Harsh Sanghaviએ Rajkot અને Jamnagarમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી, બેઠકમાં અપાઈ આ સૂચના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-22 11:23:14

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે.. રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ તેમને તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદનો અંત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ તેમજ જામનગર હર્ષ સંઘવી આવ્યા અને ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી તેવી માહિતી સામે આવી છે. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ લોકસભા બેઠક થોડા સમયથી ચર્ચામાં છે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી છે પરંતુ તે બાદ પણ વિવાદ શાંત લેવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ પ્રતિદિન ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત ના થયો. 


વિવાદનો અંત લાવવા ભાજપના નેતાઓ મેદાને! 

ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ જે બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ શકે છે, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. ક્ષત્રિય સમાજ જાણે આર યા પારની લડાઈ લડવા તૈયાર હોય તેવું લાગે છે. સમાજના લોકો દ્વારા એવી વાતો કરવામાં આવી કે આંદોલનને આગળ લઈ જવામાં આવશે. આ બધા વચ્ચે આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ ફરી મેદાનમાં આવ્યા છે. 


ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો હતા બેઠકમાં હાજર 

ગઈકાલે રાજકોટ તેમજ જામનગર ખાતે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવાઈ હતી જેમાં હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર હતા.  પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કેવી રીતે થાય તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાને સૂચના આપવામાં આવી છે. નેતાઓને સમાજ વચ્ચે જવા કહેવામાં આવ્યું છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન સમાજના લોકો કરે તે માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.