સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.
![]()
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપે મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. વાત કરીએ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તો તેઓ ઝંઝાવાતી રીતે વિપક્ષી દળોના ગઢમાં પ્રચાર કરી રહ્યા છે. સૌપ્રથમ વાત કરીએ , આણંદની તો આ જિલ્લાની આંકલાવ વિધાનસભાની બેઠક ૨૦૧૨થી કોંગ્રેસ ના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે. ૨૦૧૨થી આ બેઠક કોંગ્રેસનો ગઢ છે. હવે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ , આણંદમાં સોમવારના દિવસે , નાવલી કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી , ત્યારબાદ આણંદના સામરખામાં મહાકાળી ચોક ખાતે વિકાસ સંકલ્પ સભા કરી હતી, આ પછી આંકલાવ ખાતે જે કે પાર્ટી પ્લોટમાં એક જાહેર સભાને સંબોધન કર્યું છે.
આમ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, કોંગ્રેસને તેના ગઢમાં જ હરાવવામાં આવે. આ પછી , વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાના લીધે લોકપ્રિય છે ત્યારે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વસાવાના સમાજના આગેવાનો સાથે એક બેઠક કરવામાં આવી હતી આ પછી તેમણે ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધન પણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાના ગઢમાં આ અગાઉ ખુબ મોટું ગાબડું પડ્યું હતું, જેમ કે , જગદીશ વસાવાએ આમ આદમી પાર્ટીને રામ રામ કરીને કેસરિયો કર્યા હતા. તો થોડાક સમય અગાઉ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આપના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા અને વકીલ રાજ વસાવા સહિત આપ અને કોંગ્રેસના 700થી 1000 નેતાઓએ વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો. આમ , આમ આદમી પાર્ટી માટે દક્ષિણ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કપરા ચઢાણ છે.
હવે વાત કરીએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તો , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વડગામમાં જાહેર સભાને સંબોધન કર્યું છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, " આ ચૂંટણીઓમાં કોંગ્રેસને તેના ઇતિહાસની સૌથી મોટી હાર મળશે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ ચૂંટણીઓમાં ૭૦૦થી વધારે જગ્યાઓ પર ઉમેદવારો મળ્યા નઈ એટલે નવું લાવ્યા , ઉમેદવારોને ધાકધમકી આપે છે. " નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવનારા સમયમાં ૨૩મી તારીખે રાજકોટની મુલાકાત લેવાના છે , જ્યાં તેઓ શહેરના મુખ્યમાર્ગો પર રોડ શો કરશે. હર્ષ સંઘવી રાજકોટમાં જનસંપર્ક પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ સાંજે એક વિકાસ સંકલ્પ સભાને સંબોધિત પણ કરવાના છે. રાજકોટ હંમેશાથી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે પરંતુ , ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતી નથી.






.jpg)








