રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારતે અમેરિકાને સંભળાવી દીધું


  • Published By :
  • Published Date : 2022-11-01 19:34:27

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે અમેરિકાના વાંધા પર નિવેદન આપ્યું છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતની 130 કરોડની જનતાને પેટ્રોલ, ડીઝલ અને ગેસની જરૂરિયાત પૂરી કરવી અમારી જવાબદારી છે. જ્યારે હંગરી, ચીન અને જાપાનને પ્રતિબંધ હોવા છતાં રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તો ભારત શા માટે ના ખરીદી શકે. 


તેલની આયાતમાંથી રશિયા પાસેથી તો 2 ટકા જ લીધું છે

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે અમેરિકા અને પશ્ચિમના દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા. બીજા દેશોને પણ કહી દેવામાં આવ્યું હતું કે રશિયા પાસેથી કોઈ કંઈ પણ ના ખરીદે. આ દેશોએ ભારતની સરકાર પર પણ દબાવ કર્યું હતું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવામાં આવે. ત્યારે ભારતે સમગ્ર મામલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. 


વિદેશી ચેનલે હરદીપસિંહ પૂરીને પૂછ્યો હતો સવાલ 

વિદેશી ચેનલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે સવાલ કર્યો હતો કે ભારત કેમ રશિયા પાસેથી વધારે તેલ ખરીદે છે? ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ જવાબ આપ્યો હતો કે ભારતે ત્રણ મહિનામાં રશિયા પાસેથી એટલું તેલ ખરીદ્યું છે જેટલું યુરોપ એક દિવસમાં રશિયા પાસેથી ખરીદે છે. આ વર્ષે ભારતે રશિયા પાસેથી કુલ તેલની ખરીદીના 2 ટકા તેલ જ ખરીદ્યું છે. ભારત સૌથી વધુ તેલ ઈરાક પાસેથી ખરીદે છે. 


યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપના દેશોએ અન્ય દેશો પર દબાવ નાખ્યો હતો કે કોઈ પણ રશિયા સાથે વેપારના સંબંધ ના રાખે. ત્યારથી આ મુદ્દો ચગ્યો હતો. આ મામલે અગાઉ ઘણીવાર વિદેશ મંત્રી એસ જયશંકરને પણ સવાલો પૂછવામાં આવ્યા છે જે મામલે વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભારતને શું ક્યાંથી ખરીદવું તે ભારત નક્કી કરશે. 




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.