અમદાવાદમાં મેઘ મહેર, હજુ પણ ભારે વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 14:49:40

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર થઈ રહ્યો છે.  અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારના 11 વાગ્યાથી જ શરૂ થયો. ધોધમાર વરસાદથી માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પશ્ચિમ અમદાવાદના નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અસારવા, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તે જ રીતે જીવરાજ પાર્ક, એસજી હાઇવે, પ્રહલાદનગર, વાસણા, વેજલપુરમાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસ્યો. અમદાવાદમાં ભારે વરસાદ અને ઘનઘોર વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલીટી ઘટી હતી. ભારે વરસાદના કારણે વાહનચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી હતી. માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રબારી કોલોનીમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.   


4 દિવસ વરસાદની આગાહી


હવામાન વિભાગે પણ આગામી 3 કલાક ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલના હવામાન વિભાગે સંકેત આપ્યાં છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી