ઠંડીમાંથી ગુજરાતીઓને મળી આંશિક રાહત, આ તારીખથી ફરી વધશે ઠંડીનું પ્રમાણ


  • Published By :
  • Published Date : 2023-01-08 14:07:38

ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ઠંડો પવન નહીં ફૂંકાવાને કારણે ઠંડીનો ઓછો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર બે દિવસ ઠંડીથી રાહત મળશે પરંતુ તે બાદ ઠંડીનો રાઉન્ડ ફરી એક વખત જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ચરબન્સને કારણે ઠંડીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે અનેક જગ્યાઓ પર તાપમાન વધારે નોંધાયું હતું.


ગુજરાતમાં ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ 

ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. ઠંડા પવન ફૂંકાવાને કારણે વધારે ઠંડી અનુભવાતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતવાસીઓને ઠંડીથી આંશિક રાહત મળી છે. શીત લહેર ન વહેવાને કારણે ઠંડીથી રાહત અનુભવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડી ઓછી થઈ છે પરંતુ આવનાર બે દિવસો બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.


11 જાન્યુઆરી બાદ ફરી એક વખત વધશે ઠંડીનું જોર 

દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. શીતલહેરને કારણે હાડકા થીજી જાય તેવી ઠંડી પડતી હતી. ત્યારે એક બે દિવસ ઠંડીથી રાહત મળી છે. પરંતુ હવામાન વિભાગ અનુસાર 11 જાન્યુઆરી બાદ ઠંડીનો રાઉન્ડ ફરી શરૂ થશે અને એ વખતે વધારે કાતિલ ઠંડીનો અહેસાસ થશે. હાલ ઠંડીનું પ્રમાણ ઓછું હોવાને કારણે તાપમાન પણ વધ્યું છે. નલિયામાં તાપમાનનો પારો 9.5 ડિગ્રી નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો. ભૂજમાં તાપમાન 12 ડિગ્રી જેટલું નોંધાયું હતું. 


પતંગ રસિયાઓને મળશે પવનનો સાથ 

હાલ ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો પરંતુ ઉત્તરાયણ સમયે પવનનો સાથ મળી રહેશે. 11 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. તે સમયે પવન પણ વહેશે જેને કારણે પતંગ રસીયાઓના રંગમાં ભંગ નહીં પડે. ઉત્તરાયણના સમયે પવનનો સાથ મળી રહેશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.