રાજ્યના આ શહેરોઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી! હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યારે મળશે ગરમીથી રાહત!


  • Published By :
  • Published Date : 2023-05-11 17:13:31

રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 42થી 44 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થવાનો છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.


હિટવેવની આગાહી કરવામાં આવી!

ઉનાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અષાઢી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ હાલ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ગગડી શકે છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજકોટનું તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું હતું. કચ્છ, પોરબંદર, સુરત, આણંદ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 મેના રોજ આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.   


ફરી એક વખત વરસશે કમોસમી વરસાદ!

આગામી ત્રણ ચાર દિવસો બાદ તાપમાનમાં બે ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે છે. કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22,23 અને 24 મેના રાજ્યના કોઈ વિસ્તારમાં માવઠું વરસી શકે છે. જેને કારણે ખેતીને નુકસાન પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સક્રીય થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્ય પર માવઠાની આગાહી કરવામાં આવી છે.                     




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે