વડોદરાના હરણી લેકમાં બોટ દુર્ઘટના અંગે વર્ષ 2021માં અપાઈ હતી ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-18 20:11:50

વડોદરાના હરણી લેકમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી જવાની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચ્યો છે. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જો કે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે કારણ કે બોટમાં કુલ 27 લોકો હોવાની માહિતી સામે આવી છે. મોટનાથ તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ સૌથી ચોંકાવનારો ખુલાસો જાગૃત નાગરિક સંસ્થાના પી.વી. મુરજાણી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે વર્ષ 2021-22માં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે તે અંગે આશંકા વ્યક્ત કરી હતી. 


પી.વી. મુરજાણી શહેર કમિશનરને આપી હતી નોટિસ


જાગૃત નાગરિક સંસ્થાના વડા અને સુરસાગર દુર્ઘટમાં મૃતકો માટે વર્ષો સુધી લડત આપનારા પી.વી. મુરજાણીએ વડોદરા મહાનરગરપાલિકાના કમિશનરને વર્ષ 2021-22માં મોટી જાનહાનિ અંગે ચેવવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે હરણી લેક ઝોનમા કોઈ પ્રકારની સુરક્ષા વગર બોટિંગ કરાવવામાં આવે છે તે અંગેની જાણ પણ તેમણે શહેર મ્યુનિસિપલ કમિશનરને કરી હતી. તેમણે રોષ ઠાલવતા કહ્યું કે આ દુર્ઘટના માટે જેટલા કોન્ટ્રાક્ટર કોઠિયા જવાબદાર છે તેટલું જ શહેરનું તંત્ર પણ જવાબદાર ઠરે છે. તેમણે વ્યક્ત કરેલી આશંકા આજે સાચી પડી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.