Gandhinagar ST Bus Stationની Harsh Sanghviએ લીધી ઓચિંતી મુલાકાત, વીડિયો જોઈ તમે પણ કહેશો કે....!


  • Published By :
  • Published Date : 2023-12-08 10:23:06

રાજ્યમાં તેમજ દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અનેક કાર્યક્રમો અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અનેક અભિયાનો ચાલી રહ્યા છે પરંતુ રસ્તા પર અનેક વખત ગંદકી દેખાતી હોય છે. એસટી બસમાં સફાઈ રહે તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત થોડા દિવસો પહેલા કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનમાં સફાઈ કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની સફાઈ કરી હતી. ત્યારે આ અભિયાનને શરૂ થયે થોડા દિવસો જ થયા ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લીધી હતી.

જ્યાં ત્યાં લોકો નાખી દેતા હોય છે કચરો!

રસ્તા પર જ્યારે આપણે કચરો જોઈએ છીએ ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે સાફ સફાઈ નથી થતી, અથવા તો સફાઈ કરેલી જગ્યા પર ફરીથી ગંદકી થઈ ગઈ! બસોમાં પણ જ્યારે આપણે જ્યારે મુસાફરી કરીએ છીએ ત્યારે પાણીની બોટલો, પેકેટો ત્યાંની ત્યાં મૂકી આવીએ છીએ. એસટી બસમાં, એસટી બસ સ્ટેશન સહિત અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે રસ્તા પર કચરો ફેંક્યો હશે. એસટી બસ તેમજ એસટી બસ સ્ટેશનની હાલત જોઈએ ત્યારે તેની દુર્દશા જોઈને દયા આવી જાય. અનેક એસટી બસ સ્ટેશન એવા હશે જ્યાં લોકોએ પીચકારી મારી હશે, પાણીની બોટલ, વેફરના પેકેટ જ્યાં ત્યાં ફેકી દીધા હશે વગેરે વગેરે. 

ગાંધીનગર એસટી બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત 

એસટી બસમાં જ્યારે લોકો મુસાફરી કરે છે ત્યારે ગંદકીનો સામનો કરવો પડે છે. બસમાં સફાઈ નથી હોતી, કચરો ફેંકેલો હોય છે વગેરે વગેરે. ત્યારે એસટી બસમાં તેમજ એસટી બસ સ્ટેશન પર સફાઈ જળવાય તે માટે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત એસટી બસની તેમજ એસટી બસ સ્ટેશનનોની સફાઈ કરવામાં આવશે. અભિયાન ચાલી થયે હજુ થોડા દિવસ જ વિત્યા છે ત્યારે હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે આવેલા એસટી બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્ટેશનમાં તો ફર્યા પરંતુ બસમાં તેઓ સફાઈ કેટલી જળવાય છે તે જોવા ગયા હતા. મહત્વનું છે કે સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજમાં આવે છે. 


સોશિયલ મીડિયા પર હર્ષ સંઘવીએ શેર કર્યા વીડિયો 

બસ સ્ટેશનની હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. બસમાં બેઠેલા મુસાફરો સાથે પણ તેમણે વાત કરી હતી ઉપરાંત લોકોને સ્વચ્છતા જાળવવા પણ અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર જ્યારે તેમણે આ પોસ્ટ શેર કરી ત્યારે અલગ અલગ લોકોએ અલગ અલગ પ્રતિક્રિયા આપી છે.કોઈએ તેમની પ્રશંસા કરી છે તો કોઈએ પોતાની ફરિયાદ તેમને જણાવી છે. સ્વચ્છતા જાળવવી આપણી પણ ફરજ છે. ત્યારે આપણે પણ કચરો ડસ્ટબીનમાં નાખીએ, સ્વચ્છતા જાળવીએ તેવી આશા કારણ કે નાગરિક તરીકે આપણી પણ અનેક ફરજો છે! 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.