નારાજ હકુભા જાડેજા દિલ્લીથી ફોન આવતા માની ગયા, જામનગરમાં રિવાબા માટે કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-13 18:28:36

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસ રહ્યા છે અને રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ છે. ભાજપે પણ તેના 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની નવી યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં વિરોધના સુર સંભળાવાનું શરૂ થયું છે. જામનગરમાં રિવાબા જાડેજાનું નામ જાહેર થયા બાદ પૂર્વ ધારાસભ્ય હકુભા જાહેજા પણ નારાજ હતા. પોતાની ટિકિટ કપાતા હકુભાએ પોતાના સોશિયલ મીડિયા પરથી ભાજપના ખેસ સાથેનો ફોટો પણ હટાવી દીધો હતો. જો કે હવે હકુભાને મનાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા છે. 


નારાજ હકુભાને મનાવવામાં ભાજપ સફળ


જામનગર વિધાનસભાની સીટ માટે હકુભા જાડેજાની ટિકિટ નક્કી મનાતી હતી. જો કે છેલ્લી ઘડીએ તેમનું પત્તુ કપાતા સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. ભાજપે તેમના સ્થાને વિરેન્દ્ર જાડેજાના પત્ની રિવાભાને ટિકિટ આપી દીધી છે. ટિકિટના પ્રબળ દાવેદાર હકુભા જાડેજાને પાર્ટીના આ નિર્ણયથી ઝટકો લાગ્યો હતો, જો કે હવે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાજ હકુભાને મનાવવામાં ભાજપ હાઈકમાન્ડ સફળ રહ્યું છે.  દિલ્લીથી ફોન આવતા હકુભા માની ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હકુભા જાડેજા રિવાબાનું ઉમેદવારી ફોર્મ ભરવા સમયે અને તેમની સાથેના પ્રચાર અભિયાનમાં પણ જોડાશે તેવું જાણવા મળી રહ્યું છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.