Gandhinagarમાં H TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન, અનેક પડતર માગણીઓ સાથે કરી રહ્યા છે આંદોલન, શિક્ષણ મંત્રીએ કરી હતી ટ્વિટ કે...


  • Published By :
  • Published Date : 2024-07-16 13:56:15

થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન માટે મેદાને ઉતર્યા હતા. ત્યારે આજે ફરી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગણી લઈને આમરણ ઉપવાસ સાથે આંદોલન કરવા બેઠા છે. ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલન કર્યું તે બાદ સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી પરંતુ હવે HTAT શિક્ષકો મેદાને આવ્યા છે પોતાની માગ સાથે.  

ગાંધીનગરમાં H-TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન

H-TAT મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ માટે વારંવાર આંદોલનો પણ કરવામાં આવ્યા પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે સરકારે કહ્યું હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવીને જાહેર કરી દેવામાં આવશે. પણ એ ન થયું એટલે આજે ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીએ ભેગા થયા છે. 


શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ...

ગુજરાતના H-TAT મુખ્ય શિક્ષકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે 15 જુલાઈ સુધી બદલીના નિયમો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. એ જાહેરાત બાદ તરત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે H-TAT મુખ્ય શિક્ષકોને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી.સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે 

“સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને નમ્ર અપીલ, આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કા માં છે. ટૂંક સમય માં એ જાહેર કરવામાં આવશે. તેથી કેટલાક એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવેલ આવતીકાલ ના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને અપીલ કરું છું.” પણ એ અપીલની કોઈ અસર ન થઈ અને શિક્ષકો આજે ગાંધીનગર ભેગા થયા છે તો ત્યાં શું થાય છે તે જોવાનું રહ્યું. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.