શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ મામલે મથુરા કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી


  • Published By :
  • Published Date : 2022-12-24 17:06:45

શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈ મથુરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મથુરાના સિવિલ જજે શાહી ઈદગાહ મામલે સર્વે કરાવાનો આદેશ આપ્યો છે. આદેશ આપી 20 જાન્યુઆરી સુધીમાં ઈદગાહ વિવાદિત સ્થળ પરિસરનો સર્વેક્ષણ રિપોર્ટ કોર્ટને સોંપવાના છે.


12 જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી  

હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલી અપીલ પર આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.મથુરાના સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપ્યો છે. વકીલ શૈલેષ દુબેએ જણાવ્યું હતું કે હિંદુ સેના તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પણ આ આદેશ કરવામાં આવ્યો છે. આ  રિપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમિટ કરાવાનો છે. આ કેસની આગળની સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 


શું છે સમગ્ર મામલો ?

આ અરજી કોર્ટમાં એટલા માટે દાખલ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન મુક્ત કરાવામાં આવે. આ અરજીને ધ્યાનમાં રાખી સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટે હિન્દુ સેનાના દાવા પર શાહી ઈદગાહ મસ્જિદનો અમીન સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. અને આ રીપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમીટ કરાવાનો રહેશે. અરજી દાખલ કરનારે એવો દાવો કર્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન પર મંદિર તોડીને ઓરંગઝેબે ઈદગાહ તૈયાર કરાવી હતી.          




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે