ટ્રાફિક પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, "વાહનચાલકો સાથે ગુનેગારો જેવું વર્તન ન કરો"


  • Published By :
  • Published Date : 2023-07-06 21:49:18

રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસકર્મીઓ દ્વારા સામાન્ય માણસ સાથે રીઢા ગુનેગારો જેવું વર્તન કરવામાં આવે છે. ટ્રાફિકની નાની ભૂલ માટે કે પછી  કોઈ વ્યક્તિ લાયસન્સ ભૂલી ગયો હોય અથવા તો તેની પાસે PUC ન હોય તો પોલીસ તેની સાથે આરોપીઓ જેવુ વર્તન કરે છે અને તેમની જાહેરમાં બેઈજ્જતી કરે છે. આ મામલે આજે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થઈ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે TRB જવાનો દ્વારા વાહન ચાલકોને રોકી યેનકેન પ્રકારે હેરાન કરી કાયદાના ડરથી પૈસા પડાવામાં આવતા હોય છે. TRB જવાનોની દાદાગીરીના દૃશ્યો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતા હોય છે.


શું કહ્યું હર્ષ સંઘવીએ?


ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદમાં આજે ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને કેટલીક ટકોર કરી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ-અલગ 4 જેટલા વિષયો પર વાત કરી હતી. જેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થઈ રહ્યુ છે. તેમણે કહ્યું કે, પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે અધિકારીઓ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સામાન્ય નાગરિકોને લાયસન્સ અને PUC જેવી બાબતે આરોપીઓ જેવુ વર્તન કરીને હેરાન કરવામાં ન આવે. આપણે અન્ય વિષયોમાં જેમ સફળતા મેળવી છે તેમ આમાં પણ 100 ટકા સફળતા મેળવીશું. અત્રે ઉલ્લેખનિય છે કે હર્ષ સંઘવીએ અગાઉ પણ અનેક વાર ટકોર કરી છે, તેમ છતાં અમુક અધિકારીઓએ અને કર્મચારીઓ ગૃહ રાજ્યમંત્રીને ગણકારતા નથી, ત્યારે આજે ફરીથી તેમણે પોલીસને સામાન્ય વ્યક્તિઓ સાથે આરોપીઓ જેવુ વર્તન ન કરવા ટકોર કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.