રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારતે અમેરિકાને સંભળાવી દીધું


  • Published By :
  • Published Date : 2022-11-01 19:34:27

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે અમેરિકાના વાંધા પર નિવેદન આપ્યું છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતની 130 કરોડની જનતાને પેટ્રોલ, ડીઝલ અને ગેસની જરૂરિયાત પૂરી કરવી અમારી જવાબદારી છે. જ્યારે હંગરી, ચીન અને જાપાનને પ્રતિબંધ હોવા છતાં રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તો ભારત શા માટે ના ખરીદી શકે. 


તેલની આયાતમાંથી રશિયા પાસેથી તો 2 ટકા જ લીધું છે

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે અમેરિકા અને પશ્ચિમના દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા. બીજા દેશોને પણ કહી દેવામાં આવ્યું હતું કે રશિયા પાસેથી કોઈ કંઈ પણ ના ખરીદે. આ દેશોએ ભારતની સરકાર પર પણ દબાવ કર્યું હતું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવામાં આવે. ત્યારે ભારતે સમગ્ર મામલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. 


વિદેશી ચેનલે હરદીપસિંહ પૂરીને પૂછ્યો હતો સવાલ 

વિદેશી ચેનલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે સવાલ કર્યો હતો કે ભારત કેમ રશિયા પાસેથી વધારે તેલ ખરીદે છે? ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ જવાબ આપ્યો હતો કે ભારતે ત્રણ મહિનામાં રશિયા પાસેથી એટલું તેલ ખરીદ્યું છે જેટલું યુરોપ એક દિવસમાં રશિયા પાસેથી ખરીદે છે. આ વર્ષે ભારતે રશિયા પાસેથી કુલ તેલની ખરીદીના 2 ટકા તેલ જ ખરીદ્યું છે. ભારત સૌથી વધુ તેલ ઈરાક પાસેથી ખરીદે છે. 


યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપના દેશોએ અન્ય દેશો પર દબાવ નાખ્યો હતો કે કોઈ પણ રશિયા સાથે વેપારના સંબંધ ના રાખે. ત્યારથી આ મુદ્દો ચગ્યો હતો. આ મામલે અગાઉ ઘણીવાર વિદેશ મંત્રી એસ જયશંકરને પણ સવાલો પૂછવામાં આવ્યા છે જે મામલે વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભારતને શું ક્યાંથી ખરીદવું તે ભારત નક્કી કરશે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.