હાલોલ GIDCમાં ઔદ્યોગિક યુનિટની દીવાલ પડી, MPથી પેટીયું રળવા આવેલા પરિવારના 8 લોકો દટાયા, 4 માસુમોના મોત


  • Published By :
  • Published Date : 2023-06-29 18:01:12

રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતી દુર્ઘટનામાં મરો તો સામાન્ય અને નિર્દોષ માણસોનો થતો હોય છે. જેમ કે પંચમહાલ જિલ્લા હાલોલના ચંદ્રપુરા ગામની GIDCમાં એક દિવાલ ધરાશાયી થતાં કુલ 8 લોકો દટાયા હતા. જેમાં 4 બાળકોના મોત થયા હતા અને 2 મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં 2 મહિલા સહિત 4 લોકો હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


MPથી પેટીયું રળવા આવ્યો હતો પરિવાર


મધ્યપ્રદેશથી ગુજરાતમાં પેટીયું રળવા આવેલા કરવા આવેલા જીતેન્દ્રભાઈ ડામોર અને અંબારામ ભુરીયાના પરિવારજનો દીવાલ નીચે દબાયા હતા. જેમાં જીતેન્દ્રભાઈ ડામોરે એક દીકરો અને અંબારામ ભુરીયાએ તેમના ત્રણ સંતાનો ગુમાવ્યા છે. મૃતક બાળકોમાં અભિષેક અંબારામ ભુરીયા (04 વર્ષ), ગુનગુન અંબારામ ભુરીયા (02 વર્ષ), મુસ્કાન અંબારામ ભુરીયા (05 વર્ષ), ચીરીરામ જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં પાર્વતીબેન અંબારામ (26 વર્ષ), આલિયા જીતેન્દ્રભાઈ ડામોર (05 વર્ષ),મીત જીતેન્દ્રભાઈ ડામોર (02 વર્ષ), હીરાબેન જીતેન્દ્રભાઈ ડામોર (25 વર્ષ)નો સમાવેશ થાય છે.


એકની ભૂલની સજા બીજાને મળે તે કેવું?


રાજ્યમાં કોઈ પણ હોનારત કે દુર્ઘટનામાં બનતું એવું હોય છે કે બીજાની ભૂલની સજા નિર્દોષોને મળતી હોય છે. આપણે ભૂતકાળની ઘટનાઓમાંથી પણ શીખતા નથી. જેમ કે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન સ્લેબ તુટવાની ઘટના હોય કે જામનગરમાં બિલ્ડિંગ ઘરાશાઈ થવાની ઘટના, યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તુટી પડવો કે પછી ક્યારેય ન ભૂલી શકાય તેવી મોરબી બ્રિજ દુર્ઘટના, આ તમામ દુર્ઘટનાઓ વચ્ચે સામ્યતા એ છે કે બીજાની ભૂલના કારણે નિર્દોશ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રની અક્ષમ્ય બેદરકારી જ આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર કહીં શકાય. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.