અમદાવાદમાં મેઘ મહેર, હજુ પણ ભારે વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-01 14:49:40

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે મુશળધાર થઈ રહ્યો છે.  અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારના 11 વાગ્યાથી જ શરૂ થયો. ધોધમાર વરસાદથી માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પશ્ચિમ અમદાવાદના નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અસારવા, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તે જ રીતે જીવરાજ પાર્ક, એસજી હાઇવે, પ્રહલાદનગર, વાસણા, વેજલપુરમાં પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ વરસ્યો. અમદાવાદમાં ભારે વરસાદ અને ઘનઘોર વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલીટી ઘટી હતી. ભારે વરસાદના કારણે વાહનચાલકોને પોતાના વાહનની લાઈટ ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી હતી. માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રબારી કોલોનીમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી.   


4 દિવસ વરસાદની આગાહી


હવામાન વિભાગે પણ આગામી 3 કલાક ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલના હવામાન વિભાગે સંકેત આપ્યાં છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"