આ તારીખો દરમિયાન જોવા મળશે મેઘમહેર! સાંભળો વરસાદને લઈ હવામાન વિભાગ, Paresh Goswami અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-08-18 16:59:29

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ વરસ્યો હતો. સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદ નથી વરસી રહ્યો. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હવે તો છુટાછવાયો વરસાદ જ વરસી રહ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ હવે તો વરસાદ જ નથી પડી રહ્યો. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ખેડૂતોને ખુશી આપે તેવી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી 2-3 દિવસ વરસાદ વરસવાની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. રવિવાર માટે કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ વરસી શકે છે.


પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ જગ્યાઓ પર થશે મેઘમહેર  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદ પડ્યો ન હતો પરંતુ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેને કારણે વરસાદ વરસી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. 19,20 તેમજ 21 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ જામી શકે છે. આ તારીખો દરમિયાન છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા તેમજ  મહિસાગરમાં વરસાદ ખાબકી શકે છે. તે સિવાય અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામી શકે છે. 

આ તારીખો દરમિયાન થશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી 

વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તેની આગાહી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોની આગાહી સાંભળી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.