Suratમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરની Harsh Sanghviએ કરી સફાઈ, ફોટોઝ શેર કરતા કહી આ વાત, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-15 16:58:02

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામ, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે આ અભિયાન ચલાવાઈ રહ્યું છે. લોકો સ્વચ્છતા અંગે જાગૃત્ત થાય તે હેતુ આ અભિયાનનો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ વિવિધ મંદિરોની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પરિસરની કરી સફાઈ! 

અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ નવ નિર્મિત થઈ રહેલા મંદિરમાં સ્થાપિત થવાની છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થાય તે પહેલા પીએમ મોદીએ એક અપીલ કરી છે. અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા માટે આહ્વાવન કર્યું હતું. દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવના મંદિર પરિસરમાં હર્ષ સંઘવીએ સફાઈ કરી હતી. 

પીએમ મોદીએ કરી હતી આ અભિયાનની શરૂઆત 

સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો. ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સ્વચ્છતા કરી હતી. તો સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડા તાલુકાના ઉંદરા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. મહત્વનું છે કે આ અભિયાનની શરૂઆત નાસિકના કાલારામ મંદિરથી પીએમ મોદીએ કરી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.