Gandhinagar ST Bus Stationની Harsh Sanghviએ લીધી ઓચિંતી મુલાકાત, વીડિયો જોઈ તમે પણ કહેશો કે....!


  • Published By :
  • Published Date : 2023-12-08 10:23:06

રાજ્યમાં તેમજ દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અનેક કાર્યક્રમો અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અનેક અભિયાનો ચાલી રહ્યા છે પરંતુ રસ્તા પર અનેક વખત ગંદકી દેખાતી હોય છે. એસટી બસમાં સફાઈ રહે તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત થોડા દિવસો પહેલા કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનમાં સફાઈ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની સફાઈ કરી હતી. ત્યારે આ અભિયાનને શરૂ થયે થોડા દિવસો જ થયા ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી હતી.

જ્યાં ત્યાં લોકો નાખી દેતા હોય છે કચરો!

રસ્તા પર જ્યારે આપણે કચરો જોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે સાફ સફાઈ નથી થતી, અથવા તો સફાઈ કરેલી જગ્યા પર ફરીથી ગંદકી થઈ ગઈ! બસોમાં પણ જ્યારે આપણે જ્યારે મુસાફરી કરીએ છીએ ત્યારે પાણીની બોટલો, પેકેટો ત્યાંની ત્યાં મૂકી આવીએ છીએ. એસટી બસમાં, એસટી બસ સ્ટેશન સહિત અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે રસ્તા પર કચરો ફેંક્યો હશે. એસટી બસ તેમજ એસટી બસ સ્ટેશનની હાલત જોઈએ ત્યારે તેની દુર્દશા જોઈને દયા આવી જાય. અનેક એસટી બસ સ્ટેશન એવા હશે જ્યાં લોકોએ પીચકારી મારી હશે, પાણીની બોટલ, વેફરના પેકેટ જ્યાં ત્યાં ફેકી દીધા હશે વગેરે વગેરે. 

ગાંધીનગર એસટી બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત 

એસટી બસમાં જ્યારે લોકો મુસાફરી કરે છે ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ નથી હોતી, કચરો ફેંકેલો હોય છે વગેરે વગેરે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેશન પર સફાઈ જળવાય તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનનોની સફાઈ કરવામાં આવશે. અભિયાન ચાલી થયે હજુ થોડા દિવસ જ વિત્યા છે ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે આવેલા એસટી બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્ટેશનમાં તો ફર્યા પરંતુ બસમાં તેઓ સફાઈ કેટલી જળવાય છે તે જોવા ગયા હતા. મહત્વનું છે કે સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજમાં આવે છે. 


સોશિયલ મીડિયા પર હર્ષ સંઘવીએ શેર કર્યા વીડિયો 

બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. બસમાં બેઠેલા મુસાફરો સાથે પણ તેમણે વાત કરી હતી ઉપરાંત લોકોને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે તેમણે આ પોસ્ટ શેર કરી ત્યારે અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે.કોઈએ તેમની પ્રશંસા કરી છે તો કોઈએ પોતાની ફરિયાદ તેમને જણાવી છે. સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજ છે. ત્યારે આપણે પણ કચરો ડસ્ટબીનમાં નાખીએ, સ્વચ્છતા જાળવીએ તેવી આશા કારણ કે નાગરિક તરીકે આપણી પણ અનેક ફરજો છે! 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.