હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, સર્વોચ્ચ અદાલતે નિયમિત જામીન મંજૂર કર્યા


  • Published By :
  • Published Date : 2023-04-28 15:21:00

રાજ્યમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રમખાણો, હિંસા અને આગચંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની બેંચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી.


હાર્દિક પટેલ પર આરોપ શું છે?


ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 


સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી


મહેસાણાની નીચલી અદાલતના ચુકાદાને હાર્દિક પટેલે વર્ષ 2019માં હાઈકોર્ટમાં પડકારી હતી. હાર્દિક પટેલે તેમની સજાને સ્થગિત કરવા માટે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે હાર્દિક પટેલની આ અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. 


સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપ્યો હતો


સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલે અપીલ કરી હતી કે તેમની સજાને પાછી ખેંચવામાં આવે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. જે પછી સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી લીધી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડછી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.