રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારતે અમેરિકાને સંભળાવી દીધું


  • Published By :
  • Published Date : 2022-11-01 19:34:27

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે અમેરિકાના વાંધા પર નિવેદન આપ્યું છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતની 130 કરોડની જનતાને પેટ્રોલ, ડીઝલ અને ગેસની જરૂરિયાત પૂરી કરવી અમારી જવાબદારી છે. જ્યારે હંગરી, ચીન અને જાપાનને પ્રતિબંધ હોવા છતાં રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તો ભારત શા માટે ના ખરીદી શકે. 


તેલની આયાતમાંથી રશિયા પાસેથી તો 2 ટકા જ લીધું છે

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે અમેરિકા અને પશ્ચિમના દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા. બીજા દેશોને પણ કહી દેવામાં આવ્યું હતું કે રશિયા પાસેથી કોઈ કંઈ પણ ના ખરીદે. આ દેશોએ ભારતની સરકાર પર પણ દબાવ કર્યું હતું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવામાં આવે. ત્યારે ભારતે સમગ્ર મામલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. 


વિદેશી ચેનલે હરદીપસિંહ પૂરીને પૂછ્યો હતો સવાલ 

વિદેશી ચેનલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે સવાલ કર્યો હતો કે ભારત કેમ રશિયા પાસેથી વધારે તેલ ખરીદે છે? ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ જવાબ આપ્યો હતો કે ભારતે ત્રણ મહિનામાં રશિયા પાસેથી એટલું તેલ ખરીદ્યું છે જેટલું યુરોપ એક દિવસમાં રશિયા પાસેથી ખરીદે છે. આ વર્ષે ભારતે રશિયા પાસેથી કુલ તેલની ખરીદીના 2 ટકા તેલ જ ખરીદ્યું છે. ભારત સૌથી વધુ તેલ ઈરાક પાસેથી ખરીદે છે. 


યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપના દેશોએ અન્ય દેશો પર દબાવ નાખ્યો હતો કે કોઈ પણ રશિયા સાથે વેપારના સંબંધ ના રાખે. ત્યારથી આ મુદ્દો ચગ્યો હતો. આ મામલે અગાઉ ઘણીવાર વિદેશ મંત્રી એસ જયશંકરને પણ સવાલો પૂછવામાં આવ્યા છે જે મામલે વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભારતને શું ક્યાંથી ખરીદવું તે ભારત નક્કી કરશે. 




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.