Harsh Sanghaviએ Rajkot અને Jamnagarમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી, બેઠકમાં અપાઈ આ સૂચના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-22 11:23:14

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે.. રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ તેમને તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદનો અંત લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજકોટ તેમજ જામનગર હર્ષ સંઘવી આવ્યા અને ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી તેવી માહિતી સામે આવી છે. 

ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો 

રાજકોટ લોકસભા બેઠક થોડા સમયથી ચર્ચામાં છે ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માગી લીધી છે પરંતુ તે બાદ પણ વિવાદ શાંત લેવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ પ્રતિદિન ઉગ્ર બની રહ્યો હોય તેવું લાગે છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત ના થયો. 


વિવાદનો અંત લાવવા ભાજપના નેતાઓ મેદાને! 

ભાજપના નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ જે બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ શકે છે, પરંતુ તે પ્રયાસો નિષ્ફળ નિવડ્યા. ક્ષત્રિય સમાજ જાણે આર યા પારની લડાઈ લડવા તૈયાર હોય તેવું લાગે છે. સમાજના લોકો દ્વારા એવી વાતો કરવામાં આવી કે આંદોલનને આગળ લઈ જવામાં આવશે. આ બધા વચ્ચે આ વિવાદને શાંત કરવા માટે ભાજપના નેતાઓ ફરી મેદાનમાં આવ્યા છે. 


ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો હતા બેઠકમાં હાજર 

ગઈકાલે રાજકોટ તેમજ જામનગર ખાતે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવાઈ હતી જેમાં હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર હતા.  પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કેવી રીતે થાય તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત એવી પણ વાત સામે આવી છે કે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાને સૂચના આપવામાં આવી છે. નેતાઓને સમાજ વચ્ચે જવા કહેવામાં આવ્યું છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન સમાજના લોકો કરે તે માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની શરૂઆત કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.