5 વર્ષમાં જ ખખડધજ થયેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો લેવાયો નિર્ણય, ભ્રષ્ટ અધિકારીઓ સામે થશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-14 14:14:42

અમદાવાદના ખખડધજ હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવામાં આવશે. હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજ તપાસ દરમિયાન નબળી ગુણવત્તાનો હોવાનું સામે આવતા હવે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 40-45 કરોડના ખર્ચે તૈયાર થયેલો ભ્રષ્ટાચારનો આ બ્રિજ 5 વર્ષ જ જર્જરીત થઈ જતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજનું સમારકામ કરવું લગભગ અશક્ય હોવાનું જણાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


તપાસ બાદ લેવાયો નિર્ણય


હાટકેશ્વર બ્રિજ જર્જરીત થતાં સરકારી તથા ખાનગી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. રૂડકી આઈઆઈટી દ્વારા પણ બ્રિજની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ રૂડકી IIT દ્વારા બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. બ્રિજની ગુણવત્તા શંકાસ્પદ જણાયા બાદ કમિશનર દ્વારા ત્રણ સભ્યોની કમિટી બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યો હતા. જે બાદ આ કમિટીએ તપાસ કરીને રિપોર્ટ કમિશનરને સોંપ્યો હતો. બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતા અને તે જોખમી હોવાનું જણાતા હવે તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


બ્રિજ બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર 


હાટકેશ્વર બ્રિજ સરકાર માન્ય એજન્સી CIMEC દ્વારા કરાયેલી તપાસમાં પણ બ્રિજની ગુણવત્તા અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ સામે સવાલ ઉભા કરાયા હતા. જેમાં બ્રિજના સ્પનના ઉપયોગમાં લેવાયેલો કોંક્રીટ શંકાસ્પદ જણાયો હતો. આ રિપોર્ટમાં નિયમ ધોરણ કરતા પણ ઓછી કોંક્રેટ વાપરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ રિપોર્ટમાં કરાયો છે. નિયમ પ્રમાણે ગ્રેડ ફો કોંક્રીટ ઓછામાં ઓછો ત્રણગણો હોવો જોઈએ. જેમાં ટેસ્ટ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં ગ્રેડ ઓફ ક્રોકિટ માત્ર 1.48થી 2.59 મળી આવી હતી. આખરે સપ્ટેમ્બર 2022માં બ્રિજના બન્ને સ્પાનના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બ્રિજના ઘણાં ભાગોમાં કોંક્રીટની સ્ટ્રેન્થ નબળી હોવાનું અને ગુણવત્તા શંકાસ્પદ જણાઈ હતી.


ભ્રષ્ટ અધિકારીઓ સામે થશે કાર્યવાહી


હાટકેશ્વર બ્રિજને બનાવવામાં ગેરરિતી આચરનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવશે. જવાબદારો સામે પગલા ભરવા અંગે AMC દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. બ્રિજની ગુણવત્તા અને તેને બંધ કરવાના મુદ્દે તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું. 


વર્ષ 2017માં તૈયાર થયો હતો બ્રિજ


હાટકેશ્વર બ્રિજનું નિર્માણનો વર્ક ઓર્ડર મળ્યા બાદ વર્ષ 2015માં કામ શરૂ થયું અને  વર્ષ 2017માં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું નિર્માણ અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. 4 લેનનો બ્રિજ 500 મીટર લાંબો બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજની ડિઝાઈન માટે ડેલ્ફ કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના દોઢ ટકા એટલે કે 60 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે