નારાજ હકુભા જાડેજા દિલ્લીથી ફોન આવતા માની ગયા, જામનગરમાં રિવાબા માટે કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-13 18:28:36

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસ રહ્યા છે અને રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ છે. ભાજપે પણ તેના 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની નવી યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં વિરોધના સુર સંભળાવાનું શરૂ થયું છે. જામનગરમાં રિવાબા જાડેજાનું નામ જાહેર થયા બાદ પૂર્વ ધારાસભ્ય હકુભા જાહેજા પણ નારાજ હતા. પોતાની ટિકિટ કપાતા હકુભાએ પોતાના સોશિયલ મીડિયા પરથી ભાજપના ખેસ સાથેનો ફોટો પણ હટાવી દીધો હતો. જો કે હવે હકુભાને મનાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા છે. 


નારાજ હકુભાને મનાવવામાં ભાજપ સફળ


જામનગર વિધાનસભાની સીટ માટે હકુભા જાડેજાની ટિકિટ નક્કી મનાતી હતી. જો કે છેલ્લી ઘડીએ તેમનું પત્તુ કપાતા સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. ભાજપે તેમના સ્થાને વિરેન્દ્ર જાડેજાના પત્ની રિવાભાને ટિકિટ આપી દીધી છે. ટિકિટના પ્રબળ દાવેદાર હકુભા જાડેજાને પાર્ટીના આ નિર્ણયથી ઝટકો લાગ્યો હતો, જો કે હવે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાજ હકુભાને મનાવવામાં ભાજપ હાઈકમાન્ડ સફળ રહ્યું છે.  દિલ્લીથી ફોન આવતા હકુભા માની ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હકુભા જાડેજા રિવાબાનું ઉમેદવારી ફોર્મ ભરવા સમયે અને તેમની સાથેના પ્રચાર અભિયાનમાં પણ જોડાશે તેવું જાણવા મળી રહ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.