આ તારીખો દરમિયાન જોવા મળશે મેઘમહેર! સાંભળો વરસાદને લઈ હવામાન વિભાગ, Paresh Goswami અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-08-18 16:59:29

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ વરસ્યો હતો. સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદ નથી વરસી રહ્યો. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હવે તો છુટાછવાયો વરસાદ જ વરસી રહ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ હવે તો વરસાદ જ નથી પડી રહ્યો. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ખેડૂતોને ખુશી આપે તેવી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી 2-3 દિવસ વરસાદ વરસવાની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. રવિવાર માટે કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ વરસી શકે છે.


પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ જગ્યાઓ પર થશે મેઘમહેર  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદ પડ્યો ન હતો પરંતુ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેને કારણે વરસાદ વરસી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. 19,20 તેમજ 21 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ જામી શકે છે. આ તારીખો દરમિયાન છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા તેમજ  મહિસાગરમાં વરસાદ ખાબકી શકે છે. તે સિવાય અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામી શકે છે. 

આ તારીખો દરમિયાન થશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી 

વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તેની આગાહી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોની આગાહી સાંભળી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.