દેશ પર તોડાતો H3N2નો ખતરો, મહારાષ્ટ્રમાં નોંધાયા સૌથી વધારે કેસ!


  • Published By :
  • Published Date : 2023-03-16 12:18:13

દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સાથે સાથે H3N2નો ખતરો પણ સતત વધી રહ્યો છે. એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત દેશના અનેક રાજ્યોમાં H3N2ના કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસના અનેક કેસો નોંધાયા છે. મળતી માહિતી અનુસાર  H3N2ને કારણે દેશમાં હજી સુધી 9 લોકોના મોત થયા છે. 


મહારાષ્ટ્રમાં સૌથી વધારે નોંધાયા H3N2ના કેસ! 

કોરોના વાયરસ પણ દેશમાં ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. ત્યારે કોરોનાની સાથે H3N2ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ કેસના આંકડામાં પણ સતત વધી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં આ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કેસ નોંધાતા સરકાર એક્ટિવ થઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. હજી સુધી સ્વાઈન ફ્લુ અને H3N2 ના 352 જેટલા કેસ નોંધાઈ ગયા છે. જેમાંથી H3N2ના 58 જેટલા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત થયું છે તેવા સમાચાર મળ્યા હતા. 


રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવા કરાયો આદેશ  

વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એલર્ટ રહેવા કહી દીધું હતું. એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું તેમજ સામાજીક અંતર જાળવવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ચ મંત્રીએ પણ આ મુદ્દે બેઠક કરી હતી. અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવ્યું છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.