મંત્રી ઋષિકેશ પટેલ કાળઝાળ ગરમીના કારણે પરસેવાથી થયા રેબઝેબ, સભા દરમિયાન ટ્રેક્ટરમાં કૂલર મગાવવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-07-02 17:51:33

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠાના દાંતામાં આવેલા મોટાસડા ગામમાં  પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્તિથ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કર્યા હતા અને સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047 નો શુભારંભ કરાવ્યો હતો. જોકે આ કાર્યક્રમ માટે આવેલા મંત્રી અસહ્ય ગરમીના સહન કરી શક્યા નહોંતા, અને તેમના માટે ખાસ એક કૂલરની વ્યવસ્થા કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશથી “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન- 2047”નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

  

મંત્રીજી અસહ્ય ગરમી સહન ન કરી શક્યા 


દાંતા તાલુકાના મોટાસડા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બેઠેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેમની સાથે સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓને પણ અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જે બાદ તાત્કાલિક ટ્રેક્ટર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ ટ્રેક્ટરમાં કૂલર લાવીને સ્ટેજ સામે ચાલુ કરવામાં આવ્યું હતું. કૂલરની ઠંડી હવા સ્ટેજ સુધી પહોંચે તે માટે કાર્યક્રમના સ્ટેજની આસપાસ બાંધવામાં આવેલું કપડું પણ ઊંચું કરી લેવામાં આવ્યું હતું. 


લોકોએ પણ ચાલતી પકડી


પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં આવેલા લોકો માટે કાળઝાળ ગરમીથી રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોંતી. ગરમીથી બચવા ગરમી લોકોએ પણ કાર્યક્રમ છોડીને ચાલતી પકડી હતી. જોકે મંત્રીજી માટે તાત્કાલિક સ્ટેજ પર ઠંડી હવાની વ્યવસ્થા થઈ જતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.