Suratમાં આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરની Harsh Sanghviએ કરી સફાઈ, ફોટોઝ શેર કરતા કહી આ વાત, જુઓ તસવીર


  • Published By :
  • Published Date : 2024-01-15 16:58:02

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામ, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે આ અભિયાન ચલાવાઈ રહ્યું છે. લોકો સ્વચ્છતા અંગે જાગૃત્ત થાય તે હેતુ આ અભિયાનનો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ વિવિધ મંદિરોની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી.

સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પરિસરની કરી સફાઈ! 

અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ નવ નિર્મિત થઈ રહેલા મંદિરમાં સ્થાપિત થવાની છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થાય તે પહેલા પીએમ મોદીએ એક અપીલ કરી છે. અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા માટે આહ્વાવન કર્યું હતું. દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત સ્થિત ઈચ્છાનાથ મહાદેવના મંદિર પરિસરમાં હર્ષ સંઘવીએ સફાઈ કરી હતી. 

પીએમ મોદીએ કરી હતી આ અભિયાનની શરૂઆત 

સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો. ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સ્વચ્છતા કરી હતી. તો સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડા તાલુકાના ઉંદરા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. મહત્વનું છે કે આ અભિયાનની શરૂઆત નાસિકના કાલારામ મંદિરથી પીએમ મોદીએ કરી હતી.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.