રાજ્યના આ શહેરોઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી! હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યારે મળશે ગરમીથી રાહત!


  • Published By :
  • Published Date : 2023-05-11 17:13:31

રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 42થી 44 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થવાનો છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.


હિટવેવની આગાહી કરવામાં આવી!

ઉનાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અષાઢી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ હાલ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ગગડી શકે છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજકોટનું તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું હતું. કચ્છ, પોરબંદર, સુરત, આણંદ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 મેના રોજ આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.   


ફરી એક વખત વરસશે કમોસમી વરસાદ!

આગામી ત્રણ ચાર દિવસો બાદ તાપમાનમાં બે ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે છે. કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22,23 અને 24 મેના રાજ્યના કોઈ વિસ્તારમાં માવઠું વરસી શકે છે. જેને કારણે ખેતીને નુકસાન પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સક્રીય થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્ય પર માવઠાની આગાહી કરવામાં આવી છે.                     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.