મંત્રી ઋષિકેશ પટેલ કાળઝાળ ગરમીના કારણે પરસેવાથી થયા રેબઝેબ, સભા દરમિયાન ટ્રેક્ટરમાં કૂલર મગાવવું પડ્યું


  • Published By :
  • Published Date : 2023-07-02 17:51:33

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠાના દાંતામાં આવેલા મોટાસડા ગામમાં  પણ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્તિથ રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સિકલસેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કર્યા હતા અને સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-2047 નો શુભારંભ કરાવ્યો હતો. જોકે આ કાર્યક્રમ માટે આવેલા મંત્રી અસહ્ય ગરમીના સહન કરી શક્યા નહોંતા, અને તેમના માટે ખાસ એક કૂલરની વ્યવસ્થા કરવી પડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશથી “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન- 2047”નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

  

મંત્રીજી અસહ્ય ગરમી સહન ન કરી શક્યા 


દાંતા તાલુકાના મોટાસડા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બેઠેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તેમની સાથે સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓને પણ અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. જે બાદ તાત્કાલિક ટ્રેક્ટર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ ટ્રેક્ટરમાં કૂલર લાવીને સ્ટેજ સામે ચાલુ કરવામાં આવ્યું હતું. કૂલરની ઠંડી હવા સ્ટેજ સુધી પહોંચે તે માટે કાર્યક્રમના સ્ટેજની આસપાસ બાંધવામાં આવેલું કપડું પણ ઊંચું કરી લેવામાં આવ્યું હતું. 


લોકોએ પણ ચાલતી પકડી


પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં આવેલા લોકો માટે કાળઝાળ ગરમીથી રક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોંતી. ગરમીથી બચવા ગરમી લોકોએ પણ કાર્યક્રમ છોડીને ચાલતી પકડી હતી. જોકે મંત્રીજી માટે તાત્કાલિક સ્ટેજ પર ઠંડી હવાની વ્યવસ્થા થઈ જતા આ બાબત ચર્ચાનો વિષય બની હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.