Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,


  • Published By :
  • Published Date : 2024-06-06 15:51:47

ઈશ્વરમાં શ્રદ્ધા રાખી અનેક લોકો જીવતા હોય છે.. આપણો દેશ શ્રદ્ધા પર ટકેલો દેશ છે તેવી વાત અનેક વખત આપણે કરતા હોઈએ છીએ.. સારો પ્રસંગ બને કે ખરાબ ઘટના બને ઈશ્વરની આવી જ ઈચ્છા હશે તેવું માનીને કે કોઈ પણ પરિસ્થિતિનો દટીને સામનો કરતા હોય છે.. ઠોકર વાગે તો પણ ઈશ્વરનું નામ આપણે લેતા હોઈએ છીએ.. અનેક લોકો છીંક આવે તો પણ ઈશ્વરનું નામ લેતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૌમ્ય જોશીની રચના ઈશ્વર...   



ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,

તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.


હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,

કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.


જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,

લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.


કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,

તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?


થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,

લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?


એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,

મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે