આવનાર દિવસમાં વધશે ગરમીનું પ્રમાણ, અમદાવાદ માટે યેલો એલર્ટ કરાયું છે જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-10 16:08:04

માર્ચના મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાના સમય દરમિયાન વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. માવઠાને કારણે અનેક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ત્યારે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ માટે એએમસીએ લોકોને સલાહ આપી છે. કામ વગર ઘરની બહાર ન નીકળવું, તેમજ પાણીનો વધારો ઉપયોગ કરવો. 


યેલો એલર્ટ કરાયું જાહેર 

રાજ્યમાં થોડા દિવસો બાદ ગરમીનો પ્રકોપ જોવા મળવાનો છે. તાપમાનનો પારો આવનાર દિવસોમાં વધી શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીનો પારો 41 ડિગ્રી આસપાસ નોંધાયો હતો.10 શહેરોમાં 38 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું હતું. પાટણમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.


આવનાર સમયમાં નોંધાઈ શકે છે 44 ડિગ્રી તાપમાન 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનો છે. રવિવારે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું હતું, 18 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 44 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો નોંધાવાનો છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવ્યું છે.      


કાળઝાળ ગરમી બાદ આવશે કમોસમી વરસાદ!

જો રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભુજમાં 39.4, કેશોદમાં 38.7, રાજકોટમાં 38.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ ગરમીનું જોર વધશે. ગરમી બાદ ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. 11 એપ્રિલથી 3 દિવસ માટે કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 11 એપ્રિલે કચ્છમાં માવઠું આવશ, 12 તારીખે 8 જિલ્લાઓમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત 13 એપ્રિલે 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.