રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારતે અમેરિકાને સંભળાવી દીધું


  • Published By :
  • Published Date : 2022-11-01 19:34:27

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે અમેરિકાના વાંધા પર નિવેદન આપ્યું છે. હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતની 130 કરોડની જનતાને પેટ્રોલ, ડીઝલ અને ગેસની જરૂરિયાત પૂરી કરવી અમારી જવાબદારી છે. જ્યારે હંગરી, ચીન અને જાપાનને પ્રતિબંધ હોવા છતાં રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે તો ભારત શા માટે ના ખરીદી શકે. 


તેલની આયાતમાંથી રશિયા પાસેથી તો 2 ટકા જ લીધું છે

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે અમેરિકા અને પશ્ચિમના દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા. બીજા દેશોને પણ કહી દેવામાં આવ્યું હતું કે રશિયા પાસેથી કોઈ કંઈ પણ ના ખરીદે. આ દેશોએ ભારતની સરકાર પર પણ દબાવ કર્યું હતું કે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવામાં આવે. ત્યારે ભારતે સમગ્ર મામલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. 


વિદેશી ચેનલે હરદીપસિંહ પૂરીને પૂછ્યો હતો સવાલ 

વિદેશી ચેનલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને રશિયા પાસેથી તેલ ખરીદવા મામલે સવાલ કર્યો હતો કે ભારત કેમ રશિયા પાસેથી વધારે તેલ ખરીદે છે? ત્યારે પેટ્રોલિયમ મંત્રીએ જવાબ આપ્યો હતો કે ભારતે ત્રણ મહિનામાં રશિયા પાસેથી એટલું તેલ ખરીદ્યું છે જેટલું યુરોપ એક દિવસમાં રશિયા પાસેથી ખરીદે છે. આ વર્ષે ભારતે રશિયા પાસેથી કુલ તેલની ખરીદીના 2 ટકા તેલ જ ખરીદ્યું છે. ભારત સૌથી વધુ તેલ ઈરાક પાસેથી ખરીદે છે. 


યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપના દેશોએ અન્ય દેશો પર દબાવ નાખ્યો હતો કે કોઈ પણ રશિયા સાથે વેપારના સંબંધ ના રાખે. ત્યારથી આ મુદ્દો ચગ્યો હતો. આ મામલે અગાઉ ઘણીવાર વિદેશ મંત્રી એસ જયશંકરને પણ સવાલો પૂછવામાં આવ્યા છે જે મામલે વિદેશ મંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ભારતને શું ક્યાંથી ખરીદવું તે ભારત નક્કી કરશે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.