યુવરાજસિંંહને લઈ હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન! સાંભળો ડમી કાંડ મામલે શું કહ્યું હર્ષ સંઘવીએ...


  • Published By :
  • Published Date : 2023-04-24 11:26:24

યુવરાજસિંહ અંગે અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટિલે આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યારે હર્ષ સંઘવીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. એ કામ પોલીસે કર્યું છે. પોલીસે સીસીટીવી રજૂ કર્યા છે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.

હર્ષ સંઘવીએ ડમી કાંડ મામલે આપ્યું નિવેદન!

ડમી કાંડ મામલે નવા નવા વળાંક આવી રહ્યા છે. ખંડણીને લઈ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 જેટલા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાને જે માહિતી આપે અને પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.



સી.આર.પાટીલે પણ આપી પ્રતિક્રિયા!

હર્ષ સંઘવી ઉપરાંત સી.આર.પાટીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વીડિયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે"        

    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.