ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓ માટે ખુશ ખબર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 12:25:16

ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવેથી ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને ફિક્સ પગાર પર 2થી 3 વર્ષ જ રાખવામાં આવશે. અગાઉ ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 2 કે 3 વર્ષ માટે જ રાખવામાં આવતા હતા પરંતુ નિર્ણયમાં ફેરબદલ કરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓને 5 વર્ષ માટે ફિક્સ પગાર પર રાખી દીધા હતા. હવે આ નિર્ણય બાદ કર્મચારીને ફરીધી 2થી 3 વર્ષ જ ફિક્સ પગાર પર રખાશે. 


કર્મચારીઓને થશે આ ફાયદો

અગાઉ પાંચ વર્ષ પગાર ફિક્સ રહેતો હતો ત્યાર બાદ પગાર વધારો થતો હતો. આ પગાર વધારો સારો અને વધારો હોય છે. એટલે કે પહેલા જે પાંચ વર્ષ બાદ પગાર વધારો થતો હતો તે હવે વહેલો થશે. ફિક્સ પગારના 2-3 વર્ષ બાદ જ પગાર વધારો થશે તો કર્મચારીઓને આર્થિક ફાયદો થશે. 


કર્મચારીઓએ ફિક્સ પગારનો સમય ઘટાડવાની કરી હતી માગણી

ચૂંટણી પહેલાનો સમય એટલે કર્મચારીઓની લાગણી અને માગણીનો સમય. ઠીક આવી જ રીતે ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓએ સરકાર સામે માગણી રાખી હતી કે તેમના ફિક્સ પેનો સમયગાળો પહેલા જેટલો હતો તેટલો કરવામાં આવે. પહેલા ફિક્સ પેનો સમયગાળો 2-3 વર્ષ જ હતો. બાદમાં વધારીને 5 વર્ષ કરી દેવાયો હતો. આથી કર્મચારીઓએ માગ ઉઠાવી હતી કે સમયગાળો પાછો 2-3 વર્ષ કરી દેવામાં આવે. આથી રાજ્ય સરકારે કર્મચારીઓની માગણી સંતોષી પોતાની વોટ બેન્ક સુરક્ષિત કરી હતી. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે