દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં હાર્ટ એટેકથી 11 વર્ષના દુષ્યંતનું મોત, સવારે બાથરૂમમાં ફસડાઈ પડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 19:39:01

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. સૌથી મોટી ચિંતાજનક બાબત તો એ છે કે યુવાનો અને તરૂણો પણ હાર્ટ એટેકની ઝપેટમાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી 3 કિલોમીટર દૂર બરડા ડુંગરની તળેટીમાં આવેલ વિજયપુર ગામમાં રહેતો 11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પિપરોતરનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે.  દુષ્યંત આજે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જવા ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે તે ત્યાં જ ફસડાઈને ઢળી પડ્યો હતો.


કિશોરના મોતથી અરેરાટી


આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાણવડથી 3 કિલોમીટર દૂર બરડા ડુંગરની તળેટીમાં આવેલ વિજયપુર ગામમાં રહેતો 11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પિપરોતર આજે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે તે ત્યાં જ ફસડાઈને ઢળી પડ્યો હતો. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો દુષ્યંતને ગંભીર હાલતમાં સારવાર અર્થે દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.  મૃતક દુષ્યંત વિજયપુર ગામની સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો.  


પરિવાર શોકમગ્ન


11 વર્ષનો દુષ્યંત મોતને ભેટતા તેના માતા-પિતાના કરૂણ આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.  બાળકના મોતના કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. લાડકવાયા દીકરાના મોતથી પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.