નારાજ હકુભા જાડેજા દિલ્લીથી ફોન આવતા માની ગયા, જામનગરમાં રિવાબા માટે કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-13 18:28:36

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસ રહ્યા છે અને રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ છે. ભાજપે પણ તેના 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની નવી યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં વિરોધના સુર સંભળાવાનું શરૂ થયું છે. જામનગરમાં રિવાબા જાડેજાનું નામ જાહેર થયા બાદ પૂર્વ ધારાસભ્ય હકુભા જાહેજા પણ નારાજ હતા. પોતાની ટિકિટ કપાતા હકુભાએ પોતાના સોશિયલ મીડિયા પરથી ભાજપના ખેસ સાથેનો ફોટો પણ હટાવી દીધો હતો. જો કે હવે હકુભાને મનાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા છે. 


નારાજ હકુભાને મનાવવામાં ભાજપ સફળ


જામનગર વિધાનસભાની સીટ માટે હકુભા જાડેજાની ટિકિટ નક્કી મનાતી હતી. જો કે છેલ્લી ઘડીએ તેમનું પત્તુ કપાતા સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. ભાજપે તેમના સ્થાને વિરેન્દ્ર જાડેજાના પત્ની રિવાભાને ટિકિટ આપી દીધી છે. ટિકિટના પ્રબળ દાવેદાર હકુભા જાડેજાને પાર્ટીના આ નિર્ણયથી ઝટકો લાગ્યો હતો, જો કે હવે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાજ હકુભાને મનાવવામાં ભાજપ હાઈકમાન્ડ સફળ રહ્યું છે.  દિલ્લીથી ફોન આવતા હકુભા માની ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હકુભા જાડેજા રિવાબાનું ઉમેદવારી ફોર્મ ભરવા સમયે અને તેમની સાથેના પ્રચાર અભિયાનમાં પણ જોડાશે તેવું જાણવા મળી રહ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.