ઠંડીમાંથી ગુજરાતીઓને મળી આંશિક રાહત, આ તારીખથી ફરી વધશે ઠંડીનું પ્રમાણ


  • Published By :
  • Published Date : 2023-01-08 14:07:38

ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ઠંડો પવન નહીં ફૂંકાવાને કારણે ઠંડીનો ઓછો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર બે દિવસ ઠંડીથી રાહત મળશે પરંતુ તે બાદ ઠંડીનો રાઉન્ડ ફરી એક વખત જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ચરબન્સને કારણે ઠંડીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે અનેક જગ્યાઓ પર તાપમાન વધારે નોંધાયું હતું.


ગુજરાતમાં ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ 

ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. ઠંડા પવન ફૂંકાવાને કારણે વધારે ઠંડી અનુભવાતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતવાસીઓને ઠંડીથી આંશિક રાહત મળી છે. શીત લહેર ન વહેવાને કારણે ઠંડીથી રાહત અનુભવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડી ઓછી થઈ છે પરંતુ આવનાર બે દિવસો બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.


11 જાન્યુઆરી બાદ ફરી એક વખત વધશે ઠંડીનું જોર 

દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. શીતલહેરને કારણે હાડકા થીજી જાય તેવી ઠંડી પડતી હતી. ત્યારે એક બે દિવસ ઠંડીથી રાહત મળી છે. પરંતુ હવામાન વિભાગ અનુસાર 11 જાન્યુઆરી બાદ ઠંડીનો રાઉન્ડ ફરી શરૂ થશે અને એ વખતે વધારે કાતિલ ઠંડીનો અહેસાસ થશે. હાલ ઠંડીનું પ્રમાણ ઓછું હોવાને કારણે તાપમાન પણ વધ્યું છે. નલિયામાં તાપમાનનો પારો 9.5 ડિગ્રી નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો. ભૂજમાં તાપમાન 12 ડિગ્રી જેટલું નોંધાયું હતું. 


પતંગ રસિયાઓને મળશે પવનનો સાથ 

હાલ ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો પરંતુ ઉત્તરાયણ સમયે પવનનો સાથ મળી રહેશે. 11 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. તે સમયે પવન પણ વહેશે જેને કારણે પતંગ રસીયાઓના રંગમાં ભંગ નહીં પડે. ઉત્તરાયણના સમયે પવનનો સાથ મળી રહેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.