વડોદરાના હરણી લેકમાં બોટ દુર્ઘટના અંગે વર્ષ 2021માં અપાઈ હતી ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-18 20:11:50

વડોદરાના હરણી લેકમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે કારણ કે બોટમાં કુલ 27 લોકો હોવાની માહિતી સામે આવી છે. મોટનાથ તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ સૌથી ચોંકાવનારો ખુલાસો જાગૃત નાગરિક સંસ્થાના પી.વી. મુરજાણી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે વર્ષ 2021-22માં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે તે અંગે આશંકા વ્યક્ત કરી હતી. 


પી.વી. મુરજાણી શહેર કમિશનરને આપી હતી નોટિસ


જાગૃત નાગરિક સંસ્થાના વડા અને સુરસાગર દુર્ઘટમાં મૃતકો માટે વર્ષો સુધી લડત આપનારા પી.વી. મુરજાણીએ વડોદરા મહાનરગરપાલિકાના કમિશનરને વર્ષ 2021-22માં મોટી જાનહાનિ અંગે ચેવવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે હરણી લેક ઝોનમા કોઈ પ્રકારની સુરક્ષા વગર બોટિંગ કરાવવામાં આવે છે તે અંગેની જાણ પણ તેમણે શહેર મ્યુનિસિપલ કમિશનરને કરી હતી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે આ દુર્ઘટના માટે જેટલા કોન્ટ્રાક્ટર કોઠિયા જવાબદાર છે તેટલું જ શહેરનું તંત્ર પણ જવાબદાર ઠરે છે. તેમણે વ્યક્ત કરેલી આશંકા આજે સાચી પડી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.