Harsh Sanghaviએ Rajkot અને Jamnagarમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી, બેઠકમાં અપાઈ આ સૂચના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-22 11:23:14

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે.. રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ તેમને તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદનો અંત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ તેમજ જામનગર હર્ષ સંઘવી આવ્યા અને ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી તેવી માહિતી સામે આવી છે. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ લોકસભા બેઠક થોડા સમયથી ચર્ચામાં છે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી છે પરંતુ તે બાદ પણ વિવાદ શાંત લેવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ પ્રતિદિન ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત ના થયો. 


વિવાદનો અંત લાવવા ભાજપના નેતાઓ મેદાને! 

ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ જે બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ શકે છે, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. ક્ષત્રિય સમાજ જાણે આર યા પારની લડાઈ લડવા તૈયાર હોય તેવું લાગે છે. સમાજના લોકો દ્વારા એવી વાતો કરવામાં આવી કે આંદોલનને આગળ લઈ જવામાં આવશે. આ બધા વચ્ચે આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ ફરી મેદાનમાં આવ્યા છે. 


ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો હતા બેઠકમાં હાજર 

ગઈકાલે રાજકોટ તેમજ જામનગર ખાતે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવાઈ હતી જેમાં હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર હતા.  પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કેવી રીતે થાય તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાને સૂચના આપવામાં આવી છે. નેતાઓને સમાજ વચ્ચે જવા કહેવામાં આવ્યું છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન સમાજના લોકો કરે તે માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે