સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ હેમખેમ અમદાવાદ પહોંચ્યા! હર્ષ સંઘવીએ કર્યું ગુજરાતીઓનું સ્વાગત!


  • Published By :
  • Published Date : 2023-04-28 11:54:38

સુદાનમાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ભારતીયોને પરત લાવવા ઓપરેશન કાવેરીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સુદાનથી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. હજી સુધી અનેક ભારતીયો પોતાના વતન આવી ચૂક્યા છે. ત્યારે સુદાનમાં યુદ્ધમાં ફસાયેલા 56 જેટલા ગુજરાતીઓ ગુજરાત પરત આવી પહોંચ્યા છે. યુદ્ધ વિરામ વચ્ચે ભારતીયોને પાછા લાવવા ભારત સરકારે અભિયાન ચલાવ્યું હતું અને ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે.

     

હર્ષ સંઘવીએ કર્યું ગુજરાતીઓનું સ્વાગત! 

ગુજરાતીઓ પણ સુદાનમાં ફસાઈ ગયા હતા.  મળતી માહિતી અનુસાર 72 ગુજરાતીઓએ ભારત પરત આવવાની અરજી કરી હતી. જેમાંથી 56 ગુજરાતીઓને ભારત પહોંચાડવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત આવેલા ગુજરાતીઓનું સ્વાગત કર્યું હતું. ગુલાબનું ફૂલ આપીને ગુજરાતીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સરકાર અમને હેમખેમ મોતના મુખમાંથી પરત અમારા ઘરે લઈ આવી છે અમારા નસીબ છે કે અમે જીવતા છીએ.


 

56 ગુજરાતીઓ પોતાના વતન પરત ફર્યા!

સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત માદરે વતન લાવવા માટે ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે. ભારતીયો હેમખેમ પોતાના વતનમાં પાછા ફરે તે માટે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઓપરેશન કાવેરી અંતર્ગત અનેક ભારતીયો પોતાના વતન પાછા ફર્યા છે. આ ઓપરેશન કાવેરી અંતર્ગત 56 ગુજરાતી ગુજરાત પરત ફર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. 56 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ અને ત્યાંથી ફ્લાઈટની મદદથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ત્યારે મુંબઈથી બાયરોડ અમદાવાદ લવાયા હતા. ત્યારે હર્ષ સંઘવીએ તેમનું સ્વાગત કર્યું હતું. મળતી માહિતી અનુસાર હજુ 650 જેટલા ગુજરાતીઓ સુદાનમાં ફસાયા છે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે