રાજ્યના આ શહેરોઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી! હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યારે મળશે ગરમીથી રાહત!


  • Published By :
  • Published Date : 2023-05-11 17:13:31

રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોનું તાપમાન 42થી 44 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. આગામી બે દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ લોકોને થવાનો છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.


હિટવેવની આગાહી કરવામાં આવી!

ઉનાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અષાઢી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ હાલ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 42થી 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. 13મી તારીખ બાદ તાપમાનનો પારો ગગડી શકે છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજકોટનું તાપમાન 43.9 ડિગ્રી નોંધાયું હતું. કચ્છ, પોરબંદર, સુરત, આણંદ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 મેના રોજ આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.   


ફરી એક વખત વરસશે કમોસમી વરસાદ!

આગામી ત્રણ ચાર દિવસો બાદ તાપમાનમાં બે ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે છે. કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ 22,23 અને 24 મેના રાજ્યના કોઈ વિસ્તારમાં માવઠું વરસી શકે છે. જેને કારણે ખેતીને નુકસાન પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સક્રીય થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્ય પર માવઠાની આગાહી કરવામાં આવી છે.                     




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.