તલાટીની પરીક્ષા પહેલા ઉમેદવારો માટે હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત! જાણો પરીક્ષામાં કઈ વસ્તુઓ લઈ જવાશે સાથે!


  • Published By :
  • Published Date : 2023-05-06 17:36:56

આવતી કાલે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં 8 લાખથી વધુ ઉમેદવારો બેસવાના છે. આ પરીક્ષાને લઈ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી ગઈ છે. ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર પર કોઈ અડચણ વગર પહોંચી શકે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા પહેલા ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં અનેક મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી..   


આઈપીએસ હસમુખ પટેલના શિરે છે જવાબદારી! 

અનેક વખત સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ થતી હોય છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષા  ફૂટતાં પેપરને કેન્સલ કરવામાં આવી હતી. પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું. પરંતુ થોડા સમયની અંદર જ ફરી પરીક્ષાનું આયોજન થયું હતું.  શાંતિ પૂર્ણ વાતાવરણની અંદર જુનિયર ક્લાર્ક પરીક્ષા યોજાઈ હતી અને તે બાદ ટેટ-2નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આવતી કાલે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાની જવાબદારી આઈપીએસ હસમુખ પટેલના શિરે છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યા છે. કડક પોલીસ બંદોબસ્ત અને સિક્યોરિટીની વચ્ચે પરીક્ષા યોજાવાની છે.  


આ ઘડિયાળનો જ ઉમેદવારો કરી શકશે ઉપયોગ!  

પરીક્ષા પહેલા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષામાં આઠ લાખથી વધુ ઉમેદવાો બેસવાના છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે ઉમેદવારો સાદી કાંડા ઘડિયાળ અંદર પહેરી શકશે પરંતુ ઈલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ અંદર નહીં લઈ જઈ શકાય. ઉપરાંત ઉમેદવારો પરીક્ષા પૂર્ણ થયા બાદ જ પરીક્ષા કેન્દ્રની બહાર આવી શકશે. તે સિવાય ઉમેદવારોએ પરીક્ષા રૂમની બહાર કાઢ્યા બાદ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવી છે.


શંકાસ્પદ ડમી ઉમેદવાર હશે તો?   

તે ઉપરાંત વીડિયોગ્રાફી અને પોલીસ પણ બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉમેદવારોનાં ઓળખકાર્ડ, કોલલેટર ચેક કરવામાં આવશે અને એમાં શંકા લાગશે તો ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં આવશે, પરંતુ પરીક્ષા પૂરી થયા પછી તેને જવા દેવામાં આવશે નહીં અને તેની વિશેષ પૂછપરછ કરવામા આવશે. જ્યાં સુધી ખાતરી ન થાય કે તે ડમી ઉમેદવાર નથી ત્યાં સુધી તેને પરીક્ષા કેન્દ્રમાંથી છોડવામાં આવશે નહીં.     


નવા કાયદા હેઠળ યોજાઈ રહી છે પરીક્ષા!

આ પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નવા કાયદાની અંદર ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ છે. પરીક્ષામાં અડચણ ઉભી કરનારા માટે પણ કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો સરકારની અંદર કોઈ બરાબર ફરજ ન બજાવતું હોય તો તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. 


ઉમેદવારો માટે બસની તેમજ ટ્રેનની કરાઈ વ્યવસ્થા!

ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે બસની તેમજ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારો માટે 4500 જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. 488 જેટલી સ્પેશિયલ બસ મૂકવામાં આવી છે. તે ઉપરાંત હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ટ્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વર્ગખંડમાં ઉમેદવારોને 11.55 કલાકે પ્રવેશ આપવામાં આવશે. જે બાદ દોઢ વાગ્યા સુધી એટલે કે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી વર્ગખંડની બહાર મોકલવામાં આવશે નહીં. ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે પ્રામાણીકતાથી પરીક્ષા આપવી ઉમેદવારોની જવાબદારી છે. કારણ કે અમુક ઉમેદવારોને કારણે લાખો ઉમેદવારોને વેઠવાનો વારો આવે છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.