આવનાર દિવસમાં વધશે ગરમીનું પ્રમાણ, અમદાવાદ માટે યેલો એલર્ટ કરાયું છે જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-10 16:08:04

માર્ચના મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે અનેક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ત્યારે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ માટે એએમસીએ લોકોને સલાહ આપી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું, તેમજ પાણીનો વધારો ઉપયોગ કરવો. 


યેલો એલર્ટ કરાયું જાહેર 

રાજ્યમાં થોડા દિવસો બાદ ગરમીનો પ્રકોપ જોવા મળવાનો છે. તાપમાનનો પારો આવનાર દિવસોમાં વધી શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 41 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.10 શહેરોમાં 38 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. પાટણમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.


આવનાર સમયમાં નોંધાઈ શકે છે 44 ડિગ્રી તાપમાન 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે. રવિવારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, 18 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો નોંધાવાનો છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યું છે.      


કાળઝાળ ગરમી બાદ આવશે કમોસમી વરસાદ!

જો રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભુજમાં 39.4, કેશોદમાં 38.7, રાજકોટમાં 38.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ ગરમીનું જોર વધશે. ગરમી બાદ ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 11 એપ્રિલથી 3 દિવસ માટે કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 એપ્રિલે કચ્છમાં માવઠું આવશ, 12 તારીખે 8 જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત 13 એપ્રિલે 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.