Gujaratમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ! આ તારીખો બાદ વધશે ગરમીનો પારો, જાણો હવામાનને લઈ શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-16 12:23:04

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રાજકારણનું તાપમાન ગરમ છે તો બીજી તરફ હવામાનના તાપમાનમાં ઘટાડો આવ્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડક પ્રસરી હતી અને ગરમીથી રાહત મળી હતી. પરંતુ આ બધા વચ્ચે એવી આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધારે સહન કરવો પડશે... રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...


માવઠાને કારણે ખેડૂતોને આવે છે રડવાનો વારો 

રાજકારણમાં જેમ રાજનેતા ગમે ત્યારે પક્ષપલટો કરી રહ્યા છે તેવી રીતે ગુજરાતનું હવામાન પણ ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. શિયાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે તો કાળઝાળ ગરમી વચ્ચે પણ માવઠું આવી રહ્યું છે અને જગતના તાતને રડાવી જઈ રહ્યું છે... શિયાળામાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ હતી ત્યારે ઉનાળામાં આવતા વરસાદને કારણે કેરીના પાક પર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કમોસમી વરસાદને કારણે આપણને તો ગરમીથી રાહત મળે છે પરંતુ ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે...


આવનાર દિવસોમાં વધશે ગરમીનું પ્રમાણ

આ બધા વચ્ચે ગુજરાતમાં થોડા દિવસોથી અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.. જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે તે વખતે ગરમીની આગાહી પણ સાથે સાથે કરાઈ હતી. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જશે...



અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી

તાપમાનનો પારો વધશે તે અંગેની આગાહી હવામાન  નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  તેમની આગાહી અનુસાર 16 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. તાપમાનની વાત કરતા તેમણે કહ્યું કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ સહિતના અનેક જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે સિવાય 18 એપ્રિલે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે