રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:56:54

આગામી બે દિવસ ભારેથી મધ્યમ વરસાદ માટે તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થશે. હવામાન વિભાગે 40 કિમીના ઝડપે પવન ફુંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. ત્રણ દિવસ બાદ ફરી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. 


લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં 2 દિવસ ધોધમાર વરસાદ


હવામાન વિભાગની આગાહી મુજબ, વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે મુજબ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં હવામાન વિભાગે કચ્છમાં પણ અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.


નર્મદા ડેમ 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ 


ઉપરવાસમાં મુશળધાર વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. નર્મદાની હાલની સપાટી 138.68 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. ડેમની સપાટીમાં વધારો થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને નર્મદાના નીરના વધામણા કર્યા હતા.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .