તલાટીની પરીક્ષા અંગે ફેલાઈ અફવા, પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-02-20 20:59:15

રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈ હંમેશા અસમંજસની સ્થિતી રહેતી હોય છે. જેમ કે હાલ પંચાયત પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા મામલે અફવાઓનું બજાર ગરમ છે. છેલ્લા બે દિવસથી એવી અફવા ફેલાઈ છે કે તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. જો કે આ મુદ્દે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. 


શું કહ્યું હસમુખ પટેલે?


રાજ્યમાં તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે તે અફવાને લઈ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ખુલાસો કર્યો છે. હસમુખ પટેલે અફવાઓનું ખંડન કરતા કહ્યું કે ‘હાલ આ પ્રકારની કોઈ વાત જ નથી. સરકાર એવુ કંઈ વિચારતી પણ હોય તો તેઓ સૌથી પહેલાં અધિકારીઓ સાથે આ મુદ્દે પરામર્શ કરે પણ આગામી એપ્રિલમાં યોજાનારી પરીક્ષાને લઈને આવી કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હાલ તો તમામ પરીક્ષાઓ એક જ તબક્કામાં લેવામાં આવશે એટલે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની અસમંજસમાં રહેવું નહીં.’IPS હસમુખ પટેલના આ ખુલાસા બાદ એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે આ પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.