હાલોલ GIDCમાં ઔદ્યોગિક યુનિટની દીવાલ પડી, MPથી પેટીયું રળવા આવેલા પરિવારના 8 લોકો દટાયા, 4 માસુમોના મોત


  • Published By :
  • Published Date : 2023-06-29 18:01:12

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતી દુર્ઘટનામાં મરો તો સામાન્ય અને નિર્દોષ માણસોનો થતો હોય છે. જેમ કે પંચમહાલ જિલ્લા હાલોલના ચંદ્રપુરા ગામની GIDCમાં એક દિવાલ ધરાશાયી થતાં કુલ 8 લોકો દટાયા હતા. જેમાં 4 બાળકોના મોત થયા હતા અને 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં 2 મહિલા સહિત 4 લોકો હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


MPથી પેટીયું રળવા આવ્યો હતો પરિવાર


મધ્યપ્રદેશથી ગુજરાતમાં પેટીયું રળવા આવેલા કરવા આવેલા જીતેન્દ્રભાઈ ડામોર અને અંબારામ ભુરીયાના પરિવારજનો દીવાલ નીચે દબાયા હતા. જેમાં જીતેન્દ્રભાઈ ડામોરે એક દીકરો અને અંબારામ ભુરીયાએ તેમના ત્રણ સંતાનો ગુમાવ્યા છે. મૃતક બાળકોમાં અભિષેક અંબારામ ભુરીયા (04 વર્ષ), ગુનગુન અંબારામ ભુરીયા (02 વર્ષ), મુસ્કાન અંબારામ ભુરીયા (05 વર્ષ), ચીરીરામ જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં પાર્વતીબેન અંબારામ (26 વર્ષ), આલિયા જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ),મીત જીતેન્દ્રભાઈ ડામોર (02 વર્ષ), હીરાબેન જીતેન્દ્રભાઈ ડામોર (25 વર્ષ)નો સમાવેશ થાય છે.


એકની ભૂલની સજા બીજાને મળે તે કેવું?


રાજ્યમાં કોઈ પણ હોનારત કે દુર્ઘટનામાં બનતું એવું હોય છે કે બીજાની ભૂલની સજા નિર્દોષોને મળતી હોય છે. આપણે ભૂતકાળની ઘટનાઓમાંથી પણ શીખતા નથી. જેમ કે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન સ્લેબ તુટવાની ઘટના હોય કે જામનગરમાં બિલ્ડિંગ ઘરાશાઈ થવાની ઘટના, યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તુટી પડવો કે પછી ક્યારેય ન ભૂલી શકાય તેવી મોરબી બ્રિજ દુર્ઘટના, આ તમામ દુર્ઘટનાઓ વચ્ચે સામ્યતા એ છે કે બીજાની ભૂલના કારણે નિર્દોશ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની અક્ષમ્ય બેદરકારી જ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર કહીં શકાય. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.