નવરાત્રીમાં ખેલૈયાનોની સુરક્ષા માટે રાજકોટ સિવિલમાં તૈયાર કરાયો હાર્ટ-એટેકનો વોર્ડ, ઇમર્જન્સી સર્જરી માટે સ્ટાફ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2023-10-04 20:57:39

કોરોના કાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક હદે વધ્યા છે, તેમાં પણ યુવાનો હાર્ટ એટેકનો ભોગ સૌથી વધુ બની રહ્યા છે. ક્રિકેટ રમતા, વ્યાયામ કરતા કે પછી સામાજીક પ્રસંગમાં ડાન્સ કરતો યુવાન અચાનક જ પછડાઈને પ્રાણ ગુમાવતો હોવાનોની ઘટના અવારનવાર સામે આવી છે. જો કે આ બાબતની ગંભીર નોંધ લઈ રાજકોટ સિવિલે અનોખી પહેલ કરી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ-એટેક માટે ખાસ વોર્ડ ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ખલૈયાઓની રક્ષા માટે રાજકોટ સિવિલની પહેલ 


યુવક-યુવતીઓનો ખૂબ જ પ્રિય એવો નવરાત્રિ મહોત્સવ નજીક આવતાં ગરબા રમતા યુવાનોનાં હાર્ટ-એટેકના કિસ્સામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ત્વરિત સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે હોસ્ટિપલમાં એક અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન હાર્ટ એટેકના સંભવિત દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 50 બેડ હશે. જેમાં 20 મહિલા અને 20 પુરુષો માટે તેમજ 10 બેડ હાર્ટ એટેકેની ગંભીર ઇમરન્જસી સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં નવરાત્રી દરમિયાન રાત્રે ડોક્ટરની ખાસ ટીમ પણ હાજર રહેશે. દવાઓ, ઇન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા આ વોર્ડમાં ઉભી કરવામાં આવી છે.


50 બેડનો સ્પેશિયલ વોર્ડ


રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટે આર.એસ ત્રિવેદી એ આ અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટમાં સામે આવેલા બનાવોને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ છે તેમજ બદલાયેલી લાઇફસ્ટાઇલ હાર્ટ-એટેકના વધતા બનાવો માટે કારણ હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી પર સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગ માટે ખાસ વોર્ડ તૈયાર, 50 બેડનો સ્પેશિયલ વોર્ડ કરાયો તૈયાર કરવામાં આવશે. જેમાં વોર્ડમાં 1 કાર્ડિયોલોજિસ્ટ, 4 મેડિસિન વિભાગના ડોક્ટર તેમજ 2 મનોચિકિત્સક અને 2 કાઉન્સિલર રહેશે તૈનાત, 24 કલાક રહેશે સ્ટાફ તૈનાત ખાસ કરી રાત્રિના નવ વાગ્યાથી 1 વાગ્યા સુધી સતત સ્ટાફ ખડે પગે રહેશે. રાજકોટમાં હાર્ટ-એટેકથી યુવાનોનાં મોત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ આર. એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ, કોરોના બાદ ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ-એટેકના બનાવો વધ્યા એ ચિંતાનો વિષય છે, જેમાં રાજ્યમાંથી ગરબા રમતાં-રમતાં અથવા ગરબા રમ્યા બાદ યુવાનનાં હાર્ટ-એટેકથી મોત થયાના બનાવો પણ સામે આવ્યા છે. આવા બનાવો રાજકોટમાં પણ સામે આવતાં નવરાત્રિ આયોજકોએ મારી મુલાકાત લીધી હતી અને પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા રજૂઆત કરાઈ છે કે તેમના નવરાત્રિ ઉત્સવના સ્થળે ડોકટર નર્સ સહિતના સ્ટાફ ઉપરાંત એમ્બ્યુલન્સો મૂકવામાં આવે, જેથી કરી કોઈપણ ગરબા ખલૈયાની તબિયત ખરાબ જણાઈ તો તત્કાળ તે ડોકટરની ટીમ પાસેથી સારવાર લઈ શકીએ. આ પ્રકારની રજુઆત બાદ હોસ્પિટલે અંતે સ્પેશિયલ વોર્ડ ઉભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.