ઠંડીમાંથી ગુજરાતીઓને મળી આંશિક રાહત, આ તારીખથી ફરી વધશે ઠંડીનું પ્રમાણ


  • Published By :
  • Published Date : 2023-01-08 14:07:38

ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ઠંડો પવન નહીં ફૂંકાવાને કારણે ઠંડીનો ઓછો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર બે દિવસ ઠંડીથી રાહત મળશે પરંતુ તે બાદ ઠંડીનો રાઉન્ડ ફરી એક વખત જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ચરબન્સને કારણે ઠંડીનો ઓછો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે અનેક જગ્યાઓ પર તાપમાન વધારે નોંધાયું હતું.


ગુજરાતમાં ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ 

ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. ઠંડા પવન ફૂંકાવાને કારણે વધારે ઠંડી અનુભવાતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતવાસીઓને ઠંડીથી આંશિક રાહત મળી છે. શીત લહેર ન વહેવાને કારણે ઠંડીથી રાહત અનુભવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડી ઓછી થઈ છે પરંતુ આવનાર બે દિવસો બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.


11 જાન્યુઆરી બાદ ફરી એક વખત વધશે ઠંડીનું જોર 

દેશના વિવિધ રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ આ વખતે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. શીતલહેરને કારણે હાડકા થીજી જાય તેવી ઠંડી પડતી હતી. ત્યારે એક બે દિવસ ઠંડીથી રાહત મળી છે. પરંતુ હવામાન વિભાગ અનુસાર 11 જાન્યુઆરી બાદ ઠંડીનો રાઉન્ડ ફરી શરૂ થશે અને એ વખતે વધારે કાતિલ ઠંડીનો અહેસાસ થશે. હાલ ઠંડીનું પ્રમાણ ઓછું હોવાને કારણે તાપમાન પણ વધ્યું છે. નલિયામાં તાપમાનનો પારો 9.5 ડિગ્રી નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રી નોંધાયો હતો. ભૂજમાં તાપમાન 12 ડિગ્રી જેટલું નોંધાયું હતું. 


પતંગ રસિયાઓને મળશે પવનનો સાથ 

હાલ ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો પરંતુ ઉત્તરાયણ સમયે પવનનો સાથ મળી રહેશે. 11 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે. તે સમયે પવન પણ વહેશે જેને કારણે પતંગ રસીયાઓના રંગમાં ભંગ નહીં પડે. ઉત્તરાયણના સમયે પવનનો સાથ મળી રહેશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.