અંબાજી મંદિર પ્રસાદ મુદ્દે હર્ષ સંઘવીએ બોલાવી બેઠક, આજે લેવાઇ શકે છે મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-03-14 13:24:34

શક્તિપીઠ અંબાજીમાં શ્રધ્ધાળુંઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરાવાનો વિવાદ વણસ્યો છે. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટે  અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે રોષ છે. આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે અંબાજી પ્રસાદ વિવાદ વકર્યો છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઇ શકે છે. 


બેઠકમાં થશે નિર્ણય


હર્ષ સંઘવીએ બોલાવેલી આ બેઠકમાં રાજ્ય સરકારના અન્ય એક મંત્રી ઋષિકેશ પટેલ મંદિર પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ બેઠકમાં મોહનથાળનો પ્રસાદ ચાલું રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જ અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું હતુ. અગાઉના નિવેદનમાં ચિકીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.’ હવે જ્યારે આ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે જ સમગ્ર મામલો પોતાના હાથમાં લીધો છે.


કોંગ્રેસ, VHP અને દાંતાના રાજવીએ પણ કર્યો વિરોધ


અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે અગાઉ વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું છે. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દો વિધાનસભામા ઉઠાવ્યો હતો અને સામુહિક વોક આઉટ કર્યું હતું. જ્યારે દાંતાના રાજવી પરિવારે પણ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.