીની રચના ઈશ્વર...   



ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,

તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.


હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,

કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.


જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,

લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.


કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,

તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?


થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,

લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?


એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,

મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી 



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.