ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓ માટે ખુશ ખબર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:25:16

ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવેથી ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને ફિક્સ પગાર પર 2થી 3 વર્ષ જ રાખવામાં આવશે. અગાઉ ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 2 કે 3 વર્ષ માટે જ રાખવામાં આવતા હતા પરંતુ નિર્ણયમાં ફેરબદલ કરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 5 વર્ષ માટે ફિક્સ પગાર પર રાખી દીધા હતા. હવે આ નિર્ણય બાદ કર્મચારીને ફરીધી 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. 


કર્મચારીઓને થશે આ ફાયદો

અગાઉ પાંચ વર્ષ પગાર ફિક્સ રહેતો હતો ત્યાર બાદ પગાર વધારો થતો હતો. આ પગાર વધારો સારો અને વધારો હોય છે. એટલે કે પહેલા જે પાંચ વર્ષ બાદ પગાર વધારો થતો હતો તે હવે વહેલો થશે. ફિક્સ પગારના 2-3 વર્ષ બાદ જ પગાર વધારો થશે તો કર્મચારીઓને આર્થિક ફાયદો થશે. 


કર્મચારીઓએ ફિક્સ પગારનો સમય ઘટાડવાની કરી હતી માગણી

ચૂંટણી પહેલાનો સમય એટલે કર્મચારીઓની લાગણી અને માગણીનો સમય. ઠીક આવી જ રીતે ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓએ સરકાર સામે માગણી રાખી હતી કે તેમના ફિક્સ પેનો સમયગાળો પહેલા જેટલો હતો તેટલો કરવામાં આવે. પહેલા ફિક્સ પેનો સમયગાળો 2-3 વર્ષ જ હતો. બાદમાં વધારીને 5 વર્ષ કરી દેવાયો હતો. આથી કર્મચારીઓએ માગ ઉઠાવી હતી કે સમયગાળો પાછો 2-3 વર્ષ કરી દેવામાં આવે. આથી રાજ્ય સરકારે કર્મચારીઓની માગણી સંતોષી પોતાની વોટ બેન્ક સુરક્ષિત કરી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.