આ તારીખો દરમિયાન જોવા મળશે મેઘમહેર! સાંભળો વરસાદને લઈ હવામાન વિભાગ, Paresh Goswami અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-08-18 16:59:29

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ વરસ્યો હતો. સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદ નથી વરસી રહ્યો. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હવે તો છુટાછવાયો વરસાદ જ વરસી રહ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ હવે તો વરસાદ જ નથી પડી રહ્યો. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ખેડૂતોને ખુશી આપે તેવી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી 2-3 દિવસ વરસાદ વરસવાની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. રવિવાર માટે કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ વરસી શકે છે.


પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ જગ્યાઓ પર થશે મેઘમહેર  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદ પડ્યો ન હતો પરંતુ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેને કારણે વરસાદ વરસી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. 19,20 તેમજ 21 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ જામી શકે છે. આ તારીખો દરમિયાન છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા તેમજ  મહિસાગરમાં વરસાદ ખાબકી શકે છે. તે સિવાય અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામી શકે છે. 

આ તારીખો દરમિયાન થશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી 

વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તેની આગાહી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોની આગાહી સાંભળી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.