યુવરાજસિંંહને લઈ હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન! સાંભળો ડમી કાંડ મામલે શું કહ્યું હર્ષ સંઘવીએ...


  • Published By :
  • Published Date : 2023-04-24 11:26:24

યુવરાજસિંહ અંગે અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટિલે આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યારે હર્ષ સંઘવીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. એ કામ પોલીસે કર્યું છે. પોલીસે સીસીટીવી રજૂ કર્યા છે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.

હર્ષ સંઘવીએ ડમી કાંડ મામલે આપ્યું નિવેદન!

ડમી કાંડ મામલે નવા નવા વળાંક આવી રહ્યા છે. ખંડણીને લઈ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 જેટલા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાને જે માહિતી આપે અને પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.



સી.આર.પાટીલે પણ આપી પ્રતિક્રિયા!

હર્ષ સંઘવી ઉપરાંત સી.આર.પાટીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વીડિયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે"        

    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે