વિરોધીઓના ગઢમાં હર્ષ સંઘવીનો ઝંઝાવાતી પ્રચાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-21 20:34:52

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે. 

Harsh Sanghvi Attacks Congress, AAP in Vadgam | Election Campaign

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપે મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. વાત કરીએ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તો તેઓ ઝંઝાવાતી રીતે વિપક્ષી દળોના ગઢમાં પ્રચાર કરી રહ્યા છે.  સૌપ્રથમ વાત કરીએ , આણંદની તો આ જિલ્લાની  આંકલાવ વિધાનસભાની બેઠક ૨૦૧૨થી કોંગ્રેસ ના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે. ૨૦૧૨થી આ બેઠક કોંગ્રેસનો ગઢ છે. હવે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ , આણંદમાં સોમવારના દિવસે , નાવલી કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી , ત્યારબાદ આણંદના સામરખામાં મહાકાળી ચોક ખાતે વિકાસ સંકલ્પ સભા કરી હતી, આ પછી આંકલાવ ખાતે જે કે પાર્ટી પ્લોટમાં એક જાહેર સભાને સંબોધન કર્યું છે. 

આમ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, કોંગ્રેસને તેના ગઢમાં જ હરાવવામાં આવે. આ પછી , વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાના લીધે લોકપ્રિય છે ત્યારે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વસાવાના સમાજના આગેવાનો સાથે એક બેઠક કરવામાં આવી હતી આ પછી તેમણે ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધન પણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાના ગઢમાં આ અગાઉ ખુબ મોટું ગાબડું પડ્યું હતું, જેમ કે , જગદીશ વસાવાએ આમ આદમી પાર્ટીને રામ રામ કરીને કેસરિયો કર્યા હતા. તો થોડાક સમય અગાઉ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આપના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા અને વકીલ રાજ વસાવા સહિત આપ અને કોંગ્રેસના 700થી 1000 નેતાઓએ વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો. આમ , આમ આદમી પાર્ટી માટે દક્ષિણ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કપરા ચઢાણ છે. 

હવે વાત કરીએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તો , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વડગામમાં જાહેર સભાને સંબોધન કર્યું છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, " આ ચૂંટણીઓમાં કોંગ્રેસને તેના ઇતિહાસની સૌથી મોટી હાર મળશે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ ચૂંટણીઓમાં ૭૦૦થી વધારે જગ્યાઓ પર ઉમેદવારો મળ્યા નઈ એટલે નવું લાવ્યા , ઉમેદવારોને ધાકધમકી આપે છે. "  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવનારા સમયમાં ૨૩મી તારીખે રાજકોટની મુલાકાત લેવાના છે , જ્યાં તેઓ શહેરના મુખ્યમાર્ગો પર રોડ શો કરશે. હર્ષ સંઘવી રાજકોટમાં જનસંપર્ક પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ સાંજે એક વિકાસ સંકલ્પ સભાને સંબોધિત પણ કરવાના છે. રાજકોટ હંમેશાથી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે પરંતુ , ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતી નથી.




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.