તલાટીની પરીક્ષા અંગે ફેલાઈ અફવા, પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-02-20 20:59:15

રાજ્યમાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈ હંમેશા અસમંજસની સ્થિતી રહેતી હોય છે. જેમ કે હાલ પંચાયત પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા મામલે અફવાઓનું બજાર ગરમ છે. છેલ્લા બે દિવસથી એવી અફવા ફેલાઈ છે કે તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે. જો કે આ મુદ્દે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. 


શું કહ્યું હસમુખ પટેલે?


રાજ્યમાં તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે તે અફવાને લઈ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ખુલાસો કર્યો છે. હસમુખ પટેલે અફવાઓનું ખંડન કરતા કહ્યું કે ‘હાલ આ પ્રકારની કોઈ વાત જ નથી. સરકાર એવુ કંઈ વિચારતી પણ હોય તો તેઓ સૌથી પહેલાં અધિકારીઓ સાથે આ મુદ્દે પરામર્શ કરે પણ આગામી એપ્રિલમાં યોજાનારી પરીક્ષાને લઈને આવી કોઈ ચર્ચા કરવામાં આવી નથી. હાલ તો તમામ પરીક્ષાઓ એક જ તબક્કામાં લેવામાં આવશે એટલે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની અસમંજસમાં રહેવું નહીં.’IPS હસમુખ પટેલના આ ખુલાસા બાદ એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે આ પરીક્ષા એક જ તબક્કામાં યોજાશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.