વડોદરાના હરણી લેકમાં બોટ દુર્ઘટના અંગે વર્ષ 2021માં અપાઈ હતી ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-18 20:11:50

વડોદરાના હરણી લેકમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે કારણ કે બોટમાં કુલ 27 લોકો હોવાની માહિતી સામે આવી છે. મોટનાથ તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ સૌથી ચોંકાવનારો ખુલાસો જાગૃત નાગરિક સંસ્થાના પી.વી. મુરજાણી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે વર્ષ 2021-22માં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે તે અંગે આશંકા વ્યક્ત કરી હતી. 


પી.વી. મુરજાણી શહેર કમિશનરને આપી હતી નોટિસ


જાગૃત નાગરિક સંસ્થાના વડા અને સુરસાગર દુર્ઘટમાં મૃતકો માટે વર્ષો સુધી લડત આપનારા પી.વી. મુરજાણીએ વડોદરા મહાનરગરપાલિકાના કમિશનરને વર્ષ 2021-22માં મોટી જાનહાનિ અંગે ચેવવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે હરણી લેક ઝોનમા કોઈ પ્રકારની સુરક્ષા વગર બોટિંગ કરાવવામાં આવે છે તે અંગેની જાણ પણ તેમણે શહેર મ્યુનિસિપલ કમિશનરને કરી હતી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે આ દુર્ઘટના માટે જેટલા કોન્ટ્રાક્ટર કોઠિયા જવાબદાર છે તેટલું જ શહેરનું તંત્ર પણ જવાબદાર ઠરે છે. તેમણે વ્યક્ત કરેલી આશંકા આજે સાચી પડી છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે