યુવાનો માટે જોખમરૂપ બનતો Heart Attack! Suratમાં બે લોકોએ Heart Attackને કારણે ગુમાવ્યો જીવ


  • Published By :
  • Published Date : 2023-10-12 15:17:02

એક દિવસ એવો નથી જતો જ્યારે હાર્ટ એટેકના સમાચારો સામે ન આવતા હોય. લોકો હાર્ટ એટેકને કારણે મોતને ન ભેટતા હોય. માત્ર થોડા દિવસોની અંદર જ અનેક લોકોના જીવ ગયા છે. થોડા દિવસો પહેલા 13 વર્ષીય બાળકનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું તે જ દિવસે 18 વર્ષીય દીકરીનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. ત્યારે આજે ફરી બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. સુરતથી બે લોકોના મોત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 35 વર્ષીય યુવકનું મોત અને બીજા કિસ્સામાં 42 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

Two people died of heart attack in Surat, 35 and 41-year-old youth died સુરતમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત, 35 અને 41 વર્ષીય યુવકનાં થયા મોત

થોડા દિવસોમાં જ અનેક યુવાનો બન્યા છે હાર્ટ એટેકનો ભોગ 

દિવસેને દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. પ્રતિદિન કોઈને કોઈ વ્યક્તિ મોતને ભેટે છે અને એ પણ હાર્ટ એટેકને કારણે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને કારણે ચિંતામાં વધારો થયો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને કારણે ડોક્ટરોમાં પણ આ એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા થોડા સમયની અંદર જ ઘણા બધા કિસ્સાઓ છે. ત્યારે વધુ બે કિસ્સા હાર્ટ એટેકના સુરતથી સામે આવ્યા છે. 



24 કલાકમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હાર્ટ એટેકને કારણે 

સુરતના વેસુ વિસ્તારમાં કલરકામ કરતા યુવાનને અચાનક છાતીમાં દુખાવો થયો અને તેનું મોત નિપજ્યું. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેની પહેલા જ તેમણે દેહ છોડી દીધો હતો. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. તે ઉપરાંત ઓલપાડામાં 42 વર્ષીય વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. 24 કલાકમાં બે વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મહત્વનું છે કે આની પહેલા રાજકોટથી જ અનેક લોકોના મોત થયા છે. થોડા દિવસોની અંદર જ બહુ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 



ગરબા ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે મેડિકલ ટીમ 

થોડા દિવસ પહેલા 13 વર્ષીય બાળકનું મોત થયું છે. જામનગરનો વતની અને મુંબઈમાં અભ્યાસ કરતો હતો. યોગા કરતા કરતા તેનું મોત થઈ ગયું હતું, પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. તે સિવાય એ જ દિવસે 18 વર્ષીય દીકરીએ પ્રાણ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે. તે પહેલા પણ ગરબા રમતા રમતા એક યુવકનું મોત થઈ ગયું હતું. કોરોના બાદ તો આવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. યુવાનોમાં વધતા હાર્ટ એટકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગરબા આયોજકોએ પણ વિશેષ આયોજન કર્યું છે. ગરબા ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ તૈનાત રહેશે તેવી વાત કરવામાં આવી છે. એએમએ દ્વારા પણ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.     




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી