દેશ પર તોડાતો H3N2નો ખતરો, મહારાષ્ટ્રમાં નોંધાયા સૌથી વધારે કેસ!


  • Published By :
  • Published Date : 2023-03-16 12:18:13

દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સાથે સાથે H3N2નો ખતરો પણ સતત વધી રહ્યો છે. એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત દેશના અનેક રાજ્યોમાં H3N2ના કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસના અનેક કેસો નોંધાયા છે. મળતી માહિતી અનુસાર  H3N2ને કારણે દેશમાં હજી સુધી 9 લોકોના મોત થયા છે. 


મહારાષ્ટ્રમાં સૌથી વધારે નોંધાયા H3N2ના કેસ! 

કોરોના વાયરસ પણ દેશમાં ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. ત્યારે કોરોનાની સાથે H3N2ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ કેસના આંકડામાં પણ સતત વધી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં આ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કેસ નોંધાતા સરકાર એક્ટિવ થઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. હજી સુધી સ્વાઈન ફ્લુ અને H3N2 ના 352 જેટલા કેસ નોંધાઈ ગયા છે. જેમાંથી H3N2ના 58 જેટલા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત થયું છે તેવા સમાચાર મળ્યા હતા. 


રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવા કરાયો આદેશ  

વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એલર્ટ રહેવા કહી દીધું હતું. એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું તેમજ સામાજીક અંતર જાળવવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ચ મંત્રીએ પણ આ મુદ્દે બેઠક કરી હતી. અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવ્યું છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.