Gujaratમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ! આ તારીખો બાદ વધશે ગરમીનો પારો, જાણો હવામાનને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-16 12:23:04

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રાજકારણનું તાપમાન ગરમ છે તો બીજી તરફ હવામાનના તાપમાનમાં ઘટાડો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડક પ્રસરી હતી અને ગરમીથી રાહત મળી હતી. પરંતુ આ બધા વચ્ચે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધારે સહન કરવો પડશે... રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...


માવઠાને કારણે ખેડૂતોને આવે છે રડવાનો વારો 

રાજકારણમાં જેમ રાજનેતા ગમે ત્યારે પક્ષપલટો કરી રહ્યા છે તેવી રીતે ગુજરાતનું હવામાન પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે તો કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠું આવી રહ્યું છે અને જગતના તાતને રડાવી જઈ રહ્યું છે... શિયાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ હતી ત્યારે ઉનાળામાં આવતા વરસાદને કારણે કેરીના પાક પર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કમોસમી વરસાદને કારણે આપણને તો ગરમીથી રાહત મળે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે...


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ

આ બધા વચ્ચે ગુજરાતમાં થોડા દિવસોથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.. જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે તે વખતે ગરમીની આગાહી પણ સાથે સાથે કરાઈ હતી. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે...



અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી

તાપમાનનો પારો વધશે તે અંગેની આગાહી હવામાન  નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  તેમની આગાહી અનુસાર 16 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. તાપમાનની વાત કરતા તેમણે કહ્યું કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ સહિતના અનેક જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે સિવાય 18 એપ્રિલે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.