હળવદમાં ગોઝારો અકસ્માત: ટ્રકચાલકે અડફેટે લેતા 2 સગીરાનાં મોત ઘટના, બે ઇજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-08-25 13:39:59

રાજ્યના લોકો અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર થયેલા  અને 9 લોકોનો ભોગ લેનારા ગમખ્વાર અકસ્માતને હજું ભૂલ્યા નથી ત્યા મોરબી નજીક વધુ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે સગીરાના મોત થયા છે. આ ભયાનક અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં બે માસુમના મોત બાદ પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.


ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા


મોરબી જિલ્લામાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ વધુ એક અકસ્માતની ઘટનામાં બે સગીરાએ જીવ ગુમાવ્યો છે. વિગતો મુજબ હળવદ તાલુકામાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે. ટ્રક ચાલક સહિત બે વ્યક્તિને ઈજા થતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.



થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા

રાજકોટ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. પરેશ ધાનાણીએ જાહેરસભામાં તેમણે હરખપદુડો શબ્દ વાપર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે..

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમ ભાવનગરના એવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વધારે રહેતા હતા.

થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..