શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ મામલે મથુરા કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી


  • Published By :
  • Published Date : 2022-12-24 17:06:45

શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈ મથુરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મથુરાના સિવિલ જજે શાહી ઈદગાહ મામલે સર્વે કરાવાનો આદેશ આપ્યો છે. આદેશ આપી 20 જાન્યુઆરી સુધીમાં ઈદગાહ વિવાદિત સ્થળ પરિસરનો સર્વેક્ષણ રિપોર્ટ કોર્ટને સોંપવાના છે.


12 જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી  

હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલી અપીલ પર આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.મથુરાના સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપ્યો છે. વકીલ શૈલેષ દુબેએ જણાવ્યું હતું કે હિંદુ સેના તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પણ આ આદેશ કરવામાં આવ્યો છે. આ  રિપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમિટ કરાવાનો છે. આ કેસની આગળની સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 


શું છે સમગ્ર મામલો ?

આ અરજી કોર્ટમાં એટલા માટે દાખલ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન મુક્ત કરાવામાં આવે. આ અરજીને ધ્યાનમાં રાખી સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટે હિન્દુ સેનાના દાવા પર શાહી ઈદગાહ મસ્જિદનો અમીન સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. અને આ રીપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમીટ કરાવાનો રહેશે. અરજી દાખલ કરનારે એવો દાવો કર્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન પર મંદિર તોડીને ઓરંગઝેબે ઈદગાહ તૈયાર કરાવી હતી.          




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.