તલાટીની પરીક્ષા અંગે ફેલાઈ અફવા, પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-02-20 20:59:15

રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈ હંમેશા અસમંજસની સ્થિતી રહેતી હોય છે. જેમ કે હાલ પંચાયત પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા મામલે અફવાઓનું બજાર ગરમ છે. છેલ્લા બે દિવસથી એવી અફવા ફેલાઈ છે કે તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. જો કે આ મુદ્દે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. 


શું કહ્યું હસમુખ પટેલે?


રાજ્યમાં તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે તે અફવાને લઈ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ખુલાસો કર્યો છે. હસમુખ પટેલે અફવાઓનું ખંડન કરતા કહ્યું કે ‘હાલ આ પ્રકારની કોઈ વાત જ નથી. સરકાર એવુ કંઈ વિચારતી પણ હોય તો તેઓ સૌથી પહેલાં અધિકારીઓ સાથે આ મુદ્દે પરામર્શ કરે પણ આગામી એપ્રિલમાં યોજાનારી પરીક્ષાને લઈને આવી કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હાલ તો તમામ પરીક્ષાઓ એક જ તબક્કામાં લેવામાં આવશે એટલે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની અસમંજસમાં રહેવું નહીં.’IPS હસમુખ પટેલના આ ખુલાસા બાદ એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે આ પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.