અમદાવાદમાં મેઘ મહેર, હજુ પણ ભારે વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 14:49:40

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર થઈ રહ્યો છે.  અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારના 11 વાગ્યાથી જ શરૂ થયો. ધોધમાર વરસાદથી માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પશ્ચિમ અમદાવાદના નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અસારવા, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તે જ રીતે જીવરાજ પાર્ક, એસજી હાઇવે, પ્રહલાદનગર, વાસણા, વેજલપુરમાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસ્યો. અમદાવાદમાં ભારે વરસાદ અને ઘનઘોર વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલીટી ઘટી હતી. ભારે વરસાદના કારણે વાહનચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી હતી. માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રબારી કોલોનીમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.   


4 દિવસ વરસાદની આગાહી


હવામાન વિભાગે પણ આગામી 3 કલાક ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલના હવામાન વિભાગે સંકેત આપ્યાં છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.