લવ જેહાદ મામલે હર્ષ સંઘવીની ચેતવણી, 'સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓને ફસાવશે તો સાંખી નહીં લેવાય'


  • Published By :
  • Published Date : 2023-05-18 18:20:07

લવ જેહાદની કથા વસ્તુ પર આધારીત ફિલ્મ કેરાલા સ્ટોરીની ચોતરફ ચર્ચા છે, ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે ધારદાર નિવેદન કર્યું છે. આજે મોરબી ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવા આવેલા હર્ષ સંઘવીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે કોઈ પણ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓને ફસાવશે તો તેને સાંખી નહીં લેવાય તેમજ કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાંખી નહીં લેવામાં આવે. પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે કરવામાં આવતું ષડ્યંત્ર ચલાવી લેવામાં નહીં આવે. આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે તેની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.


પ્રેમને બદનામ કરનારાને ચેતવણી
 

મોરબી જિલ્લાના નાગરિકોને આજે હું સૂચન અને ચેતવણી આપવા આવ્યો છું. મારું સૂચન ખૂબ ગંભીરતાપૂર્વક અને જેના મનમાં માનવતા પણ બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે. દુનિયાના કોઇપણ ખૂણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર સાહેબ, પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામને બદનામ કરવાવાળા કાન ખોલીને સાંભળી લે... કોઈ સલીમ સુરેશના નામે પ્રેમ કરીને જો કોઈ ભોળી દીકરીને ફસાવશે તો એ દીકરીનો ભાઈ બનીને હું આવ્યો છું. કોઇ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે અને કોઇ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે. પ્રેમ કરવાનો હક બધાને છે, પણ પ્રેમના નામે કોઈપણ ભોળી દીકરીને ફસાવશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આ પ્રકારની કોઇ પણ અરજી કોઇ પણ પરિવારજનો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આવે તો એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે. આવી ફરિયાદ લઈને આવનારાઓને બીજો ધક્કો ખવડાવવામાં ન આવે અને એ જ દિવસે પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરીને પગલાં ભરશે.

 

ષડ્યંત્રકારોને રોકવાની જવાબદારી કાયદાની

 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે હું જણાવવા માગું છું કે આ પ્રકારની ઘટનાઓની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ ચાલું છે. એક-એક કિસ્સાને ગંભીરતાપૂર્વક લેવામાં આવશે. તપાસનાં મૂળિયાં ક્યાં સુધી છે, એ ગુનાનાં મૂળિયાં ક્યાં સુધી છે એ તપાસમાં સો ટકા બહાર આવશે, એની હું આપને ખાતરી આપવા આવ્યો છું. પ્રેમ શબ્દને બદનામ કરનારા એક-એક લોકો એ પછી કોઇપણ હોય, તેને સમજાવવાની જવાબદારી સમાજની છે અને સમજે નહીં, ષડ્યંત્રરૂપી કોઈ કામ કરતા જ રહે તો તેને રોકવાની જવાબદારી કાયદાની છે. એ કાયદાની કામગીરીની જવાબદારી તમે મને આપી છે. તો હું તમને વિશ્વાસ અપાવું છું કે આ બાબતે એકદમ ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવશે. મોરબીમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે આપેલા આ નિવેદને સૌને ચોંકાવી દીધા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.