વિરોધીઓના ગઢમાં હર્ષ સંઘવીનો ઝંઝાવાતી પ્રચાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-21 20:34:52

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે. 

Harsh Sanghvi Attacks Congress, AAP in Vadgam | Election Campaign

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપે મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. વાત કરીએ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તો તેઓ ઝંઝાવાતી રીતે વિપક્ષી દળોના ગઢમાં પ્રચાર કરી રહ્યા છે.  સૌપ્રથમ વાત કરીએ , આણંદની તો આ જિલ્લાની  આંકલાવ વિધાનસભાની બેઠક ૨૦૧૨થી કોંગ્રેસ ના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે. ૨૦૧૨થી આ બેઠક કોંગ્રેસનો ગઢ છે. હવે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ , આણંદમાં સોમવારના દિવસે , નાવલી કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી , ત્યારબાદ આણંદના સામરખામાં મહાકાળી ચોક ખાતે વિકાસ સંકલ્પ સભા કરી હતી, આ પછી આંકલાવ ખાતે જે કે પાર્ટી પ્લોટમાં એક જાહેર સભાને સંબોધન કર્યું છે. 

આમ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, કોંગ્રેસને તેના ગઢમાં જ હરાવવામાં આવે. આ પછી , વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાના લીધે લોકપ્રિય છે ત્યારે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વસાવાના સમાજના આગેવાનો સાથે એક બેઠક કરવામાં આવી હતી આ પછી તેમણે ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધન પણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાના ગઢમાં આ અગાઉ ખુબ મોટું ગાબડું પડ્યું હતું, જેમ કે , જગદીશ વસાવાએ આમ આદમી પાર્ટીને રામ રામ કરીને કેસરિયો કર્યા હતા. તો થોડાક સમય અગાઉ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આપના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા અને વકીલ રાજ વસાવા સહિત આપ અને કોંગ્રેસના 700થી 1000 નેતાઓએ વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો. આમ , આમ આદમી પાર્ટી માટે દક્ષિણ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કપરા ચઢાણ છે. 

હવે વાત કરીએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તો , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વડગામમાં જાહેર સભાને સંબોધન કર્યું છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, " આ ચૂંટણીઓમાં કોંગ્રેસને તેના ઇતિહાસની સૌથી મોટી હાર મળશે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ ચૂંટણીઓમાં ૭૦૦થી વધારે જગ્યાઓ પર ઉમેદવારો મળ્યા નઈ એટલે નવું લાવ્યા , ઉમેદવારોને ધાકધમકી આપે છે. "  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવનારા સમયમાં ૨૩મી તારીખે રાજકોટની મુલાકાત લેવાના છે , જ્યાં તેઓ શહેરના મુખ્યમાર્ગો પર રોડ શો કરશે. હર્ષ સંઘવી રાજકોટમાં જનસંપર્ક પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ સાંજે એક વિકાસ સંકલ્પ સભાને સંબોધિત પણ કરવાના છે. રાજકોટ હંમેશાથી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે પરંતુ , ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતી નથી.




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.