ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓ માટે ખુશ ખબર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:25:16

ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવેથી ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને ફિક્સ પગાર પર 2થી 3 વર્ષ જ રાખવામાં આવશે. અગાઉ ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 2 કે 3 વર્ષ માટે જ રાખવામાં આવતા હતા પરંતુ નિર્ણયમાં ફેરબદલ કરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 5 વર્ષ માટે ફિક્સ પગાર પર રાખી દીધા હતા. હવે આ નિર્ણય બાદ કર્મચારીને ફરીધી 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. 


કર્મચારીઓને થશે આ ફાયદો

અગાઉ પાંચ વર્ષ પગાર ફિક્સ રહેતો હતો ત્યાર બાદ પગાર વધારો થતો હતો. આ પગાર વધારો સારો અને વધારો હોય છે. એટલે કે પહેલા જે પાંચ વર્ષ બાદ પગાર વધારો થતો હતો તે હવે વહેલો થશે. ફિક્સ પગારના 2-3 વર્ષ બાદ જ પગાર વધારો થશે તો કર્મચારીઓને આર્થિક ફાયદો થશે. 


કર્મચારીઓએ ફિક્સ પગારનો સમય ઘટાડવાની કરી હતી માગણી

ચૂંટણી પહેલાનો સમય એટલે કર્મચારીઓની લાગણી અને માગણીનો સમય. ઠીક આવી જ રીતે ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓએ સરકાર સામે માગણી રાખી હતી કે તેમના ફિક્સ પેનો સમયગાળો પહેલા જેટલો હતો તેટલો કરવામાં આવે. પહેલા ફિક્સ પેનો સમયગાળો 2-3 વર્ષ જ હતો. બાદમાં વધારીને 5 વર્ષ કરી દેવાયો હતો. આથી કર્મચારીઓએ માગ ઉઠાવી હતી કે સમયગાળો પાછો 2-3 વર્ષ કરી દેવામાં આવે. આથી રાજ્ય સરકારે કર્મચારીઓની માગણી સંતોષી પોતાની વોટ બેન્ક સુરક્ષિત કરી હતી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.