નવરાત્રીમાં ખેલૈયાનોની સુરક્ષા માટે રાજકોટ સિવિલમાં તૈયાર કરાયો હાર્ટ-એટેકનો વોર્ડ, ઇમર્જન્સી સર્જરી માટે સ્ટાફ રહેશે હાજર


  • Published By :
  • Published Date : 2023-10-04 20:57:39

કોરોના કાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક હદે વધ્યા છે, તેમાં પણ યુવાનો હાર્ટ એટેકનો ભોગ સૌથી વધુ બની રહ્યા છે. ક્રિકેટ રમતા, વ્યાયામ કરતા કે પછી સામાજીક પ્રસંગમાં ડાન્સ કરતો યુવાન અચાનક જ પછડાઈને પ્રાણ ગુમાવતો હોવાનોની ઘટના અવારનવાર સામે આવી છે. જો કે આ બાબતની ગંભીર નોંધ લઈ રાજકોટ સિવિલે અનોખી પહેલ કરી છે. નવરાત્રી દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ-એટેક માટે ખાસ વોર્ડ ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ખલૈયાઓની રક્ષા માટે રાજકોટ સિવિલની પહેલ 


યુવક-યુવતીઓનો ખૂબ જ પ્રિય એવો નવરાત્રિ મહોત્સવ નજીક આવતાં ગરબા રમતા યુવાનોનાં હાર્ટ-એટેકના કિસ્સામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ત્વરિત સારવાર માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે હોસ્ટિપલમાં એક અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન હાર્ટ એટેકના સંભવિત દર્દીઓની સારવાર માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 50 બેડ હશે. જેમાં 20 મહિલા અને 20 પુરુષો માટે તેમજ 10 બેડ હાર્ટ એટેકેની ગંભીર ઇમરન્જસી સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં નવરાત્રી દરમિયાન રાત્રે ડોક્ટરની ખાસ ટીમ પણ હાજર રહેશે. દવાઓ, ઇન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા આ વોર્ડમાં ઉભી કરવામાં આવી છે.


50 બેડનો સ્પેશિયલ વોર્ડ


રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટે આર.એસ ત્રિવેદી એ આ અંગે જણાવ્યું હતું કે તાજેતરમાં રાજકોટમાં સામે આવેલા બનાવોને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ છે તેમજ બદલાયેલી લાઇફસ્ટાઇલ હાર્ટ-એટેકના વધતા બનાવો માટે કારણ હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી પર સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગ માટે ખાસ વોર્ડ તૈયાર, 50 બેડનો સ્પેશિયલ વોર્ડ કરાયો તૈયાર કરવામાં આવશે. જેમાં વોર્ડમાં 1 કાર્ડિયોલોજિસ્ટ, 4 મેડિસિન વિભાગના ડોક્ટર તેમજ 2 મનોચિકિત્સક અને 2 કાઉન્સિલર રહેશે તૈનાત, 24 કલાક રહેશે સ્ટાફ તૈનાત ખાસ કરી રાત્રિના નવ વાગ્યાથી 1 વાગ્યા સુધી સતત સ્ટાફ ખડે પગે રહેશે. રાજકોટમાં હાર્ટ-એટેકથી યુવાનોનાં મોત સિવિલ સુપરિન્ટેન્ડન્ટ આર. એસ. ત્રિવેદીના જણાવ્યા મુજબ, કોરોના બાદ ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ-એટેકના બનાવો વધ્યા એ ચિંતાનો વિષય છે, જેમાં રાજ્યમાંથી ગરબા રમતાં-રમતાં અથવા ગરબા રમ્યા બાદ યુવાનનાં હાર્ટ-એટેકથી મોત થયાના બનાવો પણ સામે આવ્યા છે. આવા બનાવો રાજકોટમાં પણ સામે આવતાં નવરાત્રિ આયોજકોએ મારી મુલાકાત લીધી હતી અને પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજકો દ્વારા રજૂઆત કરાઈ છે કે તેમના નવરાત્રિ ઉત્સવના સ્થળે ડોકટર નર્સ સહિતના સ્ટાફ ઉપરાંત એમ્બ્યુલન્સો મૂકવામાં આવે, જેથી કરી કોઈપણ ગરબા ખલૈયાની તબિયત ખરાબ જણાઈ તો તત્કાળ તે ડોકટરની ટીમ પાસેથી સારવાર લઈ શકીએ. આ પ્રકારની રજુઆત બાદ હોસ્પિટલે અંતે સ્પેશિયલ વોર્ડ ઉભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.